tag:blogger.com,1999:blog-86973496270806204952024-03-13T22:11:58.537+05:30બાકાયદા બક્ષી - Chandrakant Bakshiમશહૂર ગુજરાતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષીનાં અનગિનત વિષયો પરના વૈવિધ્યસભર લેખોનું સંકલન. An unofficial blog dedicated to highlight distinctive thoughts of the much acclaimed prolific Gujarati writer, Shri Chandrakant Bakshi (Bakshi Babu) on wide range of subjects. Bakshi Premihttp://www.blogger.com/profile/11124070854380107333noreply@blogger.comBlogger193125tag:blogger.com,1999:blog-8697349627080620495.post-91360367824582859482016-08-20T18:22:00.000+05:302016-08-20T18:22:37.982+05:30રમત: બદલાતા કાયદા, ખેલાડીઓ, સાધનો, દિમાગો<div style="text-align: justify;">
રમતનું વિશ્વ ગુજરાતી પ્રકૃતિથી દૂરની વસ્તુ છે, ગુજરાતી પ્રકૃતિ એટલે ગુજરાતી પુરુષોની પ્રકૃતિ! ગુજરાતી સ્ત્રીઓએ રમતના જગતમાં છલોછલ યોગદાન કર્યું છે. ગુજરાતના પુરુષો અખિલ ભારતીય કક્ષાએ ભાગ્યે જ દેખાયા છે, જ્યારે કેટલીય ગુજરાતી સ્ત્રીઓ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ ચૅમ્પિયનો છે. રમતવીરો માટે ગુજરાતને ખાસ માન કે આદર પણ નથી. કારણ કે પ્રજાના હીરો ધર્મગુરુઓ છે અથવા મારૂતિ કારમાં બેઠા બેઠા ગ્રેપ ("ગ્રે"નો ઉચ્ચાર ગુજરાતમાં મોઢું સાત ઇંચ પહોળું કરીને કરવાનો) જ્યુસ પીનારા કે પાનની દુકાન પર માવાનાં પડીકાં બંધાવનારા છે. ગુજરાતી સમાચારપત્રોમાં રમત સમાચાર કે રમતનું પાનું દસ-પંદર વર્ષ પહેલાં ન હતું, પછી આવ્યું. અને આ પાનું અંગ્રેજી ડિસ્પેચ કે ટીકર-ટેપનો સીધો, બેઠો, ક્લિષ્ટ, કર્કશ, કુત્સિત તરજુમો હોય છે. જે કંઈ થોડું કદાચ પ્રતિભાવ રૂપે લખાય છે એ દેશી ક્રિકેટ વિષે લખાય છે. નેટવર્ક ટી.વી. પણ એટલું જ જવાબદાર છે. જે રીતે દૂરદર્શન રાષ્ટ્રભરનો પ્રાઇમ ટાઇમ સમય ટેનિસ પાછળ સમાચારોમાં લગભગ રોજ બગાડે છે એ જોઈને ગમે તેને થાય કે ટેનિસ જ આપણી રાષ્ટ્રીય રમત હોવી જોઈએ. પણ ઉપર કોઈ અફસરનાં ચાર લંગુરછાપ કોન્વેન્ટિયાં છોકરાં બેઠાં હશે, અથવા ટેનિસની ક્લીપો કે અંશની ફિલ્મો સીધી, વિના મહેનતે મળી જતી હશે. એટલે સમસ્ત હિન્દુસ્તાન પર આસાનીથી ઠોકી શકાતી હશે. આપણે સ્વતંત્ર ભારતના ગુલામદશકમાંથી ગુજરી રહ્યા છીએ એવું લાગે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીના અધ્યક્ષ ઐવરી બ્રેન્ડેજે એકવાર કહ્યું હતું કે પ્રાચીન ગ્રીસમાં જ્યારે ઑલિમ્પિક રમતો યોજાવાની હોય ત્યારે યુદ્ધો અટકાવી દેવાતાં હતાં, આજે યુદ્ધોને લીધે ઑલિમ્પિક રમતો અટકાવી દેવાય છે! લેખક જ્યોર્જ ઓરવેલે ઑલિમ્પિક રમતો માટે લખ્યું હતું કે આ યુદ્ધ છે, ગોળીઓ વિનાનું! એડોલ્ફ હિટલર કદાચ વધારે સચોટ હતો. હિટલરે એની આત્મકથા "માઈન કામ્ફ" (મારું કાર્ય)માં નફ્ફટાઈથી લખ્યું છે. મને એક એથલીટ આપો અને હું એક સૈન્ય ઊભું કરી દઈશ! પશ્ચિમના સમાજોમાં એથલીટ કે સ્પોર્ટ્સમૅન પ્રજાનો હીરો છે, એના પર ધન અને આદર વરસાવી દેવામાં આવે છે. એથલીટ એ મનુષ્ય આદર્શ છે જેનામાં તન અને મનનું ફાઈન ટ્યુનિંગ થયેલું છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આજથી બરાબર 2767 વર્ષો પહેલાં ગ્રીસમાં ઑલિમ્પિક રમતો શરૂ થઈ (ઈસા પૂર્વ 776). એનું કારણ જુદું હતું. એચીલીસના મિત્ર પેટ્રોક્લેસનું અવસાન થઈ ગયું હતું અને એ જુદાઈનો ગમ ભૂલવા માટે એચીલીસે ટ્રોય નગરની દીવાલોની બહાર પ્રથમ રમતો યોજી હતી. ઈસા પૂર્વ 393માં સમ્રાટ થિયોડોસીઅસે આ રમતો પર પ્રતિબંધ મૂકી દીધો અને 1503 વર્ષો સુધી આ રમતો બંધ રહી! 1896માં આધુનિક ઑલિમ્પિક રમતોનો પુનર્જન્મ થયો અને રમતના કાયદા બદલાઈ ગયા. મૂળ ઑલિમ્પિક રમતોનો પુનર્જન્મ થયો અને રમતના કાયદા બદલાઈ ગયા. મૂળ ઑલિમ્પિક રમતોમાં માત્ર પ્રથન ઈનામ જ મળતું હતું. બીજું કે ત્રીજું ઈનામ ન હતું. આધુનિક રમતોમાં બીજા અને ત્રીજા ઈનામો ઉમેરાયાં અને પછી રમતના કાયદાઓ ઝડપથી બદલાતા રહ્યા.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અને હજી પણ કેટલાય દેશોના એથલીટો સાફ માને છે કે તમે પ્રથમ આવો તો જ સ્પર્ધાનું મહત્ત્વ છે. પહેલો અને છેલ્લો એ બે જ નંબરો છે, એ સિવાય કોઈ જ સ્થાન નથી. કાયદાઓ બદલાય, પણ પ્રથમ સ્થાન હજી પણ પ્રથમ સ્થાન જ છે...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
નવી રમતો ઉમેરાતી જાય છે અને જૂની રમતોના કાયદા સમય પ્રમાણે બદલતા જાય છે. બિજિંગની 11મી એશિયન રમતોમાં બે નવી રમતો ઉમેરવામાં આવી, હિંદુસ્તાનની કબડ્ડી (હુતુતુતુ) અને મલેશિયાની સેપાક ટેકરો. નિયમ એવો છે કે કોઈ પણ નવી રમત ઉમેરવી હોય તો એ કમથી કમ છ દેશોમાં રમાતી હોવી જોઈએ અને ઓછામાં ઓછી ચાર ટીમોએ ભાગ લેવો જોઈએ.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
રમતો હવે બદલાઈ ગઈ છે, ફૂટબૉલ હવે ડ્રીબલિંગ અને પાસિંગની રમત રહી નથી. બર્બર તાકાત અને આધુનિક ટેકનિક વિના ફૂટબૉલનું મેદાન નથી. ટેનિસમાં હવે પાવર ટેનિસ આવી ગઈ છે. ક્રિકેટમાં લેટ કટ અને સ્ક્વેર કટ જૂના થઈ ગયા, હવે વેસ્ટ ઇંડિયન અને ઑસ્ટ્રેલિયન અને પાકિસ્તાની ક્રિકેટરને હંફાવી નાંખે એવા દક્ષિણ આફ્રિકનો આવી રહ્યા છે. હોકી હવે પોઝીશન પ્લે રહી નથી, મરણિયા જાંબાઝ ખેલાડીઓ જ ફિલ્ડ ગોલ કરી શકે છે. આ સંદર્ભમાં બૅડમિન્ટન જેવી પ્રમાણમાં ઓછી સશક્ત રમત વિષે ભારતે આમંત્રણ આપીને બોલાવેલા ચાઈનીઝ કોચ વેંગ ઝિયાઓ મિંગે કહેલી વાત સૂચક છે. વેંગે કહ્યું કે અમારા છોકરાઓ અને તમારા છોકરાઓ શારીરિક ક્ષમતા અને દક્ષતાની દૃષ્ટિએ સમકક્ષ છે પણ આ સમાનતાઓ અહીં અટકી જાય છે. અમારા ચીના છોકરાઓ ખૂબ જ મજૂરી કરી શકે છે, તમારા છોકરાઓ કરી શકતા નથી. પરિણામ? પરિણામ એ આવે છે કે પહેલી ગેમ તો ઇંડિયન પ્લેયર ચૅમ્પિયનની જેમ રમે છે. પણ પછી તરત જ એની કક્ષા પડવા લાગે છે. ચીના કોચની વાતમાં તથ્ય છે, હિંદુસ્તાની ખેલાડીઓ પાસે સ્ટેયિંગ પાવર કે ટકી રહેવાની, માર ખાઈને લડતા રહેવાની, ઝઝૂમતા રહેવાની શક્તિ નથી. અને હિંદુસ્તાની ખેલાડી પાસે કિલર સ્પિરિટ નથી. પ્રતિસ્પર્ધીને કતલ કરી નાંખવાની, હલાલ કરી નાંખવાની, બરાબર સમયસર ઘા મારવાની મન:સ્થિતિ જ નથી.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ફ્રેંક સેજમેન ઑસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર છે અને એક જમાનામાં એ વિશ્વનો શ્રેષ્ઠ હતો. મદ્રાસમાં સેજમેને આજના બદલાયેલા ટેનિસ વિષે વ્યથા વ્યક્ત કરી. હવે ટેનિસ ઘાસ અથવા માટી અથવા કૃત્રિમ સપાટી પર રમાય છે, જે આખું વર્ષ રમી શકવા માટે બનાવવામાં આવી છે. હવે ટેનિસ એ ટીવી અને વિજ્ઞાપન વિશ્વનું એક અભિન્ન અંગ બની ગયું છે એમ લાગે છે. પહેલાં કેટ ગટ્સ અથવા બિલાડીનાં આંતરડાંમાંથી ટેનિસના રૅકેટની ક્રોસ દોરીઓ બનતી હતી. હવે અત્યંત શક્તિશાળી ફાઈબરનો ઉપયોગ થાય છે. બૉલ હવે સ્ટૅન્ડર્ડ બન્યા છે. દોડવાની સપાટીઓ મિકેનિકલ બની ગઈ છે, ટૅનિસનાં બૂટમાં જમીનને પકડવાની ગ્રીપ કે પકડ વધારે સખ્ત બનાવવામાં આવી છે. બે ગેમ વચ્ચે આરામ અપાય છે અને ટાય-બ્રેકર પણ આવી ગયું છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
લગભગ દરેક રમત હવે આધુનિક બની ગઈ છે અને એ માટેનાં ઉપકરણો બનાવવા માટે નવા નવા પદાર્થોના પ્રયોગ થઈ રહ્યા છે. રશિયન સર્ગેઈ બુબકા પોલ વોલ્ટ કૂદમાં વિશ્વનો ચૅમ્પિયન છે અને એણે વારંવાર કેટલીય વાર એના પોતાના જ વિશ્વવિક્રમો તોડ્યા છે. શરૂમાં પોલ વૉલ્ટની રમતમાં પોલ વાંસનો રહેતો હતો. આજે રબરથી ફાયબર સુધી કેટલીય વસ્તુઓ વપરાતી થઈ ગઈ છે. વેસ્ટ ઈંડિયન ક્રિકેટરોમાં વજનદાર બૅટો જેવી આ વાત છે. જે બૅટ વજનદાર છે એમાં સામાન્ય ફટકો બૉલને ડબલ વેગ આપે છે. એમાં બાઉન્ડ્રી વધારે આસાન થાય છે પણ સામર્થ્ય જોઈએ છે. પોલ વૉલ્ટમાં કંઈક એવો જ ફેરફાર થયો છે. ફાયબરના પોલ વધારે લાંબા કરવામાં આવ્યા છે અને એ પદાર્થ એવો છે કે છલાંગ લગાવનારને એક બાઉન્સ કે ઉછાળો આપે છે. સર્ગેઈ બુબકા વિશ્વના સર્વકાલીન મહાન એથલીટોમાં સ્થાન પામે છે. પણ એનો ફાયબરનો પોલ લગભગ સ્થિતિસ્થાપક છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અને રમત હવે એટલી નિર્દોષ પણ રહી નથી. ન્યુઝીલેન્ડની સામે પાકિસ્તાનીઓએ બોલનો આકાર ગેરકાયદેસર રીતે બદલી નાંખ્યો હતો. એ હવે જાહેર થઈ ગયું છે. પ્રથમ ડ્રિંક્સ ઈન્ટરવલ વખતે બૉટલોની ધાતુની કેપ ઘસી ઘસીને પાકિસ્તાની ખેલાડીઓ બૉલનો એક તરફનો આકાર બગાડી નાંખતા હતા. બોલ દબાવી દબાવીને એનો આકાર બદલી નાંખવામાં આવતો હતો. પાકિસ્તાની ક્રિકેટની મજા એ છે કે ન્યુઝીલેન્ડ ટીમના મેનેજર ઈયાન ટેલરે કહ્યું કે નવા બૉલ કરતાં જૂના બૉલથી વધારે વિકેટો લેવાય છે! બૉલનો આકાર બદલવા માટે એ લોકો નખ, સેન્ડ પેપર બધું જ કદાચ વાપરી શકતા હતા. મૅનેજર ટેલરે ઉમેર્યું, એ લોકોએ જો છૂરીઓ વાપરી હોય તો પણ મને આશ્ચર્ય નહીં થાય...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(સમભાવ: ઑગસ્ટ 15, 1991) </b></div>
<div style="text-align: justify;">
<b>(ખાવું, પીવું, રમવું)</b></div>
Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-8697349627080620495.post-91043032228010366772016-04-16T10:12:00.000+05:302016-04-16T13:01:22.308+05:30ગુજરાતી કૉલમ લેખન: અધિકૃત, આકર્ષક અને સુવાચ્ય બનવાનો કસબ<div style="text-align: justify;">
ગુજરાતી પત્રકારત્વમાં એ દિવસો હતા જ્યારે સ્ટાફના માણસો નોકરીની ફર્જ રૂપે ટીકા-ટિપ્પણી લખી નાખતા અને આવા લેખનનો વાચકવર્ગ સામાન્યત: સીમિત રહેતો. પછી કૉલમલેખન આવ્યું અને સમાચારપત્રો બહારના તેજસ્વી લેખકોને કૉલમો કે સ્થંભો માટે આમંત્રણ આપવા લાગ્યા. ઘણી વાર માત્ર મોટાં નામોને આ કામ ફિલર તરીકે સોંપાતું અને સત્ત્વહીન અને તથ્યહીન આવી કૉલમોના વાચકોની સંખ્યા ક્રમશ: ઘટતી ગઈ. પછી લગભગ 1970ના દશકમાં ગુજરાતીના સાહિત્યકારો અને પ્રધાનત: વાર્તાકારો કૉલમો પર છવાતા ગયા અને પૂરો પરિવેશ બદલાતો ગયો. વાચકો એમના પ્રિય લેખકની એક કૉલમ માટે છાપું કે સામયિક ખરીદતા ગયા. વાર્તાઓ લખનારા નવલિકાકારોએ કૉલમને સરસ ટૂંકી વાર્તાની જેમ આદિ, મધ્ય અને અંતનું એક સ્વરૂપ આપ્યું. વાર્તાઓ માટેનાં પત્રો બંધ થતાં ગયાં અને નવલકથાકારો ફિટરો અને પ્લમ્બરોની જેમ રિ-સાઈકલ કરતા રહેવાના ઉદ્યમમાં વ્યસ્ત થઈ ગયા. ગુજરાતી ભાષાનું લગભગ બધું જ ગદ્યકૌશલ્ય, ગુણવત્તા, તત્ત્વસત્ત્વ કૉલમોમાં ટપકતું ગયું. કૉલમો પત્રકારિતાના સીમાબદ્ધ દાયરાને ફાડીને બહાર નીકળતી ગઈ, ગુજરાતી કૉલમલેખનમાં તેજસનો વિસ્ફોટ થવો અપેક્ષિત હતો. વાચક પાસે પ્રતિ સપ્તાહ લગભગ 500 કૉલમોનું વૈવિધ્ય પત્રો-સામયિકો દ્વારા ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થાય છે, પણ હકીકત એ છે કે પાંચ, સાત જેટલી કૉલમો જ નિયમિત વંચાતી હોય છે. બાકીની કૉલમો પસ્તીબજારના ભાવ ટકાવી રાખવામાં સહાયક થાય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આજે ગુજરાતી પત્રોમાં કૉલમો લખવી એ એક પૂર્ણત: પ્રોફેશનલ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ છે. શીર્ષકથી અંત સુધી લેખકે પોતાના માધ્યમનો કસબ દેખાડતા રહેવાનું છે, અને અંદર અધિકૃત માહિતી ભરવાની છે, શૈલી આકર્ષક અને ભાષા સુવાચ્ય બનાવવી પડે છે અને બીજી એક વધારે ભયાવહ ચૅલેંજ લેખક સામે ઊભી છે, ગુજરાતી વાચક હવે 21મી સદીના આરંભે વધારે સ્માર્ટ, વધારે જિજ્ઞાસુ, વધારે દક્ષ થઈ ગયો છે. ઘણી વાર જે વિષય પર લેખકે લખ્યું હોય છે એ જ વિષય પર લેખક કરતાં વાચક વધારે જાણતો-સમજતો હોય છે. વાચક હવે માત્ર સુજ્ઞ રહ્યો નથી, એ પ્રાજ્ઞ બની રહ્યો છે, દુનિયાભરમાં ફરે છે, અન્ય ભાષાઓની ગતિવિધિઓથી પરિચિત છે, લેખકની જડ બની ગયેલી મૂઢ માનસિકતાથી એ દસપાંચ વર્ષ કે એક પેઢી આગળ નીકળી ગયો છે. એના ડ્રૉઈંગ-રૂમમાં ટી.વી.ની 60 ચેનલો વરસી રહી છે, અને એના બેડરૂમમાં ઈન્ટરનેટનાં બટનો દબાવીને એ કરાચીના 'ડોન'થી લોસ એંજેલિસના 'લોસ એંજેલિસ ટાઈમ્સ' સુધીનાં વિશ્વનાં પ્રમુખ પત્રોના સમાચારો, વિચારો, પ્રતિ-વિચારો વિશે આગાહ થઈ શકે છે. અલાદીનનો જીન માહિતીઓના ખજાનાઓ લઈને હાજર ઊભો છે. વાચક પાસે આજે મૂર્ખ બનવાનો સમય નથી. વાચક એનું ત્રીજું નેત્ર ખોલીને લેખકની બેઈમાની અને બકવાસ અને બદનિયતની આરપાર જોઈ શકે છે. કૉલમલેખને ગુજરાતી ભાષામાં એક વાચક-યુગ લાવી દીધો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આજે ગુજરાતી ભાષામાં કૉલમલેખકોમાંના કેટલાક સૌથી વધારે માનધન અથવા ધનરાશિ મેળવે છે, અને લેખક તરીકે ઉત્તરદાયિત્વ નિભાવવું પડે છે. પૈસા મળે છે માટે પ્રોફેશનલ થવું જ પડે છે, અને ગુજરાતી પત્રો તમને લાખો વાચકોના ઘરોમાં પહોંચાડે છે માટે તમારે ઠોસ, સંગીન, સમૃદ્ધ લખવું જ પડે છે. બેજવાબદાર, જૂઠ્ઠું, તફડંચી કરેલું, અશિષ્ટ, અશ્લીલ, પૂર્વગ્રહપીડિત, આત્યંતિક લેખન કૉલમોમાં લાંબું ટકતું નથી, કારણ કે કૉલમનો વાચક એ નાટકનો પ્રેક્ષક કે સંગીતનો શ્રોતા કે ચિત્રપ્રદર્શિનીનો દર્શક નથી જે એક વાર જોઈ-સાંભળી-અનુભવીને ઘેર ચાલ્યો જાય છે. કૉલમ પ્રતિસપ્તાહ પ્રકટ થતી રહે છે, તમારે એ જ વાચકના ચરણોમાં ફરીથી એ જ કૉલમ મૂકી દેવાની છે, લેખક-વાચકનો સંબંધ એક જ લેખ પૂરતો નથી, દૃષ્ટિનો સંબંધ બનાવ્યા વિનાનો એ એક મેઘધનુષી સેતુ છે, જે એના સાતેસાત રંગોની જાહોજલાલીમાં અડધા આકાશ પર ફેલાઈ જાય છે. કૉલમલેખકે વિશ્વસનીયતા પ્રકટાવવાની છે, એનો પરિશ્રમ એના ટપકેલા શબ્દોમાં વાચકને દેખાવો જોઈએ, એની હકીકતો સ્વીકૃત અને અધિકૃત હોવી જોઈએ. અને આ બધાની ઉપર લેખકના વિચારોની મૌલિકતા, ભય કે પ્રલોભન વિનાની અભિવ્યક્તિ, વાચકના નિર્ભીક સાથી હોવાનો અહસાસ... લેખકની ગર્દન ટટાર રાખે છે. વાચકને પણ પ્રામાણિક સ્પષ્ટ લેખન ગમે છે, આભાસી અને દોગલું અને શબ્દાળ અને બેઈમાન અને ઉપદેશાત્મક લેખન શું અને કેવું હોય છે એ આજના સતર્ક વાચકને ખબર છે. લેખકે વાચકના અંતરતમનાં સ્પંદનોને શબ્દો દ્વારા વાચા આપવાની છે. માટે લેખકનો શબ્દ પારદર્શક હોવો જોઈએ. કૉલમલેખક ધર્મગુરુ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને પૂછડી પટપટાવતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ 'સત્ય' એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
20મી સદીનાં અંતનાં વર્ષો અને 21મી સદીના આરંભના કાળમાં ગુજરાતી પત્રકારિતા શીર્ષસ્થ છે. કૉલમલેખકોના લાખો ગુજરાતી વાચકો છે. કૉલમલેખક હવે, જૂના સંસ્કૃતમાં અટવાતો હતો એ શબ્દ સાર્થક કરે છે: અભિપ્રાયજ્ઞ! એ 'ઓપિનીઅન-મેકર' બની ચૂક્યો છે. જનતાના વિચારોમાં વિરાટ પરિવર્તન લાવે છે, સ્વસ્થ માનસિકતાનું સંવર્ધન કરે છે, બેઝુબાન વંચિતને એક વાચા આપે છે. આજે વર્ષ 2001માં મધ્ય-અંત તરફ કર્મઠ કૉલમલેખક ગુજરાતી ભાષામાં એક શક્તિમાન પરિબળ તરીકે ઊભરી ચૂક્યો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(જય વસાવડાના પુસ્તક 'ઓહ, હિન્દુસ્તાન...આહ, હિન્દુસ્તાન!'ની ચંદ્રકાંત બક્ષી લિખિત પ્રસ્તાવનામાંથી)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-65512469716155108792016-01-21T10:57:00.000+05:302016-04-16T10:32:34.072+05:30બક્ષી સાહેબ વિશે શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન'<div style="text-align: justify;">
આ ક્ષણે યાદ આવે છે 14મી ઑગસ્ટ 2005ની સાલનો INT અમદાવાદનો મુશાયરો. મુશાયરો પૂરો થયા પછી મંચ ઉપર આર. આર. શેઠ કંપનીના ચિંતનભાઈ શેઠ સાથે ઊભો છું ત્યારે જાણીતા તસ્વીરકાર સંજય વૈદ્ય ચંદ્રકાંત બક્ષીને લઈને આવે છે. ધીમું ધીમું મીઠું મીઠું હસતા ચંદ્રકાંત બક્ષી હાથ લંબાવી 'તમારી મર્દાના રજૂઆત છે. તમારી ગઝલો ખૂબ સરસ છે.' આમ જણાવે છે. સંજય વૈદ્ય કહે છે કે બક્ષીબાબુએ સામેથી કહ્યું હતું કે રાજેશ વ્યાસની ઓળખાણ કરાવો. જેની સાથે ઓળખાણ કરવા સૌ સામેથી તક શોધતા હોય છે એવા ચંદ્રકાંત બક્ષી ગઝલના નિમિત્તે સહજ, ખૂબ પ્રેમથી મળવા આવે તે ઘટના મારે માટે ઘણી સુખદ છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીન' સાહેબના ગઝલસંગ્રહ 'એ પણ સાચું... આ પણ સાચું'ની પ્રસ્તાવનામાંથી...)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-32017087052778762612015-10-16T10:48:00.002+05:302015-10-16T10:51:54.336+05:30કહેવતો: (1) છેડો અડકે છોકરું થાય? (2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે<div style="text-align: justify;">
રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ અને વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને હવા નાખનારા બરાબર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. આપણે ત્યાં એક કૉમિક કહેવત છે કે <b>'છેડો અડકે છોકરું થાય?'</b>...જવાબ છે કે ન થાય! પણ તણખો ઊડે ભડકો થઈ શકે! લોકો હમેશાં કહેવતો દ્વારા પરમ સત્ય કહી દેતા હોય છે. ગ્યાની ઝૈલસિંઘ અને ગાંધી રાજીવનું ઠંડું યુદ્ધ બીજી એક દેશી કહેવતની યાદ અપાવે છે! લોકો કહે છે કે <b>'ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે'</b>...પણ રાજીવ ગાંધીને આ ખબર નથી. ગુજરાતીઓની શહેરી અટરલી, બટરલી, અમૂલ પેઢીને આ બધા શબ્દો ન પણ સમજાય. વેલ, સની એન્ડ હની, ડાંગ મીન્સ વાંસની લાઠી અને હાંલ્લા એટલે માટીનું વાસણ જેમાં તમારા ગ્રેન્ડ-પાની મોમ દેશમાં કઢી ઉકાળતી હતી. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન: માર્ચ 25, 1987) (રાજકારણ-2)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
[પૂરક માહિતી: રતિલાલ નાયકના કહેવતકોશ પ્રમાણે બંને કહેવતોના અર્થ આ પ્રમાણે છે:</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(1) છેડો અડકે છોકરું થાય? : </b>પાલવ પકડવાથી તરત ઘર મંડાય ને સ્ત્રી એમ ઘરમાં આવતાં સંતાનની ભૂખ ભાંગે?</div>
<div style="text-align: justify;">
<b>(2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે:</b> થોડુંક બળ પણ કેટલીક બાબતોમાં અસરકારક નીવડે.]</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-5739110053418158172015-10-16T10:00:00.001+05:302015-10-16T10:00:16.671+05:30પત્રકાર અને ઇતિહાસકાર<div style="text-align: justify;">
પત્રકાર કંઈક એવા ભ્રમમાં જીવતો હોય છે કે એ ઇતિહાસના સર્જનનો સાક્ષી હોય છે. પણ પત્રકાર ઇતિહાસકાર નથી. પત્રકાર વર્તમાનની આગળપાછળ જોઈ શકતો નથી. પત્રકારનું ગજું નથી અને ભારતીય કે ગુજરાતી પત્રકાર ઝાડના થડ પર ફરતા મંકોડાની જેમ જ રેંગતો હતો, નદીમાં રેલ આવી ગઈ એની એને ખબર ન રહી. થડ ડૂબ્યું ત્યારે સમજાયું કે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ઇતિહાસકારને વર્તમાનમાં રસ નથી, આજના સમાચાર આવતી કાલની ઇતિહાસની જમીન માટે ખાતર છે. ઇતિહાસકારને પૂર્વગ્રહ હોતો નથી એટલે એ પત્રકારની જેમ ગભરાઈ જતો નથી. ઇતિહાસકારને વ્યક્તિઓ કરતાં પ્રજામાં વિશેષ રસ હોય છે. વોટના ટોટલ કરતાં સત્તાની સમતુલામાં વધારે રુચિ હોય છે, નવી દિલ્હીની દિશામાં સૂર્યનમસ્કાર કરવા કરતાં દિલ્હીમાં પસાર થઈ ગયેલા યુગો અને યુગપુરુષો સાથે આજના ઇતિહાસનું તુલનાત્મક અધ્યયન કરવામાં ગહરી દિલચસ્પી હોય છે! પત્રકાર કરતાં ઇતિહાસકાર વધારે પુખ્ત અને પરિપક્વ છે. એનું સત્ય ચોવીસ કલાકનું નહીં, પણ ચોવીસ સદીઓનું સત્ય છે. એને ત્રિકાળમાં રસ નથી, એને દ્વિકાળ અથવા બેકાળમાં રસ છે - અને એ છે ભૂત અને ભવિષ્ય!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સંદેશ, 1980) (રાજકારણ-2)</div>
Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-8697349627080620495.post-90024338400412056792015-10-16T09:34:00.001+05:302015-10-16T09:34:31.727+05:30રાજા વિ. કાનૂન <div style="text-align: justify;">
ઓગણીસમી સદીમાં અબ્રાહમ લિંકને વ્યાખ્યા આપી હતી કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોની રાજ-વ્યવસ્થા! મારી દ્રષ્ટિએ લોકશાહી એક જ શબ્દમાં આવી જાય છે: 'એકાઉન્ટેબિલીટી' અથવા વિશ્વસનીયતા! તમારા સુકર્મો કે કુકર્મોને માટે તમે જવાબદાર છો, તમારું ઉત્તરદાયિત્વ છે, તમને પ્રશ્ન પૂછવાનો જનતાને અધિકાર છે. તમે મનસ્વી નથી, તમે રાજા નથી, તમે માત્ર પ્રજાપતિ છો. જો પ્રેઝીડેન્ટને માટે રાષ્ટ્રપતિ શબ્દ વાપરીએ તો ગવર્નર કે ચીફ મિનિસ્ટરમાંથી એકને માટે પ્રજાપતિ શબ્દ વાપરવો જોઈએ.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સત્તા પર બેઠેલા ગમે તે માણસની મૂર્ખતાનો દુર્જન લાભ ઉઠાવી શકે છે, પણ સત્તા પર બેઠેલા દુર્જનની પ્રજાને મૂર્ખ બનાવવાની બદદાનતને પ્રજાવાદમાં સીમા બાંધેલી છે. ભારતના સંવિધાનમાં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિની શક્તિઓની પણ મર્યાદા બાંધેલી છે. કાયદો એટલે જ અમર્યાદ સ્વાતંત્ર્ય પર મર્યાદાની લગામ! જે માણસ પ્રામાણિક છે એ કાયદો સ્વીકારીને પોતે જ પોતાના પર પ્રતિબંધ મૂકે છે અને મર્યાદા બાંધે છે. રામાયણના મર્યાદા-પુરુષનો એવો જ કાંઈ અર્થ હશે. અંકુશનું સંતુલન સંવિધાનના પાયામાં છે. એલજીબ્રાના દાખલાની જેમ સત્તા અને શક્તિના સમીકરણો સામસામાં અને સરખાં ગોઠવાય તો જ રાજતંત્ર ચાલી શકે. ચાબુક એક્સીક્યુટીવના હાથમાં છે, પણ લગામ જ્યુડીશીઅરી પાસે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આજે ભારતીય પ્રજાવાદમાં શાસન (એક્સીક્યુટીવ) અને ન્યાય (જ્યુડીશીઅરી) એકબીજાના પૂરક થવાને બદલે વિરોધક થઈ ગયા છે. શાસન અને ન્યાય છૂટા રહેવા જોઈએ એવું સંવિધાનના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખ્યું છે. પણ એ પક્ષ અને વિપક્ષ નથી. આ બે વચ્ચેની સીમારેખા સ્પષ્ટ છે પણ મજબૂત અથવા મૂર્ખ અથવા ગાંડો શાસક આ ભૂંસી નાખે છે. ક્યારેક ન્યાયાલય મજબૂત અને લોકપ્રિય શાસકને પણ અકારણ અકળાવે છે ત્યારે જવાહરલાલ નહેરુ જેવાએ પણ કહ્યું હતું: <i>સુપ્રિમ કૉર્ટ એ સંસદનું ત્રીજું ભવન નથી, એ માત્ર સુપ્રિમ કૉર્ટ છે. એણે સંસદના ત્રીજા ભવન થવાની ગુસ્તાખી કરવી જોઈએ નહીં.</i></div>
<div style="text-align: justify;">
<i><br /></i></div>
<div style="text-align: justify;">
પણ એ દિવસો જુદા હતા. ઘરના કરોડો રૂપિયા અને જવાનીનાં તેર વર્ષોનો જેલનિવાસ દેશને સમર્પણ કરીને આવતા પારસમણિ જેવા સ્વચ્છ જવાહરલાલ નેહરુ જેવા દેશનેતાઓ હતા. 1928 અને 1982 વચ્ચે બધું જ ઊંધુચત્તું થઈ ગયું છે - આંકડાઓની જેમ!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આ દેશના ઇતિહાસે વિવિધ પ્રકારના સેંકડો શાસકો જોયા છે - હુકમ કરનારા અને જોહુકમી સહન કરનારા, ઉમદા અને ઉલ્લુના પઠ્ઠા, કલાકારો અને કમબખ્તો, સૂર્યવંશી અને સુવ્વરની ઔલાદો, સંતો અને શયતાનો! ભારતીય પ્રજાએ સદીઓનો અનુભવ પચાવ્યો છે. જેમના વ્યક્તિત્વમાં વિરાટ વિરોધાભાસ છે એવા ઔરંગઝેબો પણ આલમગીરો બનીને પસાર થઈ ગયા છે! ઔરંગઝેબ ભયાનક ઝુલ્મગાર હતો, સગાઓનું ખૂન વહાવનારાઓમાં એનો મુકાબલો નથી...અને એ એટલો ખાનદાન માણસ હતો કે દુનિયા એને "આલમગીર ઝિન્દા પીર" કહેતી હતી! દક્ષિણમાં ચડાઈ વખતે એની પત્ની રૂબિયા બેગમને પ્લેગ થયો ત્યારે એણે સરકારી ખજાનામાંથી પૈસો વાપર્યો ન હતો! એનું વિધાન હતું કે આ ધન સરકારી છે, મારું નથી! ફળ એ આવ્યું કે રૂબિયા બેગમ પ્લેગમાં મરી ગઈ...! સારા અને ખરાબનું આવું વિચિત્ર મિશ્રણ બહુ ઓછા મનુષ્યોમાં જોવા મળે છે...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ન્યાય સંપૂર્ણ નથી પણ એમાં સદીઓના ડહાપણનું ચયન હોય છે એમ મનાય છે. ન્યાયની ધુરા પર રાષ્ટ્રો ઊભાં રહે છે. ન્યાય ભૂલો કરે છે એ સાચું છે પણ સિદ્ધાંતો ખોટા નથી. ગરમીથી પારો ફેલાઈ જાય છે એ ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે. પણ જો એક થરમોમિટરમાં ગરમી આપવા છતાં પારો ફેલાય નહીં તો એ થરમોમિટર ખોટું છે, પારાની વૃદ્ધિનો સિદ્ધાંત ખોટો નથી! આવું જ કંઈક ન્યાયનું, ન્યાયાલયનું, ન્યાયાધીશનું છે. આ ઇતિહાસબોધ છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પ્રામાણિકતાનો હ્રાસ થઈ શકે છે, તદ્દન લોપ થઈ જતો નથી! અને સમાજકારણમાં જ નહીં પણ રાજકારણમાં પણ આ સિદ્ધાંત વજ્રલેપની જેમ ઊભો છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ગુજરાત સમાચાર, 1982)
</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(રાજકારણ-1)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-29038035300843035372015-10-15T19:47:00.003+05:302015-10-15T19:47:45.186+05:30લઘુમતી શબ્દ હવે જૂનો થઈ ગયો છે!<div style="text-align: justify;">
લઘુમતી એટલે? જેમની સંખ્યા ઓછી છે! કેટલી ઓછી? એક ટકો વસતી લઘુમતી કહેવાય પણ દસ ટકા, પંદર ટકા, અઢાર ટકા લઘુમતી કહેવાય? તેત્રીસ ટકા, અડતાલીશ ટકાને લઘુમતી કહેવાય? ભારતના રાજકારણમાં લઘુમતી શબ્દ મહત્ત્વનો છે, કારણ કે લઘુમતીના મત વહેંચાઈ જતા નથી પણ સામાન્ય રીતે એક સાથે જ આવે છે! અને અભ્યાસથી એવું પણ સમજાયું છે કે લઘુમતીના સ્ત્રી-મતો લગભગ સો ટકા એક જ પક્ષ અથવા વિચારધારાને મળે છે. અને એમાં પણ જ્યાં પ્રજા અભણ કે અર્ધશિક્ષિત હોય અને એ પ્રજાનું શિક્ષણધોરણ તદ્દન નીચું હોય ત્યાં 'બ્લૉક વોટિંગ' અથવા એકપક્ષી સમૂહ મતદાન થાય છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
લઘુમતી શબ્દે ઘણી વિચિત્રતા પેદા કરી છે. ભારતમાં લઘુમતી ગ્રંથિ નામની વસ્તુ પણ હવે પેદા થઈ ગઈ છે જે લઘુતાગ્રંથિથી જરા જુદી છે! લઘુતા અથવા હીનતાની ભાવનાથી વ્યક્તિ ક્યારેક વધારે શાંત થઈ જાય છે પણ લઘુમતીની ગ્રંથિમાં લઘુમતી વધારે અસલામત, આગ્રહી કે આક્રમક બનવાના લક્ષણો દેખાય છે. લઘુમતી પોતાના ધાર્મિક, ભાષાકીય, કે ભૌગોલિક અધિકારો વિષે વધારે સતર્ક અને સભાન બની જાય છે. માનસશાસ્ત્રની ભાષામાં લઘુમતી વધારે ભાવુક અને સંવેદનશીલ બને છે અને એનો આવેશ હિંસારેખાની નીચે જ ઘૂંટાતો હોય છે... </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકામાં હવે 'લઘુમતી-બહુમતી' શબ્દો વપરાતા નથી. પહેલાં અમેરિકા 'મેલ્ટીંગ-પોટ કહેવાતું હતું, બધી જાતિઓ અહીં આવીને ઓગળીને એકરસ બનીને અમેરિકન બની જતી હતી. હવે અમેરિકાના વિચારકો એમ માને છે કે આ એકરસ થઈ ગયેલી વસ્તુ અમેરિકા નથી પણ અમેરિકા એક મોઝેઈક છે - જુદા જુદા રંગોવાળા આરસના ટુકડા ફીટ કરવાથી જે ડિઝાઈન બને છે એ ડિઝાઈન છે! એમાં દરેક રંગનું મહત્ત્વ છે. દરેક રંગની જુદાઈ અને એની અલગતા ગર્વ લેવાની વસ્તુ છે, કોઇ પ્રજા બહુમતીમાં નથી, દરેક જાતિનું પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ અને યોગદાન છે! ભારતમાં પણ ભાવનાત્મક ઐક્યની આપણે વર્ષો સુધી વાતો કરી પણ આચરણમાં બહુ પ્રગતિ કરી શક્યા નહીં. એકચક્રી શાસનનો પ્રયોગ એ સમયે ઠીક હતો પણ હવે એમાં તિરાડો દેખાય છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કાશ્મીરને નિયમિત પંપાળવું પડે છે, શીખ અકાલીઓ અલગતાવાદના માર્ગ પર છે, આસામ-મીઝોરમ-નાગાલેન્ડ, મણિપુર-ત્રિપુરાના પ્રશ્નો હવે આપણને દઝાડે એવા ભડકી રહ્યા છે, બંગાળના કમ્યુનિસ્ટો સાફ આરોપ મૂકે છે કે કેન્દ્ર બંગાળને એક કોલોની અથવા સંસ્થાન સમજી રહ્યું છે, દક્ષિણમાં તામિલનાડુ પંદર વર્ષોથી 'મદ્રાસી' સ્થાનિક પક્ષોના હાથમાં જ છે, આંધ્રમાં રામરાવની તેલુગુ દેશમની તરવાર ઊભી જ છે, કર્ણાટકમાં કન્નડા-રંગાનું આંદોલન છે, કેરાલા ક્યારેય કેન્દ્રની એડી નીચે સતત રહ્યું નથી! આ ભૌગોલિક 'લઘુમતીઓ'નું ચિત્ર છે. કદાચ અમેરિકાની જેમ ભારતે પણ હવે 'મેલ્ટીંગ પૉટ'ના સ્થાને 'મોઝેઈક'નો વિચાર કરવાનો સમય આવી ગયો છે. 'ભાવનાત્મક ઐક્ય'ને બદલે 'ભાવનાત્મક વૈવિધ્ય'નો વિચાર આજના સમયમાં યોગ્ય લાગી રહ્યો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સ્થાનિક દ્રવિડ પક્ષોના હાથમાં રહેવાથી તામિલનાડે છેલ્લા પંદર વર્ષોમાં પ્રગતિ કરી નથી? હરિયાણા અને ગુજરાત છૂટા પડ્યા પછી આજ વીસ-પચીસ વર્ષોમાં ભારતનાં પ્રથમ રાજ્યો બની ગયાં છે! દુનિયામાં વસેલા ભારતીયોમાંથી ગુજરાત, કેરાલા અને પંજાબના લોકોને બાદ કરી નાંખો તો શું રહે? ટૂંકા સમયમાં વધારે પ્રગતિશીલ થવું જ પડે છે... અને આંધ્ર પ્રદેશની જેમ ભાવનાત્મક ઐક્યની ગુડ્ઝ ટ્રેનના ડબ્બા થવા કરતાં નાનકડા ગોવાની જેમ ડીલક્ષ બસ થવું શું ખોટું? ગોવાને મહારાષ્ટ્રમાં ડુબાડી દીધું હોત તો ગોવા કદાચ આટલી પ્રગતિ કરી શકત કે નહીં એ પ્રશ્ન છે. જાતિય વૈવિધ્યને બદલે હવે શાંતિથી વિચારવાનો સમય ભારતીય રાજનીતિમાં આવી ગયો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકા આ બાબતમાં બહુ તંદુરસ્ત વિચારો કરી શકે છે. ત્યાં બહુમતી નથી. મૂળ અંગ્રેજ આવેલા જે વસતીમાં આજે પંદર ટકા જેટલા છે. જર્મન રક્તવાળા અમેરિકન તેર ટકા છે, હબસી અથવા નીગ્રો અગિયાર ટકા છે. આજે અમેરિકામાં આયરલેન્ડ કરતાં વધારે આયરીશ છે, ઈઝરાયલ કરતાં વધારે યહૂદીઓ રહે છે અને આફ્રિકાના કેટલાય દેશો કરતાં વધારે હબસીઓ રહે છે. ઈટલીના વેનિસ નગર કરતાં વધારે ઈટાલીઅનો ન્યૂયોર્કમાં છે અને પોલેન્ડના કેટલાંય શહેરો કરતાં વધારે પોલ લોકો ડેટ્રોઈટમાં વસે છે! 1965 પછી અમેરિકામાં વિચારો બદલાયા છે અને જાતિવાદની જુદાઈને હવે પ્રોત્સાહન મળતું જાય છે. હવે લઘુમતી કે 'માઈનોરીટી'ને બદલે જાતીય કે 'ઍથ્નિક' શબ્દ વપરાવા માંડ્યો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ભુજ કરતાં વધારે કચ્છીઓ મુંબઈમાં રહે છે અને રાજકોટ કરતાં વધારે કાઠિયાવાડીઓ મુંબઈમાં રહે છે! અને અમદાવાદ કરતાં વધારે ગુજરાતીઓ પણ મુંબઈમાં વસે છે! એક અનુમાન પ્રમાણે છવ્વીસથી અઠ્ઠાવીસ લાખ ગુજરાતીઓ મુંબઈમાં છે. આટલી મોટી સંખ્યાને લઘુમતી કહેવાય! અથવા કહેવાવી જોઈએ? ગોવા કરતાં વધારે કૅથલિક અને કેરાલાનાં મોટાં શહેરો કરતાં વધારે મળયાળી પ્રજા મુંબઈમાં છે. આ બધાના વિવિધ જાતિ મોઝેઈકને લીધે મુંબઈ ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાવનાત્મક ઐક્યનું બુલડોઝર ફરી જાય તો મુંબઈ કલકત્તા બની જાય! અમેરિકા પ્રગતિ કરી શક્યું છે કારણ કે એ દરેક પીડિતની માતૃભૂમિ છે - હંગેરીથી, પૂર્વ યુરોપથી, વિયેતનામથી, ચીનથી દુનિયાને છેડેથી માણસ આવ્યો અને અમેરિકામાં એને સ્વતંત્રતા મળી! પોતાની ઇચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા, પોતાની ઇચ્છા પ્રમાણે ધર્મ પાળવાની અને પરણવાની સ્વતંત્રતા...! અને અમેરિકામાં લઘુમતી નથી, બહુમતી નથી. સાચા અર્થમાં અનેકતામાં એકતા છે!...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(રાજકારણ-1)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-4159673628763957622015-10-05T09:20:00.000+05:302015-10-05T09:20:09.729+05:30ભાષણ, સંભાષણ અને અભિભાષણ<div style="text-align: justify;">
ઈન્દિરા ગાંધી પંદર વર્ષથી પ્રધાનમંત્રી છે અને એમણે દસ હજાર પ્રવચનો આપ્યાં હશે (દિવસના સરેરાશ બેને હિસાબે) પણ ભાગ્યે જ એમનું કોઇ વાક્ય મશહૂર થયું હશે! જે માણસો એમને તરત પ્રવચનો લખી આપતા હોય એમને તરત પાણીચું આપી દેવું જોઈએ. હજી વક્તા તરીકે ઈન્દિરા ગાંધી ઇતિહાસમાં સ્થાન પામે એવું એક પણ વાક્ય બોલ્યાં નથી!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આ મતલબની વાત હમણાં એમના પ્રશંસક ખુશવંતસિંહે લખી છે, અને શ્રીમતી ગાંધીના એકકાલીન તરફદાર અંગ્રેજ જેમ્સ કેમેરોને પણ આમ જ લખ્યું છે એવો ખુશવંતસિંહે હવાલો આપ્યો છે જે લોકોએ ભારતના મહાન વક્તા-દેશનેતાઓને સાંભળ્યા છે એમને આ વાત સાચી લાગશે. ઈન્દિરા ગાંધી પાસે વક્તાની તેજસ્વી આભા કે ઝલઝલા પેદા કરે એવી ધારદાર ભાષા કે ઇતિહાસમાં પાનાં પર અંકિત થઈ જાય એવાં વાક્યો નથી! નેહરુની બેટી પાસે નેહરુની ગજબનાક વક્તૃત્વશક્તિની છાયા પણ આવી નથી એ હકીકત છે...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
હિન્દુસ્તાનમાં છેલ્લાં ચાળીસ વર્ષોમાં કેટલાક મહાન રાજનેતા વક્તાઓ વ્યાખ્યાતાઓને સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે, આજે રેડીઓ અને ટીવીના સમાચાર વાંચનારાઓ બોલે છે ત્યારે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના ભાષણને માટે 'સંભાષણ' કે 'અભિભાષણ' જેવા શબ્દો વાપરતા સાંભળ્યા છે. એ જમાનામાં જ્યારે મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નેહરુ દેશના નેતાઓ હતા ત્યારે ફક્ત ભાષણો થતાં હતાં. હજી સુધી અભિભાષણનો અર્થ સમજાયો નથી. કદાચ રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ બોલે છે એને અભિભાષણ કહેતા હશે. ઝૈલસિંઘ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને શપથ ગ્રહણ કર્યા ત્યારે એમણે કહ્યું હતું; 'હમ પરગતિ કરેંગે! (એમનું કહેવું હતું: 'હમ પ્રગતિ કરેંગે!) પ્રગતિમાંથી પરગતિ થઈ જાય એને અભિભાષણ કહેવાય એમ લાગે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
1947માં ગાંધીજીને કલકત્તા પાસેના સોદપુર આશ્રમમાં સાંભળ્યા હતા. ગાંધીજીને સાંભળવાનો એ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. પ્રાર્થના સભામાં જ્યુથિકા રેએ ભજન ગાયું હતું. પછી ગાંધીજીએ પ્રવચન આપ્યું હતું. એ 'સ'નો ઉચ્ચાર કરી શકતા ન હતા અને 'શ' સંભળાતું હતું પણ વિચારોની સ્પષ્ટતા અને સંતુલન સમજવાની ઉંમર ન હોવા છતાં એ દ્રશ્ય, એ મુદ્રા, ગાંધીજીનું આગમન અને ગમન બધું જ સ્મૃતિપટ પર અંકિત છે! પછી ગાંધીજીના પ્રવચનો વાંચ્યાં ત્યારે થયું કે વિચારની પારદર્શકતા, ભજનની સાદગી અને મહામાનવની સહજતા એમનાં વાક્યોમાં સનાતન રહેશે. એ સામાન્ય વક્તા હતા પણ એમની અસર અસામાન્ય થતી હતી... સાદાઈ અને ભાષાની સરળતામાં ગાંધીજીની યાદ આપે એવાં પ્રવચનો લાલબહાદુર શાસ્ત્રીના હતાં, જે ગાંધી જયંતિને દિવસે જ જન્મ્યા હતા! 1965ના પાકિસ્તાન યુદ્ધ પછી એમને કલકત્તામાં સાંભળ્યા હતા. રામાયણ વાંચતા હોય એ રીતે એ બોલતા પણ દરેકેદરેક શબ્દ સંભળાતો અને પ્રયત્ન વિના સમજાતો. ગરીબી, અને પોતાની ગરીબીની વાત પણ એમણે રમૂજથી કરી હતી. એમના અવાજમાં સચ્ચાઈ લાગતી હતી. વક્તા તરીકે કમજોર પણ વ્યક્તિ તરીકે વિશ્વાસપાત્ર લાગે એવો એમનો સ્વર હતો.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
જવાહરલાલ નેહરુને પ્રથમ 1945 કે 1946માં કલકત્તાના ખેંગરાપટ્ટી મેદાનમાં સાંભળ્યા હતા. આજે એ મેદાન પણ રહ્યું નથી. નેહરુના અવાજની ખરાશ, નેહરુનો ગુલાબી મિજાજ, નેહરુની ઝાગદાર હિન્દુસ્તાની ભાષા, નેહરુનો ગુસ્સો એ પહેલી મિટીંગમાં જ જોઈ લીધો. પછી નેહરુને ઘણીવાર સાંભળ્યા, બે વાર તદ્દન નિકટથી દસેક ફીટના અંતરથી સાંભળવાનો મોકો મળ્યો. દરેક પ્રવચન (અંગ્રેજી) એ શરૂ કરતા: 'ફ્રેન્ડ્ઝ ઍન્ડ કૉમરેડ્ઝ!' એમના ઉચ્ચારણમાં જબરી મીઠાશ હતી: ગવર્મેન્ટનો ઉચ્ચાર 'ગમ્મેન્ટ' જેવો થતો. એ અવાજમાં પાગલ કરી મૂકે એવું ચુંબકીય ખેંચાણ હતું - ખૂબસૂરત, વિદ્વાન, સશક્ત, કરોડપતિનો એકનો એક બેટો જેણે બાર વર્ષો અંગ્રેજોની જેલોમાં ગાળ્યાં હતાં એ જવાહરલાલ આઠ વર્ષના બાળકથી એંશી વર્ષના વૃદ્ધ સુધી દરેકને હચમચાવી શક્યા હતા...ફક્ત અવાજથી! એમની પ્રવચન આપવાની સ્ટાઈલ પર એક આખું પ્રવચન આપી શકાય એટલાં પ્રવચનો નેહરુની ઝબાનથી સાંભળ્યાં છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સન 15 ઑગસ્ટ 1947ની રાતે એમણે દિલ્હીની સંસદસભામાં હિન્દુસ્તાન આઝાદ થઈ રહ્યું હતું એ ક્ષણે આપેલું ધબકતું પ્રવચન પાલનપુરમાં રેડિયો પર સાંભળ્યું હતું અને 30 જાન્યુઆરી 1948એ ગાંધીજીની હત્યાની રાત્રે નેહરુ બોલ્યા હતા એ આખું પ્રવચન નેહરુના રડવાના અવાજ સાથે બરાબર સાંભળ્યું છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
1971ના યુદ્ધની શરૂઆત થઈ એ રાત્રે બારેક વાગે ઈન્દિરા ગાંધીએ જે વાયુ પ્રવચન આપ્યું હતું એ કદાચ એટલું જ યાદગાર હતું - શબ્દોની દ્રષ્ટિએ નહીં પણ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ભુવનેશ્વરમાં 1959માં ડૉ. રાધાકૃષ્ણનને નિકટથી સાંભળ્યા હતાં. ભાષાનું પ્રભુત્વ અને અવાજનું માધુર્ય રાધાકૃષ્ણન જેવું ભાગ્યે જ કોઈનું જોયું સાંભળ્યું છે. રાધાકૃષ્ણનની વાણી માટે 'અસ્ખલિત' શબ્દ જ વાપરી શકાય. તે તદ્દન સફેદ વસ્ત્રો પહેરતા અને ગોરા હતા. ભારતે એમની કક્ષાના વક્તાઓ બહુ ઓછા પેદા કર્યા છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સરદાર પટેલને એમના અવસાન પૂર્વે 1949માં સાંભળ્યા હતા. એમની તબિયત અસ્વસ્થ હતી. હિંદી પણ ગુજરાતીની છાંટવાળું લાગે પણ ખરેખર સ્પષ્ટ વક્તા! અને લોકો ધ્યાનથી એકેએક શબ્દ સાંભળે. વાતો કરતા હોય એટલી નિકટતાથી એ પ્રવચન આપતા.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
1945માં જયપ્રકાશ નારાયણ છૂટીને આવ્યા ત્યારે યુવાપેઢીના હીરો હતા! ખૂબસૂરત, ઊંચા અને નેહરુ પછી બીજા સૌથી લોકપ્રિય નેતા! એમને ઘણીવાર એ અરસામાં સાંભળેલા. ડૉ. રામમનોહર લોહિયા, કલકત્તાના કૉફી હાઉસમાં આવીને બેસતા, ગમે તે માણસ ખુરશી ખેંચીને જોડાઈ શકે! એ લાભ પણ મળ્યો હતો - લોહિયા એકલા જ બોલ્યા કરે બાકી બધાએ સાંભળ્યા કરવાનું - પણ મહાન, મેધાવી, તેજસ્વી માણસ! મોતના સમાચાર સાંભળીને ગળું ભરાઈ આવે એવું વ્યક્તિત્વ! અશોક મહેતા ખૂબ જ સરસ ઉર્દૂ બોલતા.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આર.એસ.એસના ગુરૂજી ગોલવાલકરને સાંભળ્યા છે અને વીર સાવરકરને પણ બે વાર સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. સાવરકર બહુ ઠીંગણા હતા પણ એમના સ્વરમાં જે રોષ અને આક્રોશ હતાં એવાં બહુ ઓછા વક્તાઓમાં સાંભળ્યાં છે! એ નાશિકની મિલિટરી સ્કૂલમાં અમને પ્રવચન આપવા આવેલા.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
શેખ મુજીબ છૂટીને ઢાકા ગયા ત્યાં જે ઐતિહાસિક ભાષણ કરેલું એ રેડિયો પર સાંભળ્યું છે. એવું જ એક ભાષણ મુજીબે કલકત્તામાં આપેલું, અને શરૂઆત કરેલી: 'ભાયેરા અમારા!' (ભાઈઓ મારા!) આવાં ભાષણો અને વક્તાઓને સાંભળ્યા અને જોયા પછી ઈન્દિરા ગાંધી જરા કમજોર લાગે છે. 'ઈન્દિરા પ્રિયદર્શિની' નામ જવાહરલાલે એમની બેટી માટે પાડ્યું હતું! દર્શન આપવામાં આજે પણ શ્રેષ્ઠ છે પણ ભાષણ આપવામાં એ હજી 'પ્રિયભાષિણી' થઈ શક્યાં નથી એનો જરાક રંજ છે...!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
('રાજકારણ-1'માંથી)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-42020233104369367172015-10-05T08:19:00.000+05:302015-10-05T08:19:05.122+05:30ચૂંટણી અને ફિલ્મ કલાકારો<div style="text-align: justify;">
નિર્વાચન એક એવો સમય હોય છે જ્યારે આંખોમાંથી વિસ્મય અને કાનમાંથી અશ્રદ્ધા ભૂંસી નાખવાનાં છે. બધું જ ઉચિત છે, બધું જ સંબદ્ધ છે. બધું જ બોલી શકાય છે. દુશ્મન દુશ્મન છે - નિર્વાચનમાં પરિણામો જાહેર થઈ જાય ત્યાં સુધી! એની બધી જ ભૂલો, એબો, ખરાબીઓ પર્દાફાશ કરવાનાં છે, અને શેષ કરી નાંખવાનો છે, પરાસ્ત કરવાનો છે, એનું ચારિત્ર્ય તોડી ફોડીને ખતમ કરી નાખવાનું છે. એને જીતવાનો છે. પણ પરિણામો જાહેર થઈ ગયા પછી આ આપણા પક્ષમાં આવી જશે. પાટલી બદલુ કહો કે 'ટોપી બદલ ભાઈ' કહો એ આપણા પક્ષમાં આવી જશે. એટલે શુદ્ધ થઈ જશે! બહુમતી બધાને શુદ્ધ કરી નાંખે છે...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બહુમતી શાસકપક્ષની હોય તો હમેશાં એકવચનમાં જ બોલતી હોય છે. વિરોધીને ચૂંટણીમાં જીતી ન શકાય તો ગભરાવાનું નથી. ચૂંટણી પછી પણ એને જીતી શકાય છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ખેર, આ નિર્વાચન મજાનું છે. વધારે રંગીન અને વધારે વૈવિધ્યવાળું છે. ભારતનાં લગભગ બધાં જ સમાચાર પત્રો અને સામયિકો સૌથી મહત્ત્વ આપી રહ્યાં છે: ફિલ્મી સિતારાઓને! એમની કવર-સ્ટોરીઓ આવી ગઈ છે. ધોધ વહી ગયો છે. ફિલ્મી સિતારાઓ રાષ્ટ્રીય ચૂંટણીમાં પહેલીવાર આવી ગયા છે એવું નથી. 1952માં જ્યારે પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી થઈ હતી ત્યારે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા માટે એક મહાન ફિલ્મી સિતારાએ ઝુકાવ્યું હતું અને એ મહાન સિતારાને બે હજાર વોટ પણ મળ્યા હતાં! એ મહાન સિતારાનું નામ: રાજ કપૂર!
</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આજે બત્રીસ વર્ષ પછી ભારતનું ચિત્ર બદલાયું છે. રાજ કપૂરનો વારસો આજે અમિતાભ બચ્ચન અને સુનીલ દત્ત અને વૈજયંતિમાલા સંભાળે છે. એક મત એવો પ્રવર્તે છે કે આપણા રાષ્ટ્રજીવનનું આ ઘોર અવમૂલ્યન થઈ ગયું છે કે આપણે ફિલ્મી નટનટીઓને પકડી લાવવા પડે છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કરોડો રૂપિયા કમાનારા, ટેબલની ઉપરથી અને નીચેથી રૂપિયા લેનારા, શરાબો અને સુંદરીઓ સાથેની કચકડાની જિંદગી પડદા પર ભજવનારા, હજારો રૂપિયા પાણીની જેમ વહાવનારા ગરીબીને હટાવવાની વાત કરી રહ્યાં છે. ઍક્ટિંગ ક્યાં શરૂ થાય છે અને ક્યાં અટકે છે? હસવું કે રડવું એ નક્કી કરવું પણ મુશ્કેલ છે! અમિતાભ માટે જગતના ડૉક્ટરો મુંબઈ આવ્યા હતા, સુનીલ દત્તની પત્નીને ન્યુયોર્કમાં સારવાર અપાઈ હતી. કદાચ આપણે જેને ગરીબી સમજીએ છીએ અને આ કલાકારો જેને ગરીબી કહે છે એ બે જુદી વસ્તુઓ છે. આપણી ગરીબી એક ઘટના છે. એમની ગરીબી એક રચના છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ગુજરાત સમાચાર: 1985) (રાજકારણ-1) </div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-47527695980976880482015-10-05T07:44:00.001+05:302015-10-05T07:44:11.174+05:30માણસ વાંદરામાંથી આવ્યો છે?<div style="text-align: justify;">
'તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે. તમે હશો, હું નથી. આ એક જૂઠ છે. તમે લોકોએ બનાવ્યું છે. તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે તો મને કહો કે પોપટ કોનો બેટો છે? પોપટ કેવી રીતે આવ્યો? એની ચાંચ અને લીલાં પીછાં હજી એવાં જ કેમ રહ્યાં છે? અને વાંદરા બદલાઈ જાય, એમની પૂંછડીઓ ખરી પડે અને એ માણસ બની જાય તો કહો કે હજુ એ શા માટે જીવતા રહ્યા છે? તમારા પછી કેમ કોઇ ફેરફાર થયો નથી? અજંતા ઈલોરા જુઓ, આપણી જૂની ગુફાઓ જુઓ...બુદ્ધની મૂર્તિ જુઓ. આપણા કરતાં એમનો ચહેરો વધારે સ્વરૂપવાન છે. એ વાંદરાના બેટા છે? તદ્દન બકવાસ-'</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
- રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ, ચંડીગઢમાં ભરાયેલા નૃવંશશાસ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં.</div>
<div style="text-align: justify;">
(રાજકારણ-1માંથી)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-71850864602636772002015-10-05T07:38:00.000+05:302015-10-05T07:38:03.012+05:30રાજાને મીઠું જોઈએ છે! (ઈરાની લોકકથા)<div style="text-align: justify;">
એકવાર આચાર્ય કૃપલાનીએ કેન્દ્રની સંસદમાં એક પ્રસંગ કહ્યો હતો. આ પ્રસંગ એક ઈરાની લોકકથા છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. એણે જંગલી મુર્ગાઓ માર્યા, પકાવ્યા, ખાવા બેઠા ત્યારે રાજાને નિમકની જરૂર પડી! જંગલમાં નિમક કે મીઠું લેવા માણસો દોડાવતાં પહેલાં રાજાએ એ માટે માણસોને પૈસા આપવા માંડ્યા. વઝીરે કહ્યું: શહંશાહને થોડું નિમક જોઈએ એ માટે પૈસા ખર્ચવાના ન હોય! રાજાએ કહ્યું: શહંશાહે કોઇ વસ્તુ મફતમાં લેવી નહીં. નિમકના પણ પૈસા આપી દેવાના! જો હું મીઠાના પૈસા નહીં આપું તો મારી નીચેના માણસો આખો મુર્ગો જ મફત લઈ આવે એવો દિવસ આવશે!...જો ભ્રષ્ટાચાર રોકવો હોય તો રાજાએ નિમક પણ ખરીદીને લેવું, મફતમાં કંઈ જ લેવું નહીં...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કાયદો માનવો અને કાયદાને તાબે થવું રાજાના હિતમાં છે, રાજા નાનો કાયદો પાળશે તો પ્રજા મોટો કાયદો પાળશે! </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
('રાજકારણ-1'માંથી)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-24746602675208640312015-10-05T07:00:00.003+05:302015-10-05T07:00:55.632+05:30કમિટી, કમિશન ઈન્કવાયરી: કંઈક બળવાની વાસ આવી રહી છે<div style="text-align: justify;">
કમિટીવાદ ભારતીય રાજકારણનું નવું કલ્ચર છે. લઠ્ઠો પીને માણસો મરી ગયા છે - કમિટી નીમો! ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બદમાશીઓ કરી છે - કમિટી નીમો! એર ઈન્ડિયાનું હવાઈ જહાહ તૂટી ગયું - વન મેન કમિશન નીમો! રેલ્વે અકસ્માત હોય કે હિંદુ મુસ્લિમ હુલ્લ્ડ થઈ જાય, રાજનેતાઓ પાસે ગરમાતા જનમતના ફુગ્ગામાંથી હવા કાઢી લેવા માટેની પીન છે: તપાસ, જાંચ, પડતાલ, ઈન્કવાયરી! ત્રણ, ચાર, છ માસમાં જનતા બધું જ ભૂલી જશે. કમિટી, કમિશન, તપાસ પંચોનું એક વિરાટ જગત છે. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓમાં એમ.એ.ના રાષ્ટ્રવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આ કમિટીવાદ વિષે એક પચાસ માર્કનો પેપર રાખવો જોઈએ!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કમિશન નીમવાના ફાયદા પણ છે. એનાથી સમસ્યા મુલત્વી રાખી શકાય છે. કમિશનનો રિપોર્ટ આવે છે ત્યાં સુધી લોકો વાત ભૂલી ગયા હોય છે, એ સમસ્યાનું મહત્ત્વ ખતમ થઈ ગયું હોય છે અથવા નવી અને વધારે ગંભીર સમસ્યાઓ પ્રકટ થઈ ચૂકી હોય છે. વિરોધી પક્ષો અને જનતાનો તાપ કામચલાઉ દૂર કરવા માટે કમિશન એક આદર્શ પ્રશાસનિક વ્યવસ્થા છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કમિશનમાં કોણ નિમાય છે? સામાન્ય રીતે નિવૃત્ત ન્યાયાધીશોને એ કામ સોંપાય છે. એમનું પ્રવાસભથ્થું, નિવાસભથ્થું અને પગાર અથવા કંઈક કામચલાઉ સાલિયાણા પ્રકારનું મળે છે. કેટલાક કમિશનો ખરેખર અભ્યાસ કરીને ગોપનીય માહિતી બહાર લાવે છે અને સ્તુત્ય સેવા કરે છે. પણ પછી કેટલાકને માટે એ નિવૃત્તિ પછીની ઉપકારક પ્રવૃત્તિ બની જાય છે, આવકનું એક સાધન બને છે. એમના કમિશનના કામમાં જેટલો વિલંબ થાય એટલો એમની સગવડો-સુવિધાઓ અને આમદનીમાં વધારો થતો રહે છે. સમય નક્કી હોય છે અથવા નથી હોતો, અને અમર્યાદ શક્યતાઓ છે આ કમિશનનું કામ વધી જવાની!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન, મે 3, 1987) ('રાજકારણ-1'માંથી)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-37280812346053273372015-04-01T21:04:00.000+05:302015-04-02T07:56:05.195+05:30બક્ષીબાબુની લાઈબ્રેરી વિશે...<div style="text-align: justify;">
<b><i>6 ડિસેમ્બર 2004નાં રોજ ચિત્રલેખામાં પ્રગટ થયેલા એક લેખના અંશો (આ લેખ ગુજરાતના વરિષ્ઠ ચિંતકો, લેખકોના અંગત પુસ્તકાલય વિશે હતો):</i></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બક્ષીબાબુની લાઈબ્રેરી ઉત્તમ દરજ્જાની છે. એમની મુંબઈની લાઈબ્રેરી કરતાં ચાર ગણી મોટી લાઈબ્રેરી એમના અમદાવાદના ઘેર છે. બક્ષીસાહેબ અમદાવાદમાં હજી મોટી જગ્યા શોધે છે... પુસ્તકો રાખવા માટે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બક્ષીબાબુના વરલીમાં આવેલા ફ્લૅટમાં જાતજાતના અને ભાતભાતના વિષયો પરનાં સસ્તાં-મોંઘાં ને પુષ્કળ મોંઘાં પુસ્તકો, વિશ્વના સાપ્તાહિક-પખવાડિક સામયિકોના ઢગલા ને દુનિયાભરનાં છાપાંની મસમોટી કતાર અને અફ કોર્સ...બક્ષીસાહેબનાં પોતાનાં 170 પુસ્તકોની વણજાર જોવા મળે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://3.bp.blogspot.com/-xsngNoPcmLk/VRwPygla2RI/AAAAAAAABIU/TY3qzzD0mjU/s1600/Bakshi_library.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/-xsngNoPcmLk/VRwPygla2RI/AAAAAAAABIU/TY3qzzD0mjU/s1600/Bakshi_library.jpg" height="320" width="296" /></a></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બક્ષી સાહેબ કહે છે: 'મારી બે વીકનેસ છે: એક પુસ્તક અને બીજી ફ્રૂટ એટલે એના કોઇ દિવસ ભાવ નહીં જોવાના...!'</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ખૂબ જ પઝેસિવ એવા બક્ષીસાહેબ ક્યારેય કોઇ દિવસ કોઇને પુસ્તક વાંચવા માટે નથી આપતા. પ્રાણસમાં આ પુસ્તકોની સંપત્તિ સામે એમને કોઇ રોકડા પાંચ લાખ આપે તોય ન આપે! એ કહે છે: 'મને કોઇ એક એવા રૂમમાં પૂરી દો, જેમાં માત્ર પુસ્તકો અને સંગીતો હોય તો હું બસ્સો વર્ષ જીવું.'</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
એમનો પ્રિય બુક સ્ટોર છે અમદાવાદમાં આવેલો ક્રૉસવર્ડ અને એમને માધવસિંહ સોલંકીની લાઈબ્રેરી ખૂબ પ્રિય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બક્ષીબાબુનો પુસ્તક પ્રત્યેનો લગાવ જબરદસ્ત છે. એમને પોતાનું મૃત્યુ પુસ્તકોની વચ્ચે થતાં જોવું છે. એ કહે છે: <i>'આઈ વૉઝ બૉર્ન અમોંગ બુક્સ ઍન્ડ શૅલ ડાય વિથ માય બુક્સ!'</i> સાર્ત્રની આત્મકથાનું આ વાક્ય મને મારા માટે ખૂબ રિલેટિવ લાગે છે. હું પુસ્તક વચ્ચે જન્મ્યો નથી, પણ મરવાની અદમ્ય ઇચ્છા છે પુસ્તકો વચ્ચે!'</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બક્ષીસાહેબને એમના અવસાન બાદ એમની લાઈબ્રેરી એમની દીકરી રીવાને નામે કરવી છે!</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-15713634646833282752015-03-22T17:41:00.002+05:302015-03-22T21:05:10.777+05:30ઉર્દૂ : લિપિથી શબ્દ સુધી...<div style="text-align: justify;">
ઉર્દૂ સાથેનો લગાવ શરૂ થયો 1947-48માં, પાલનપુર હાઈસ્કૂલમાં, અને ઉર્દૂના પહેલા સબક શીખવનાર મારો દોસ્ત અલી મુર્તુઝા શમીમ હતો, જેને બધા શમીમ પાલનપુરી તરીકે ઓળખતા હતા. આઝાદીના દિવસો હતા, હવામાં ઈલેક્ટ્રિક ચમક હતી અને મારી ઉંમર પંદર-સોળની હતી, એ ઉંમર જ્યારે બધું જ નવું જ્ઞાન બ્લોટિંગ પેપરની જેમ ચૂસાતું જતું હતું. એક પુસ્તિકા હાથમાં આવી: 'ઉર્દૂ-હિજ્જે વ માની!' પછી હું ઉર્દૂ શીખતો ગયો, ઉર્દૂમાં નિબંધ લખવા સુધી પહોંચી ગયો. ક્યારેક કોઈકનો ઈન્ટરવ્યૂ લેતી વખતે મસ્તી કરવા હું ઉર્દૂમાં લખતો રહું છું! અને એ એવી રીતે લખતો રહું છું કે એ વ્યક્તિની નજર મારા લખવા પર પડતી રહે! મારા હાથ નીચેના માણસો કે સાથે કામ કરતા સાથીઓ જો મુસ્લિમ હોય તો ઈદ વખતે હું એમને 'ઈદ મુબારક'નું કાર્ડ લખું છું, સાથે ઉર્દૂમાં એક ખત લખું છું, 'અઝીઝ'થી શરૂ કરીને 'અઝ' સુધી એમાં આવી જાય છે! અને ઘણી વાર એ મુસ્લિમ પ્રોફેશનલને જબરું આશ્ચર્ય થાય છે, એ કહી દે છે: સર, તમે ઉર્દૂ જાણો છો? હું કહું છું: થોડું! અને એ મુસ્લિમ સાથી સસ્મિત કહે છે: અમારા ઘરમાં કોઇને ઉર્દૂ વાંચતાં આવડતું નથી...! ઈદના દિવસોમાં મુસ્લિમ હોટેલમાંથી મગાવવું હોય તો કોલકાતામાં હું મારા માણસને મોકલતો, એક પત્ર સાથે, ઉપર 'ઈદ મુબારક' લખીને, અને અંદર ઈદ વખતે બનતી સ્પેશિયલ ચીજોનો ઑર્ડર! આજે પણ રમઝાનમાં બે-ત્રણ વખત મુંબઈની મિનારા મસ્જિદની ગલીમાં જઈને ખાવાનો ક્રમ હજી રાખ્યો છે.<br />
<br />
ઉર્દૂ જાણું છું, પણ ફારસી શીખ્યો નથી એનો રંજ જીવનભર રહ્યો છે. ફારસી જગતની સૌથી શીરીં ઝબાનોમાંથી એક છે. શમીમ અને હું એ 1947ના વર્ષમાં પાલનપુરના માનસરોવર ફરવા જતા, ધૂળમાં મીણબત્તી સળગાવતા, મારો દોસ્ત મને ઉર્દૂની નવી ચીજો સંભળાવતો. સાહિર લુધિયાનવીની 'તલ્ખિયાં', અને મખ્દુમ મોહિયુદ્દીનની 'લો સુર્ખ સવેરા આતા હૈ, આઝાદી કા, આઝાદી કા...' અને જોશ મલીહાબાદીની (શમીમનો ઉચ્ચાર હતો: જોશ મલયાબાદી) 'મુઠ્ઠીઓં મેં ભર કે અફશાં ચલ ચૂકા હૈ ઈન્કલાબ!' હિંદુ સ્ત્રીઓ સૌભાગ્ય માટે વાળમાં જેમ સિંદૂર ભરે છે, એમ મુસ્લિમ પરિણીતાઓ માંગમાં અફશાં અથવા ચાંદીના રંગની ભૂકીની ચપટી ભરે છે. શમીમે મને ઉર્દૂ અદબની પૂરી દુનિયા ખોલી આપી અને એ માટે હું મારા એ દિલદાર દોસ્તનો આજીવન ઋણી રહ્યો છું. ઉર્દૂ મને બહુ કામ આવી ગયું છે. કરાચીમાં 1981માં હું ઉર્દૂ જાણતો હતો માટે બહુ સહુલિયત રહી હતી. અને મટન ખાતો હતો એટલે પાકિસ્તાનમાં મને કોઇ તકલીફ પડી ન હતી. દુનિયાના શ્રેષ્ઠ કબાબ મેં પાકિસ્તાનમાં ખાધા છે. બન્ડુ ખાનના કબાબ અને યુસુફ માંડવિયાને ત્યાં યારી કબાબ અને ચપ્પલી કબાબ અને અરબ કા કબાબ અને જવા દો, યારો! વોહ કહાની ફિર કભી...<br />
<br />
...હા, આપણે ઉર્દૂની વાત કરતા હતા. ઉર્દૂ ન હોત, શરાબ ન હોત, રેશમી કબાબ ન હોત, શામ ન હોત, 'શમ્મા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક' ન હોત, શરારતી આંખો ન હોત તો આ જિંદગી 72 વર્ષ સુધી કેમ ગુજરી હોત? મારી આત્મકથા 'બક્ષીનામા'માં મેં ઉર્દૂ વિષે લખ્યું છે. ઉર્દૂએ બહુ સુખ આપ્યું છે, બહુ દુ:ખ આપ્યું છે. ઉર્દૂ સાંજની ભાષા છે. કીક મારે છે. પ્લેટમાં તળેલી પોમ્ફ્રેટ માછલી પર લીંબું છાંટ્યું હોય, વ્હિસ્કીના ગ્લાસની બહાર ધુમ્મસી શિકરો બાઝી ગઈ હોય, દોસ્તોની આંખોના સિરાઓ પર જામતી રાતનો ખુમાર ઘેરાતો હોય ત્યારે સમયને અટકી જતાં જોયો છે, ફિરાક ગોરખપુરીની લાઈનો અનુભવી છે: <i>શામ ભી થી કુછ ધૂઆંધૂઆં, દિલ ભી થા કુછ ઉદાસ-ઉદાસ, ઐસે મેં કુછ કહાનિયાં, યાદ સી આ કે રહ ગઈ! હા, કુછ કહાનિયાં. હા, કુછ...</i><br />
<i><br /></i>
ઉર્દૂમાં તરબોળ સાંજો ગુજરી છે. નાના હતા ત્યારે રાતો નાની હતી, મોટા થયા અને રાતો લાંબી થતી ગઈ. જિંદગી 'ઑન ધ રૉક્સ' જીવવાના દિવસો હતા. પછી સાંજની વ્યાખ્યા બદલાતી ગઈ. તબિયત બે-કૈફ થતી ગઈ. જેમની સાથે 'ચિયર્સ' કહીને ગ્લાસો ટકરાવ્યા હતા, એમના ફોટાઓ પર સુખડના હાર ચડી ગયા. હવે રૂમાની ઉર્દૂ પાછળ રહી ગઈ હતી, હવે ફલાસ ફરાના કલામમાં દિલચસ્પી વધી રહી હતી. <i>મૌત કા એક દિન મુઅય્યિન હૈ, નીંદ ક્યો રાત ભર નહીં આતી...?</i><br />
<i><br /></i>
ગુજરાતી સાહિત્યમાં ઉર્દૂ શબ્દો વાપરવા માટે વિવેચકોની ત્રણ પેઢીઓની ગાળો ખાતો રહ્યો છું, પણ ખુદ્દારી છોડવાનું દિલ થતું નથી. એક સલ્તનત, એક નવાબિયત, એક શહંશાહિયત અનુભવી છે મેં મારી ભાષામાં, હવે નપુંસકોની નઝરે-ઈનાયત હાસિલ કરવાની કોઇ ઇચ્છા રહી નથી. દુશ્મનોનો અવાજ સાંભળ્યો છે, દોસ્તોની ખામોશી સાંભળી છે. હવે વાહવાહીથી ઉપર ચાલ્યો ગયો છું. <i>ઢૂંઢતા ફિરતા હૂં અય ઈકબાલ, અપને આપકો, આપ હી ગોયા મુસાફિર, આપ હી મંઝિલ હૂં મૈં!</i><br />
<i><br /></i>
ઉર્દૂ શીખવા મળ્યું એને હું મારી ખુશકિસ્મતી સમજું છું. સાહિત્ય બહુ ઊંચી ચીજ છે, આવતા ભવમાં પણ સાહિત્યકાર થવા જ માગું છું. દકિયાનુસી અને દરિન્દગીની સામે સંઘર્ષ કરવા માટે શબ્દ એક જ શસ્ત્ર છે મારી પાસે. <i>લોગ આગાઝે-સફર કી લઝ્ઝતોં મેં ચૂર થે, મૈં ફર્સુદા થા, મુઝે અંજામ ભી પતા થા!</i> ભાષાના બંદા પાસે બીજું શું હોય છે? <i>ઔર એક દિન નિગલ ગયા આખિર, હાલ </i>(વર્તમાન) <i>માઝી મેં</i> (ભૂતકાળ) <i>ઢલ ગયા આખિર, એક ચુલ્લુ મિલા થા આબે હયાત, ઉંગલિયોં સે ફિસલ ગયા આખિર! </i>પ્રિયદર્શી ઠાકુર 'ખયાલ'ની લીટીઓ સરસ છે.<br />
<br />
ઉર્દૂ એક એવી ભાષા છે જે જનતાની ઝુબાન પર ઊછળતી ઊછળતી જન્મી છે. ગલીચ રાજકારણીઓએ એને મુસ્લિમોની ભાષા બનાવી દીધી અને ઝેરનાં ઈન્જેક્શનો આપી આપીને કોમવાદી બનાવી દીધી. આજે ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે એ સત્ય સ્વીકારવું જ પડશે. મુશાયરાઓ થાય છે, મહેફિલો થાય છે, તમાશબીનો આવે છે, વાહવાહીમાં ઉર્દૂ ઘૂંટાઈ જાય છે. હિંદુસ્તાનમાં ઉર્દૂ માત્ર જલસાઓ અને જશ્નોની ભાષા જ બની રહેશે? કદાચ, કારણ કે ઉર્દૂના પાલકો, પેટ્રનો, પોષકો એ પૈસાદાર મેહરબાનો છે, જેમની દયા પર એણે જીવવાનું છે. ઉર્દૂના રિસાલા કે પર્ચા વેચાતા નથી, એમને જાહેરખબરો મળતી નથી. નવી પેઢીઓને ઉર્દૂમાં દિલચસ્પી નથી. જૉબ-માર્કેટમાં ઉર્દૂનું સ્થાન કોંકણી કે તુલુ કે કચ્છી બોલીઓ કરતાં પણ નીચું છે. ઉર્દૂ માટે, હિંદુસ્તાનના નોકરી બજારમાં કોઇ ભવિષ્ય દેખાતું નથી. કદાચ 21મી સદીના ઝડપી કમ્પ્યુટરયુગમાં આવી મટકતી, ઝટકતી અંગડાતી 18મી સદીના હેંગ-ઓવરમાં ઝૂમતી ભાષા જેટ-એજમાં દોડતી બૂઢી ઘોડાગાડી જેવી લાગે છે. કટ્ટર મુસ્લિમ રાજકારણીઓ આ દેશમાં જ્યાં સુધી ઝેર પાયેલી ભાષા વાપરતા રહેશે ત્યાં સુધી ઉર્દૂને દુશ્મનોની જરૂર નહીં પડે, પણ રૂમાની ભાષા તરીકે ઉર્દૂ જરૂર જીવશે.<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="http://2.bp.blogspot.com/-H94e6q6egwY/VQ6xbI7vepI/AAAAAAAABHc/pLqqJ7_qRZg/s1600/Urdu%2BShikho_Ajit%2BPopat.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" src="http://2.bp.blogspot.com/-H94e6q6egwY/VQ6xbI7vepI/AAAAAAAABHc/pLqqJ7_qRZg/s1600/Urdu%2BShikho_Ajit%2BPopat.jpg" height="320" width="206" /></a></div>
<br />
<br />
મિત્ર અજિત પોપટના પુસ્તક 'ઉર્દૂ શીખો'ને આવકાર આપતાં મને સવિશેષ આનંદ થાય છે, કારણ કે ગુજરાતીઓમાં ઉર્દૂ લિપિ જાણનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. ગુજરાતી મુસ્લિમોમાં પણ ખાલિસ ઉર્દૂ બોલી શકે (લખવાની વાત જવા દઈએ!) એવા લોકો બહુ ઓછા જોવા મળે છે. ઉચ્ચારણશુદ્ધિ ઉર્દૂમાં અહમિયત રાખે છે અને આપણા ગુજરાતી ગઝલકારો પણ આ બાબતમાં નિર્દોષ નથી! ગુજરાતી ગઝલિયાઓમાંથી 95 ટકાને ઉર્દૂ આવડતું નથી. ગઝલના <i>ગ</i>નો ઉચ્ચાર પણ દોષયુક્ત હોય છે. હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલને અંગ્રેજી ન આવડતું હોય એવી આ વાત છે. જેણે ગઝલ કે નઝમ લખવી છે એણે ઉર્દૂના જ્ઞાતા થવું જ જોઈએ એવો આગ્રહ નથી, પણ જો ઉર્દૂનું જ્ઞાન હોય તો સર્જનમાં જરૂર સહાયક થાય છે એવું હું માનું છું. 'અલીફ' અને 'અએન'નો ફર્ક સમજાય તો જરૂર સમજાશે કે 'ઈદ'નું અંગ્રેજી 'ઈ-આઈ-ડી' શા માટે થાય છે અને 'અલવિદાઅ' શા માટે લખાય છે. અજિત પોપટે તદ્દન સરળ રીતે આ ભાષા સમજાવી છે, અને નવી ભાષા શીખનારે આ પુસ્તક પર જરૂર નજર ફેરવી જવી જોઈએ.<br />
<br />
ગુજરાતી અને ઉર્દૂ બે લિપિઓમાં એક પુસ્તક પ્રકટ કરવું કેટલું કઠિન છે એ હું સમજું છું. એક ભાષા ડાબેથી જમણે લખાય છે, બીજી જમણેથી ડાબે લખાય છે. આ બધા અક્ષરોને, શબ્દોને, વાક્યોને વ્યવસ્થિત સામસામે અથવા ઉપર-નીચે ગોઠવવા, ઝેર-ઝબરનો અને નુક્તાનો ખ્યાલ રાખવો, કમ્પ્યૂટરના જમાનામાં પણ સહેલું નથી! અને ભૂલો કાઢવા માટે નુક્તચીની કરતા રહેવા માટે, નુક્તચીં બેઠા જ છે. એ એમનું કામ કરતા રહેશે, આપણે આપણું કામ કરતા રહેવાનું. આ પ્રકારનાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ આદિ ભાષાઓ શીખવા માટેનાં પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં આવવાં જોઈએ. સામાન્ય મુશાયરાઓ-મહેફિલોનો લુત્ફ ઉડાવવા માટે આટલી ઉર્દૂ કાફી છે. ઈન્સાન અને બશર શબ્દોનો અર્થ એક જ છે (માણસ), પણ એનો તાત્ત્વિક ભેદ સમજવા માટે ભાષામાં આગળ વધવું પડે છે અને બીજું પગથિયું ચડવા માટે પહેલું પગથિયું ચડવું જરૂરી છે.<br />
<br />
અજિત પોપટે ગુજરાતી ભાષાના એક ખાલી સ્લોટને ભરી દીધો છે, જેમને ઉર્દૂ શીખવું છે એમને આ પુસ્તક ખરેખર કામ આવી શકે છે એવું મારું માનવું છે. અભિનંદન.<br />
<br />
(ઉર્દૂ શીખો, સરળ ગુજરાતીમાં ઉર્દૂ શિક્ષણ: લેખક : અજિત પોપટ)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-46962530813905836202015-03-20T19:13:00.000+05:302015-04-02T07:54:06.612+05:30હું, ચંદ્રકાંત બક્ષી નાટક વિશે મધુ રાય<div style="text-align: justify;">
<b><i>દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં 11 ફેબ્રુઆરી 2015નાં રોજ પ્રગટ થયેલો શ્રી મધુ રાયનો લેખ:</i></b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કવિવર અને ગઝલપ્રવર રા.રા. શ્રી અનિલ જોષી સરની આગેવાનીમાં બરસોં પહેલે બમ્બઈમાં એક પર્વ ગોઠવાયેલું–– અમેરિકાથી આવેલા એક લલ્લુ નાટકકારને અભિનંદવા. એમાં અલબત્ત રા.રા. ચંદ્રકાંત બક્ષીને પણ નિમંત્રેલા જ્યાં ભરી સભામાં બક્ષી સાહેબે ઘોષેલું કે જેણે માંડ ચાર ચોપડી લખી છે એવા આ માઇનોર રાઇટરને આવાં સન્માન આપો છો? સન્માન મને આપો, મને જુઓ મેં ૧૧૬ ચોપડીઓ લખી છે ને મને સાત ભાષા આવડે છે, ને હું મેરેથોન દોડવીર છું ને મારા ઘરે કલર ટીવી છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ઓક્કે કલર ટીવીની વાત અમે ઉમેરેલી છે, પણ બાકીની વાત સાચી છે. તે પછી બક્ષીએ એક છાપામાં છપાવેલું કે પોતે મરશે ત્યારે સ્વર્ગમાં જઈને ઇન્દ્રની આંખમાં ભાલો મારી દેશે. બક્ષીની આવી અગણિત વાતો છે, અને છેલ્લે છેલ્લે બક્ષીનો એ હુંકાર, એ અહંકાર ગામની ઠિઠૌલીનો વિષય બનવા માંડેલો જેથી બક્ષી સ્વયં ‘સેલ્ફ પેરોડી’નું પાત્ર બની ગયેલા. પોપ સાઇકોલોજિસ્ટો કહેતા કે ચંદ્રકાંત વચેટ ભાઈ હતા તેથી ‘સેકન્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ’ના કારણે આવા જાતપ્રશસ્તિના બરાડા પાડે છે; અથવા હાઇટ નાની ને મોંએ ચેચકના દાગની જાતભોંઠપથી બક્ષી દુગુના જોસથી પોતે સતત સવાયા હોવાની નોબત વગાડ્યા કરે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પોપ સાઇકોલોજિસ્ટો બેઠા તેમના ઘરે. બક્ષી એમ એક વાક્યમાં ઉકેલી શકાય એવી ‘પહેલી’ નહોતા. બક્ષી અઠંગ વાચક હતા, જે વિશ્વસાહિત્યના ભ્રમર હતા. ફક્ત અમેરિકન કે યુરોપીયન નહીં, સામ્યવાદી બ્લોકનું, ચીન, જાપાન, મલાયા, ફિલિપીન્સ, આફ્રિકા વગેરે દેશદેશાવરના લેખકોથી તેમનો માનસિક અસબાબ રચાયો હતો. જે સમયે ગુજરાતી સાહિત્ય ‘બળદનાં પૂંછડાં આમળતું હતું અને નવલકથાઓમાં “જેમાં કાકે પિસાબ કર્યો” જેવાં શીર્ષક આવતાં હતાં ત્યારે’ બક્ષી મરઘીની ટાંગ પકડીને બીડી પીતા ડોક મજદૂરો ને સ્મગલરોની વાર્તાઓ સાથે પેશ થયા. બક્ષીની વાર્તાઓમાં ઔરતો લૂંગી પહેરતી અને દિલ ફાડીને પ્યાર કરતી વખતે ‘માછલીની જેમ તરફડતી.’ વાચકને સુરુચિભંગના આંચકા આપવાનો બક્ષીને ઇશક હતો. ફક્ત ફિક્શનની જ નહીં, બક્ષીનાં માહિતી પુસ્તકો ફક્ત સંખ્યા જ નહીં સત્ત્વથી પણ છલોછલ છે. લખતાં પહેલાં બક્ષી શિસ્તબદ્ધ રિસર્ચ કરતા. તે સમયે ‘ગૂગલ’ નહોતું, ઘરલેસન માટે ચંપલનાં ચામડાં ઘસવા પડતાં. જોનારની ટોપી પડી જાય એવી ગદ્યની ઊંચી ઇમારતો રચી શકનાર બક્ષી ભલભલા તિસમારખાંની ચામડી ચચરી જાય એવું લખતા. તેમના વાચકો કહેતા કે એકલા હાથે બહારવટે નીકળ્યો છે આ જણ!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ગુજરાતી સાહિત્યના આ એક સર્વોચ્ચ ગદ્યલેખકે સૌથી વધુ હાનિ સ્વયં પોતાની કરી છે એ આપણા સાહિત્યની એક વ્યાજોક્તિ છે, મીન્સ કે ‘આયરની’ છે. આ લખનાર નિર્વિવાદપણે માને છે કે ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યના અનન્ય ગદ્યલેખક હતા, તીખા કર્મશીલ કટારલેખક હતા, અને ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર ને સંભવત: પાકશાસ્ત્ર આણિ કોકશાસ્ત્રના હૌ પ્રકાંડ વિદ્વાન હતા. એમની મહાનતા એમની પોતાની બડાશખોરીથી ઢંકાઈ ગઈ છે, ને તોયે ગુજરાતમાં બક્ષીના વાચકો ને પ્રશંસકો લાખો કે કદાચ કરોડો છે. એનો જાત અનુભવ ગગનવાલાને કાયમ થતો આવ્યો છે કેમકે બક્ષી ગણપતિ હોય ને ગગનવાલા તેનું વાહન હોય તેમ બક્ષીભક્તો ગગનવાલાના ખમીસના બટણ સાથે રમત કરતાં કરતાં કહેતા હોય છે, ગગનવાલા, તમારું લખાણ બી ઓક્કે છે, પણ બક્ષી એટલે બક્ષી!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
એવી બીજી આયરની છે, તે એ કે એવા અહંકારથી ઇઠલાતા ને બલ ખાતા બક્ષીની જીવનીનું નાટક લખે એક તદ્દન ‘અપોઝિટ’ પ્રકૃતિના, શરમાળ, ધીમાબોલા રા. રા. શ્રી રામાવત! ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના ધ્વજ હેઠળ જોવા મળેલ મનોજ શાહ દિગ્દર્શિત એકોક્તિ નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’માં એવું ચબરાક લખાણ છે કે પહેલી ત્રણ મિનિટમાં જ બક્ષી તરીકે અભિનેતા પ્રતીક ગાંધી દર્શકોની નબ્ઝ પકડી લે છે. સેટ ઉપર સીડી છે, અમસ્તી, જેના છેલ્લા પગથિયે બેસીને બક્ષી ઉચ્ચારે છે કે મને અહીં જ વધુ ફાવે છે. સાહિત્ય જગતમાં કે આખા જગતમાં મારા જેવો શ્રેષ્ઠ લેખક કોઈ નથી. વગેરે. સીડીના આવા સ્થૂળ પ્રતીકથી દર્શક કદાચ અકળાય પરંતુ બક્ષી પોતાની ઉંચાઈની બાબતમાં કદી ‘સટલ’ યાને સૂક્ષ્મ નહોતા. બક્ષીની અસ્ખલિત આત્મરતિ કદાચ અમુક મિનિટો પછી ખલવા માંડે; જાણકારોને થાય કે ‘લેખક’ સિવાયની બક્ષીની બીજી બાજુઓની ઝાંકી ક્યાં? એક યાર તરીકે બક્ષી છ છ કલાક સુધી તમને ભાંગના પિયાલા પાતા હોય તેમ ઝુમાવી શકતા તેનું શું? પોતાનાં લખાણોમાં શી ખબર શાથી હ્યુમરથી દૂર રહેતા, પણ બક્ષીબાબુ પૈની જુબાનથી તમને ખિલખિલ હસાવી શકતા તેની કોઈ મિસાલ નહીં? રાજદ્વારી ચળવળકારી તરીકે બક્ષીનું પ્રદાન અને રાજપુરુષો સાથે તેમની ઉઠકબેઠકનો એકાદ સીન ભી નહીં? નાટકમાં જે છે તે બક્ષીની જાંઘ ઉપર થાપા સાથે જાતવડાઈની એકોક્તિઓની વચ્ચે વચ્ચે પરોવેલા બક્ષીનામા–માંના પ્રસંગો. ફિર ભી બહોત ખૂબ, પ્રતીક મિયાં, શિશિર મિયાં, મનોજ મિયાં!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે જે માણસ પોતાના પ્રેમમાં હોય તેને કોઈ હરીફ નથી હોતો. બક્ષીબાબુ ઇન્દ્રની આંખ ફોડે કે ન ફોડે પણ એમણે આ ડાહ્યોક્તિ ખોટી પાડી છે. બક્ષીબાબુની ફેન ક્લબો ડૂંગરે ડૂંગરે છે, બક્ષીની વિરુદ્ધ કાંઈ પણ બયાન આપનારના મસ્તકે માછલાં ધોવાય છે. બક્ષીના સ્વર્ગવાસ પછી વર્ષો વીત્યા છતાં જાણે હજી એક ધાક વરતાય છે બક્ષી મિયાંની. દરઅસલ બક્ષીની જટિલતા એ વાતમાં છે કે તેમને ચાહનારા પણ તેમને દિલ ફાડીને ધિક્કારે છે અને ધિક્કારનારા તેમને દિલ ફાડીને ચાહે છે. ગગનવાલાએ એ વાત સ્વીકારી લીધી છે કે આજીવન તે બક્ષીના જૂનિયર દોસ્ત તરીકે ઓળખાશે. એક રીતે જુઓ તો એ બેડ થિંગ કહેવાય; પણ બીજી રીતે તે ગુડ થિંગ પણ છે કેમ કે બક્ષીની પાસે ઊભો એટલે ગગનવાલા હો કે મગનલાલા કે એક્સવાયઝાલા હો, માણસ તરીકે તમે બક્ષીથી બેટર જ લાગો! જય સોનાગાછિ!</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-91237230620031230902015-02-01T20:41:00.000+05:302015-04-02T07:58:10.673+05:30नेतिहास : गुजराती कहानी (चंद्रकांत बक्षी)<div style="text-align: justify;">
सरकारी कंट्राक्टर जैसे लग रहे एक दुर्जन ने पूछा- ‘क्या करते हैं आप?’ मीटर गेज ट्रेन की खड़खड़ाहट में उसने कुछ मोटी आवाज़ में जवाब दिया- ‘प्रोफेसर हूं!’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘किस विषय के?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
वह मुस्कराया. बोला- ‘इतिहास का.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘अहमदाबाद में?’ दुर्जन को व्यंग्यात्मक आनंद आने लगा- जैसा सफल आदमी को असफल आदमी के साथ बात करते समय आता है, अथवा किसी स्कूली-मास्टर के साथ बात करते समय…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘ना!’ उसने दुर्जन को आंखों से नाप लिया. फिर कुछ मुंह बनाया, जैसे झूठ बोलने की तैयारी में हो, बोला- ‘आक्सफोर्ड में था…’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
दुर्जन दुनियादारी में माहिर था. तुरंत हार मान लेने वाला बिजनेसमैन वह नहीं था. पूछने लगा- ‘कहां… विलायत में?’ आंखों के कोनों में जरा-सी इज्जत की चमक.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘विलायत में लंदन नाम का शहर है. वहां से करीब चालीस-पचास मील की दूरी पर है आक्सफोर्ड. वहां की यूनिवर्सिटी में मैं प्राचीन भारत का इतिहास…’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘अच्छा इन्कम है वहां?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘पाउंड मिलत हैं वहां. एक पाउंड यानी… तीस रुपये?’ (छीना-झपटी. चक्रव्यूह.)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘हमारे गांव का एक दर्जी भी वहीं है. अफ्रीका गया था. बाद में विलायत चला गया. कहते हैं, अपना मकान बना लिया है पट्ठे ने.’ (वन-अपमैनशिप!)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘मैं भी यहां आया हूं.. मकान खरीदने के सिलसिले में. एक पालनपुर में खरीदना है. एक माउंट आबू में खरीद लेंगे.’ (हुकुम का इक्का!)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
दुर्जन की आंखों में धंधेदारी की चमक आ गयी- ‘वाह भई, आपने तो विलायत का अच्छा फायदा उटाया. चलो, पहचान हो गयी. किसी रोज हवा खाने आबू आयेंगे और जगह नहीं मिलेगी तो… दुर्जन हंसने लगा- ‘आप ही के यहां आ धमकेंगे!’ ह…ह…ह…’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘जरूर. माउंट आबू में सर्वेन्ट्स क्वार्टर्स वाला एक बंगला खरीदना है! फिर जगह की सुविधा हो जायेगी.’ इतिहास का प्रोफेसर खिड़की के बाहर ताकने लगा. (ब्लाइंड!)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘इस समय आप आबू जा रहे हैं?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘नहीं. पहले पालनपुर. वहां मकान-वकान का फैसला कर लें, फिर आबू.’ (शह और मात!)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उंझा का स्टेशन! रेस्तरां कार वाला बैरा- ‘साब, थाली पालनपुर स्टेशन पर आयेगी. ले आऊं?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘नहीं. हम पालनपुर उतर जायेंगे.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
इतिहास के प्रोफेसर ने बटुए में से कड़कड़ाते नोट निकालकर बांये हाथ से, लापरवाही से बैरे के हाथ में थमा दिये. बैरे ने बाकी पैसे लौटा दिये! दुर्जन मानपूर्वक देखता रह गया. ट्रेन चली. दुर्जन ने नाश्ते की पोटली खोली और बोला- ‘लीजिये साहब…’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उसने चेहरे पर कृत्रिम घृणा लाते हुए देखा- ‘नहीं. आप खाइये. मुझे यह सब सूट नहीं करेगा…’ फिर जरा रुककर- ‘मैं रेस्तरां कार में ही खाता हूं.’ दुर्जन ने मक्खियां उड़ाते हुए डिब्बियां, शीशियां खोलनी शुरू की. एक कौर चबाते-चबाते वह पूछने लगा- ‘प्रोफेसर साहब, विलायत में मक्खियां होती हैं क्या?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
इतिहास का प्रोफेसर जरा रुककर हंस दिया- ‘मक्खियां तो सभी जगह होती हैं. मगर वहां की मक्खियां कानों में इतना सारा गुनगुन नहीं करतीं. एक बार आप उन्हें भगा दीजिये, बस, फिर गुनगुनाहट बंद.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
दुर्जन विलायती मक्खियों के बारे में सोचने लगा. इतिहास का प्रोफेसर भूगोल के विषय में सोचने लगा. वह गुजरात और राजस्थान की सीमा के पास आ गया था. तब तो इस ओर बाम्बे प्रेसिडेन्सी थी और उस पार था राजपूताना और उसके ‘देश’ के लोग, सीमावर्ती लोग कुछ विचित्र-सी मिली-जुली गुजराती-राजस्थानी बोलते थे.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
पालनपुर का स्टेशन! गुजरात का अंत. राजस्थान का आरम्भ… करीब-करीब. तांगे वाले ने पूछा- ‘कहां जाना है?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘टूटे नीम.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
कितने वर्षों बाद! यहां बचपन गुजरा था, अतीत गुजरा था, इतिहास गुजरा था. जब छत के छप्पर पर सोते-सोते दस के फास्ट की सीटियां सुनी थीं, वह बचपन, जब अहमद भिश्ती अपने बूढ़ें बैल पर मोटे चमड़े की मशक डालर आता था और वह दौड़कर दोनों तरफ दो बाल्टियां रख आता था, वह अतीत, जब मिडिल स्कूल से लौटते समय रास्ते में कुंए में झांककर वह अपना नाम बोलता था और नाम की प्रतिध्वनि फैल जाती थी, पुरे शरीर में खुशी की कंपन के करेंट की तरह, वह इतिहास…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
जरा खांसी-सी आ गयी.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
दिल्ली दरवाजे के बाहर एक ग्राम्य स्त्राr सूखी घास बेच रही थी. तांगे वाले ने इतिहास के प्रोफेसर से कहकर तांगा रोक लिया और देहाती लहजे में घास का मोल-भाव करने लगा-</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘दस आना!’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘चल-चल.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘नहीं काका…’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘अच्छा जा, डाल आ. भीतर जाकर पूछ लेना. कहना, हालभाई ने भेजी है.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
इतिहास का प्रोफ्रेसर देखता रह गया. शहरों का अविश्वास अभी तक यहां नहीं आया था…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
तांगा चला. सिगरेट पियोगे, हालाभाई? दीजिये, साहब! दो सिगरेट. हाला भाई की खुलती बातें. घोड़ा बहुत अच्छा है, हालाभाई. हां साहब, यह घोड़ा…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
फिर वही देहाती लहजा- ‘दो बरस पहले मैंने दो सौ में मांगा था. चार बरस का है. जसराज मारवाड़ी का है. भूखों मार डाला है बेचारे को. सत्रह रोज पहले मैंने खरीदा इसे. साहब, गाड़ी में लगाये तीन रोज ही हुए हैं. दो घोड़े हैं मेरे पास. असबाब भी मंगाना था घोड़े का, मगर बरसात हो गयी… छापी के पास पानी भर आया, इसलिए अब दो दिन बाद…’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
वर्षों के बाद वह भाषा टकरा रही थी कानों से. उसके इतिहास की भाषा. अतीत की भाषा. बचपन की भाषा. सुसंस्कृत होने के बाद आयास करके भूली गयी उसकी अपनी भाषा. पितृभाषा.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
सामने नीम का बूढ़ा पेड़ खड़ा था, जिसे वह ‘टूटे नीम’ के नाम से पहचानता था. इतिहास का प्रोफेसर तांगे वाले को पैसे देकर उतर पड़ा.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
पितृभूमि.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
पूर्व-पश्चिम-उत्तर-दक्षिण यह पूरब यह पश्चिम, चकोरों की दुनिया. मेरा नीलगूं आसमां बे किनारा. पितरों की भूमि को चूम लेने की इच्छा हुई. एक वृद्धा उसे घूरती हुई गुजर गयी. पहचाना नहीं. मेना काकी. जी रही है अब तक? इतिहास का प्रोफेसर घर की गली में मुड़ गया.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
घर में जाकर, खिड़की खोलकर उसने टूटे नीम की ओर देखा.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उसके दादा नीचे हमीद खां को घोड़े की रास पकड़ाकर, ऊपर आकर, साफे को मेज पर रखकर, इसी तरह खिड़की खोलकर नीम की ओर देखते होंगे. उसके पिता ने मद्रास से आकर इसी तरह खिड़की खोली होगी और इसी तरह नीम को देखा होगा. और वह आक्सफोर्ड से आकर ठीक उसी तरह खिड़की खोलकर नीम को देख रहा था. बूढ़ा दरख्त पीढ़ियों पुराना था. पचासों वर्ष पुराना. कहते हैं, जब दादा छोटे थे, एक रोज बिजली गिरी थी और नीम आधा टूट गया था और तले बैठे हुए दो ऊंट मर गये थे. तभी से शायद उसे टूटा नीम कहते थे.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उसकी दृष्टि गैसलाइट के लोहे के खम्भे की ओर गयी. लड़ाई के दिन थे और बिजली बचाने के लिए बत्तियां बंद रहती थीं. गांव-भर में चार-पांच ही मोटरकारें थीं और किसी एक मोटर के पीछे अन्य लड़कों के साथ वह भी दौड़ा था और लोहे के खम्भे से टकरा गया था. अनायास उसने उंगलियां कपाल पर उभरे घाव पर फेरी. घाव बालों में था, पर… अब तो बाल झड़ चुके थे. घाव का निशान बाहर आ गया था.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
याद्दाश्त की आंधियां. धुंधली-सी स्मृतियां.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
घर से घंटाघर दिखायी पड़ता था, एक जमाने में. अब तो बीच में एक पीपल का पेड़ उग आया था. घंटाघर के घंटे शायद अब भी सुनाई पड़ते होंगे. शायद. या… घड़ी में तपे हुए छप्परों पर से सूखे कपड़े उतार लेते थे हम. नीम के नीचे एक नकटी औरत चिल्ला-चिल्लाकर शहतूत बेचती थी. शहतूत में से इल्लियां निकलती हैं. मां हमेशा शहतूत लेने से मना करती थी. पैरों में बेड़ियां डालकर पुरानी जेल की ओर ले जाये जाते हुए कैदी. दोपहर को बारह बजे किले की दीवार पर से छूटती तोप. रवारी लकड़ियां बेचकर ऊंट को खड़ा करता और ऊंट पिछली टांगों के बल गले की घंटियां हिलाते हुए खड़ा होता. बेढंगा दृश्य… ट्यूबलाइटों से पहले की दुनिया.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
शाम को गर्म राख से लालटेन के कांच के गोले साफ होते थे. रात दीवारों की छायाओं में थिरकती. अंधेरे-अंधेरे मुर्गे की बांगें और सब्जियां सजाती सब्जी वालियों की कर्कश गालियां. सोते समय आंखों के ऊपर तुले हुए सितारे सुबह के झुटपुटे में निस्तेज होकर ऊंचे मकानों के पीछे लुढ़क जाते. जब आंखों पर चश्मे नहीं थे. जब बुद्धि की पर्त्तें जमी नहीं थीं. जब आत्मा पारदर्शक थी, जब बिना दांव-पेंच हंस डालना स्वाभाविक था, जब साथ पढ़ती लड़की की खुली कमर पर फैली अम्हौरियां देखकर सिर्फ अम्हौरियों के ही विचार आ सकते थे, जब…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
इतिहास का प्रोफेसर बाल्कनी की रेलिंग पर झुक गया और इतिहास में से नेतिहास की बादबाकी करने लगा.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
शाम को आंधी आ जाती थी, कच्छ के छोटे रन की तरफ से. अब कच्छ का छोटा रन ही आ गया था. बरसात कम हो गयी. छुटपन में बहुत होती थी. स्कूल में छुट्टी हो जाती थी. टूटे नीम के पास पानी बहता हुआ मिडिल-स्कूल तक जाता था. और वह भी बहते पानी में दौड़ता-कूदता दोस्तों के साथ मिडिल-स्कूल तक चला जाता था. तब स्कूल में टेलिफोन नहीं था. और वापसी. मार्ग में खेतों के किनारे से चुराई हुई हरी सौंफ चबाते-चबाते. जार्ज फिफ्थ क्लब पर होती बारिश क्लास-रूम की खिड़की से दिखाई पड़ती.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
टाइफाइड होता था, तो इक्कीस या अट्ठाईस या पैंतीस दिन बिछौने में लेटे रहना पड़ता था. तब मायसेटीन औषधियां नहीं थी और तांगे में बैठकर आया हुआ डाक्टर सिर गंजा करवा देता था. चिरायते का काढ़ा पेनिसिलीन और सल्फा औषधियों से ज्यादा काम देता था. और हड्डी टूट जाती या बिजली के सामान की जरूरत पड़ती, तब आबू वाली दोपहर ढाई की लोकल में बैठकर अहमदाबाद जाते थे. अहमदाबाद ‘बड़ा शहर’ था, जहां बिजली का सामान अच्छा और सस्ता मिलता था. पुरानी जेल के पास वाले उबड़-खाबड़ मैदान में छुट्टी की हर दोपहर को स्टम्पें गाड़कर एक इनिंग्स वाले क्रिकेट के मैच खेले जाते थे और जीतने के बाद तीन बार ‘हिप…हिप… हुर्रे’ चिल्लाते थें. जेल में पंडित जवाहरलाल नेहरू को खून की उल्टी होने की अफवाह पर हफ्ते भर सभाएं होती थीं.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
नवाब साहब-खुदाबंद खुदा-ए-खान, फैजबख्श, फैजरसान, श्रीदिवान महाखान जुब्द-तुल-मुल्क… और नाम के बाद में जी.सी.आई.ई., के.सी.सी.वी.ओs., ए.डी.सी. वाले नवाब साहब की सालगिरह के दिन स्कूल में बंटने वाले बताशे लेने के लिए छोटे भाई को लेकर, दो बड़े रूमाल लेकर, नयी कमीजें पहनकर जाया करते थे. चुराई हुई बर्फ चूसते समय या कटी पतंग लूटते समय चंगेज खां जैसा दिग्विजय का उन्माद हो जाता था…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
और बचपन की इतिहास-यात्रा के कुछ सहयात्री… नीम के नीचे मुनीर मिल गया था, लाल लुंगी पहने हुए. दो रोज से स्कूल नहीं आ रहा था. उसी रोज पता चला कि उसने सुन्नत करवाई थी… मीरा के दरवाजे के बाहर उसके काका की बीड़ी की दुकान थी. दुकान के ऊपरी हिस्से में ही बैठकर वह तीन कर्मचारियों के साथ बीड़ियां बनाता था. दाने चुगते कबूतरों की तरह उनके सिर हिलते थे. एक सिर शंकर का था. तीसरा कक्षा तक वह साथ था. फिर उसे टाइफाइड हुआ और…छठी में ही प्राणलाल ने स्कूल छोड़ दिया. लड़के कहते थे, बहुत गरीब थे उसके पिता. रियासत के किसी देहात में एक्साइज के क्लर्क थे. एक दिन प्राणलाल पोस्टमैन की वर्दी पहनकर चिट्ठी देने शर्माता-शर्माता आया था… कचहरी में भीगे कौवे जैसे एक जज के सामने उसके एक अफीमी आत्मीय ‘मच आब्लाइज्ड’ रटते थे, रटा करते थे और बार-बार उसे स्वभाव के बारे में सलाह दिया करते थे…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
इतिहास का प्रोफेसर बाहर आ गया.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘कहो, मास्टर?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
मास्टर अगर रास्ते में मिल गया होता तो वह पहचान नहीं पाता, लेकिन दुकान, वही थी. जर्जरित अर्गला पर दो-चार अधसिले कपड़े लटक रहे थे. अभी कालर और आस्तिन बाकी थे. दुकान खाली-खाली लग रही थी.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
मास्टर उसे घूरने लगा- ‘अरे, सूर्यकांत? तू?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
मास्टर हंस दिया. दो रोज की बढ़ी हुई दाढ़ी में शिकने पड़ गयीं. चेहरे पर झुर्रियां, मटमैली हंसी, झड़े हुए केश, बुझी हुई आंखें, गाल की हड्डियों पर तनकर स्याह हो चुकी चमड़ी, कान के दोनों ओर फूटे हुए लम्बे बाल… मास्टर लक्ष्मणराव… जो स्कूली दिनों में हाफ-शर्टें सीता था, जब स्कूली यूनिफार्मों का जमाना नहीं आया था और जब हाईस्कूल में प्रवेश के बाद ही फुल-शर्टें पहनने का ‘अधिकार’ प्राप्त होता था.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
लक्ष्मणराव एक ही महराष्ट्रीय था पूरे गांव में. तब महाराष्ट्रीय महाराष्ट्रीय नहीं, बल्कि दक्षिणी कहे जाते थे.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘कब आया?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘आज ही.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘अकेला आया है?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘हां, अकेला ही हूं!’ वह प्रसन्न-गम्भीर हंस दिया- ‘कैसा हैं मास्टर, तुम्हारे बाल-बच्चे?’ उसे पता था कि मास्टर की दो लड़कियां थीं.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
मास्टर का चेहरा लटक गया. उसे लगा, जैसे कुछ अपराध-सा कर डाला है. मास्टर ने धीरे से सिलाई-मशीन की दराज से एक तस्वीर निकाली- मास्टर की जवानी का ग्रुप-फोटो. मास्टर, एक स्त्राr, दो लड़कियां, एक लड़का. सभी चेहरों पर तसवीर खिंचवाने से पहले का आतंक. लड़के के चेहरे पर कुतूहल. वह सबसे छोटा था.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘तूने तो यह दुकान देखी है, सूर्यकांत, कैसी चलती थी? रात बारह-बारह बजे तक मैं छह आदमियों से काम कराया करता था…’ थकान का निश्वास- ‘अब जमाना खराब हो गया है, भाई. मुश्किल से पेट भरता है. पुराने बूढ़े-बूढ़े ग्राहक ही आते हैं. काम भी होता नहीं है अब. दुनिया बदल गयी. मैं कहता हूं, सूर्यकांत, पाप किये होंगे मैंने, मेरी स्त्राr ने, पर इन बच्चों ने दुनिया का क्या बिगाड़ा है? बच्चों के ये दिन…’ मास्टर और कुछ कहने जा रहा था कि आंखें छलछला आयीं.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘लड़कियां तो बड़ी हो गयी होंगी?’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
मास्टर कुछ संयत-सा हुआ- ‘क्या कह रहा है? तीन ही साल पुराना है यह फोटो. शारदा बारह साल की हुई और संध्या दस की. लड़का पिछले साल गुजर गया. स्कूल से आया, तब तो अच्छा-भला था. हैजा हो गया. दो दिन में भगवान ने उठा लिया. लुट गया सब, सूर्यकांत, सब लुट गया. घरवाली की तबीयत भी अब ठीक नहीं रहती. लड़कियों के बढ़ने में समय नहीं लगता. शादी-ब्याह… भाई, सब इकट्ठा होगा कैसे?’ मास्टर का गला रुंध गया. आगे बोल नहीं पाया वह. रो पड़ा. पुरुष के आंसू…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उसने महसूस किया, बहुत गलत हो गया सब कुछ. उसके अविचारी शहरी सौजन्य ने पुराने घाव छील डाले थे. यह आदमी दुख की परम्पराओं में से जी रहा था, टिक रहा था. कितने समय से?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उससे आश्वासन के स्वर में कहा- ‘मास्टर, तुम तो मर्द हो. भगवान है ऊपर सभी का देखता है वह. सच्चे आदमी को वह निश्चय ही पार उतारता है.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
‘ना, वह सब झूठ है. अब भगवान में श्रद्धा नहीं रही है मेरी. मैंने किसी का कुछ भी नहीं बिगाड़ा है और मुझे ही इतने सारे दुख, सूर्यकांत? अच्छा मान ले, मैंने कुछ बिगाड़ा भी होगा, पर इन बच्चों ने क्या अपराध किया है तेरे भगवान की दुनिया में?’ बोल, तू तो पढ़ा-लिखा आदमी है- बोल.’</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
उसे एकाएक कंपकंपी आ गयी. मास्टर पागल हो गया है क्या?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
धीरे से सांत्वना की औपचारिक बातें करके वह भाग निकला. वापस, घर की ओर. विचारों में उलझा हुआ. नवाबी गयी, प्रजा का शासन आ गया, प्रजातंत्र आ गया. क्या कर डाला है प्रजातंत्र ने? अहर्निश भगवान की पूजा-भक्ति करने वाले, डरने वाले, अटल श्रद्धा रखने वाले, सीधे-सादे गरीब, प्रामाणिक रोटी कमाकर खाने वाले श्रमजीवियों के हृदय में से भगवान के प्रति श्रद्धा हिला डाली. और वह भी बुढ़ापे में, जीवन किनारे लगने अया तब!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
बाइबल के ओल्ड टेस्टामेंट में एक पात्र है. उसका नाम है जॉब. जॉब अच्छा आदमी था, सच्चा आदमी था, सज्जन था, कुलीन था. भगवान ने उसी के ऊपर सब दुख ढा दिये. उसके बच्चे मार डाले, उसकी सम्पत्ति का नाश कर डाला, उसके शरीर को तोड़ दिया. जॉब ने प्रश्न किया- प्रभु, मुझ निर्दोष को तूने इतने सारे दुखों में क्यों फेंक दिया. शायद मैं सम्पूर्ण नहीं हूं, मगर मैंने ऐसा क्या किया है कि मुझे ही इतने सारे दुख सहने पड़े?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
जॉब के प्रश्न का उत्तर भगवान ने अभी तक नहीं दिया है.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
अन्याय सृष्टि का सबसे बड़ा रहस्य है. जॉब एक सर्वमनुष्य का नाम है, जो दो हजार वर्षों से यह प्रश्न कर रहा है. जॉब क्रांतिकारी नहीं है, जॉब सीधा चारित्र्यवान मनुष्य है. जैसा मास्टर…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
तीन वर्ष में मास्टर कितना वृद्ध हो गया है. शोषित का वृद्धत्व और शोषित का नेतिहास…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
वह घर में घुस गया. अब मिलना नहीं था किसी से.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
पुराने घर में घुस गया. अब मिलना नहीं था किसी से.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
पुराने लोगों के पास एक ही रसिक बात है- मृत आत्मीयों की. नये उसे पहचानते नहीं हैं. पीढ़ियां बहुत जल्दी बड़ी हो जाती हैं. गांव ने शायद… कायाकल्प ही कर लिया है. किले की रांग तथा मुख्य द्वार गिरा दिय गये हैं. स्टेशन पर ओवर ब्रिज बन गया है, सामने गुड्ज-साइडिंग. बरसात के पहले बिना प्लेटफार्म-टिकिट स्टेशन पर घूमने जाते थे, तो आसपास के पेड़ों में कभी-कभार नीलपंखी दिखाई पड़ते थे… आज, वैगनों की शंटिंग लगातार चल रही है. स्कूल में टेलिफोन आ गया है. स्टेशन रोड पर सिंधी शरणार्थियों (उन दिनों रेडियों वाले ‘विस्थापित’ शब्द नहीं जानते थे) की कच्ची दुकानें अब गायब हो गयी हैं.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
लोग बूढ़े हो गये हैं. मर गये हैं. पक्की दुकानों के मालिक हो गये हैं… या उसी की तरह गांव छोड़कर दूर-दूर चले गये हैं. रेलवे कालोनी काफी फैल गयी है और राजस्थानी कर्मचारियों से खचाखच भरी हुई है. कीर्ति-स्तम्भ के उजाड़ बगीचे के गिर्द पास के मिलिटरी कैम्प के जवान घूमते दिखाई पड़ते हैं. आइसक्रीम के होटलों पर भीड़ है. बैंकें और वेश्याएं भी आ गयी हैं. गांव शहर बन गया है…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
शाम का मेल… साढ़े पांच बजे का मेल, अब रात आठ बजे आता है. अंतर वही है, सिर्फ समय बढ़ा दिया गया है.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
एक ही चीज कायम है. पूर्ववत. ट्रेनों का लेट होना…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ट्रेन चली. दूर झाड़ियों के झुंड के ऊपर कीर्ति स्तम्भ का शिखर दिखाई दिया, पहली गुमटी, एक्साइज की नयी कलैक्टोरेट, नवाब के महल का जर्जरित द्वार, सिग्नल,दूसरी गुमटी, फुटबाल का शांत मैदान, मेहसाना जाता हुआ बस-मार्ग, अरहर के खेतों पर फैली हुई रात, पितृभूमि के आकाश में मुरझाये फूलों के तोरण जैसी झुकी हुई धुंधली आकाश-गंगा, अंधकार की पर्तों में विलीन होता जा रहा नेतिहास…</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(Source: <a href="http://www.navneethindi.com/?p=1137" target="_blank">http://www.navneethindi.com/?p=1137</a>)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-33793463547432818642014-12-30T06:59:00.000+05:302014-12-30T06:59:11.504+05:30દીકરા, દીકરી, જમાઈ, ભત્રીજા લઈને ચાલો 21મી સદીમાં...<div style="text-align: justify;">
બેટા, બેટી, જમાઈ વગેરે ભારતવર્ષમાં જેટલી દેશ-સેવા કરે છે એટલી જગતભરમાં ક્યાંય કરતાં નથી. જગતનાં શ્રેષ્ઠ રાજનીતિક બેટા, બેટી, જમાઈઓ આપણે પેદા કરીએ છીએ. રામમોહન રાય આધુનિક ભારતના ભારતના પિતામહ ગણાય છે. રાજ રામમોહન રાયે પણ એમના સુપુત્ર રામપ્રસાદને રાજકારણ માટે તૈયાર કર્યો હતો અને બંગાળ ગવર્નરની કાઉન્સિલ માટે 1862માં અન્ય ત્રણ હિંદુસ્તાનીઓ સાથે એની પણ નિયુક્તિ થઈ હતી! બેટા માટે વારસામાં રાજકારણ મૂકી જવાની રઘુકુલરીતિ આધુનિક ભારતમાં રામમોહન રાયના સમયમાં પણ જોવા મળે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પછી આ વાત વધી ગઈ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જાતજાતની ગમ્મતો જોવા મળે છે! ડૉ. રાજેન્દ્રપ્રસાદની તદ્દન નિરક્ષર અને તામસિક જીભવાળી બહેનને વિધાનસભામાં સ્થાન આપવું પડ્યું હતું અને જવાહરલાલ નહેરુના માલિશ કરનારા હરિને પણ વિધાનસભ્ય બનાવીને જ કોંગ્રેસે છોડ્યો હતો! હરિજીનો વ્યવસાય માલિશ કરવાનો હતો અને વિધાનસભામાં એમને ખાસ તકલીફ પડી ન હતી. અકાલી દળના સંત ફતેહસિંહનો ડ્રાઈવર કિકાર સિંહ પણ વિધાનસભામાં ચૂંટાઈને બેઠો હતો અને સંત હરચંદસિંહ લોંગોવાલનો ડ્રાઈવર ગોબિન્દસિંહ કાંજલા પણ ધારાસભ્ય બન્યો હતો.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કોણ કોનો દીકરો છે, કોણ કોની દીકરી છે, કોણ કોનો જમાઈ છે એ શોધી કાઢવું એક રાષ્ટ્રીય રમત બનવી જોઈએ. ટીવીવાળાઓએ એક આનો જ ક્વીઝ કાર્યક્રમ રાખવો જોઈએ, કારણ કે આખું ભારતવર્ષ, કોંગ્રેસ અને વિપક્ષો, બધાં જ બેટાવાદ, બેટીવાદ, જમાઈવાદમાં માને છે. બેટા, બેટી, જમાઈને લઈને ચાલો 21મી સદીમાં...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ક્યાંક બેટાબેટી રાજકારણમાં આવ્યાં નથી. પ્રધાન શિવાજીરાવ પાટીલની પુત્રી સ્મિતા પાટીલ ફિલ્મોને કારણે આખાય ભારતમાં પ્રતિષ્ઠા પામી છે! વસંતદાદાની એક બેટી નર્તકી છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
જ્યોર્જ ફર્નાન્ડીઝ રહી ગયા! એમના સાસરા હુમાયુ કબીર વર્સો સુધી જવાહરલાલ નેહરુની સરકારના પ્રધાન હતા. પણ સગાવાદમાં સુગંધ ઉમેરે એવો એક કિસ્સો સંજય ગાંધીના જમાનામાં કલકત્તાના ડમડમ એરપોર્ટ પર બની ગયો હતો. કહેવાય છે કે સંજય ગાંધી કલકત્તા ઊતર્યા અને સિદ્ધાર્થ રાયને જોયા નહીં એટલે કહ્યું: સિદ્ધાર્થ રાયને ખબર નથી કે હું જવાહરલાલ નેહરુની દીકરીનો દીકરો છું? અને સિદ્ધાર્થ રાયે આ સાંભળ્યું ત્યારે કહ્યું કે હું પણ ભારતના ઇતિહાસની એક મહાન વિભૂતિની દીકરીનો દીકરો છું - સંજયને કહેજો...!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સિદ્ધાર્થ શંકર રાયની માતાના પિતાનું નામ: દેશબંધુ ચિત્તરંજનદાસ!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ક્લોઝ-અપ: હિન્દી ફિલ્મોની ગણમાન્ય અભિનેત્રી રેખા દક્ષિણ ભારતીય અભિનેતા જેમિની ગણેશનની બીજી પત્ની પુષ્પાવતીની પુત્રી છે. બાપબેટીને બનતું નથી. એક વાર રેખાએ કહ્યું હતું: "ઓહ, જેમિનિ ગણેશન...! એ તો મારી મમ્મીના પતિ છે!..."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન: એપ્રિલ 13, 1986)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(રાજકારણ-1)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-74865934935073963312014-12-29T09:40:00.000+05:302014-12-29T09:40:50.838+05:30સેફોલોજિસ્ટો અને ચૂંટણીનું ગણિત<div style="text-align: justify;">
અંગ્રેજી છાપાંવાળાઓની દુનિયા જ ગજબ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, મલયાલમ છાપાંઓ પાસે એ શબ્દ જ નથી. અંગ્રેજીવાળાઓ પાસે 'સેફેલોજિસ્ટો' છે! 'સેફોસ' એક ગ્રીક શબ્દ છે, પણ એનો અર્થ અત્યંત આધુનિક છે. સેફોસ એટલે ચૂંટણીનો વૈજ્ઞાનિક અભ્યાસ! અને એનો એ પ્રકારનો અભ્યાસ કરનારા દૂબળા દાઢીધારીઓ સેફોલોજિસ્ટ કહેવાય. નિર્વાચનના પહેલાં જ એ કહી દે કે કોણ જીતશે; કોણ હારશે, કેટલા ટકા 'સ્વિંગ' થશે. એ લોકો રાજનીતિચક્રશાસ્ત્રશિરોમણીઓ છે. જે બબ્બેની જોડીમાં ટીવી પર આવે છે એ સરકારી સેફોલોજિસ્ટો કહેવાય. એ હંમેશાં કોંગ્રેસની જીતની વાત કરે. અને કોંગ્રેસ હારવા માંડે તો ચર્ચા કરે કે આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસના વોટમાં આઠ ટકા 'સ્વિંગ' થયો છે એટલે કોંગ્રેસને 'માર્જિનલ સેટ-બેક' થયો છે. સેફોલોજિસ્ટોની એક ભાષા છે, જેમ કાગડાની ભાષા કાગડોજ સમજે એમ સેફોલોજિસ્ટની ભાષા બીજો સેફોલોજિસ્ટ જ સમજે. તમારે અને મારે એમની વાત ન સમજાવાને કારણે એમની વિદ્વતા 'જોઈને' ગદગદ થયા કરવાનું.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આ દેશમાં અંગ્રેજી છાપાવાળા જનતાને સમજે છે? ક્યારેય સમજ્યા છે? હરિયાણાએ સેફોલોજિસ્ટોને સાફસૂફ કરીને ફેંકી દીધા છે. જૂન-જુલાઈ સુધીમાં ભારતમાં કંઈક અઘટિત ઘટશે એવું કહેવા માટે જ્યોતિષ કે ભવિષ્યવેત્તા થવાની જરૂર નથી. હવામાંથી, છાપાંઓની ચીસો પાડતી હેડલાઈનોમાંથી, સિંહાસન પરથી રોજ બોલાતા એક જૂથમાંથી, માણસની ફરી ગયેલી આંખમાંથી ખબર પડી જાય છે કે જાનવર ઘાયલ થઈ ગયું છે. વિશ્વાસનો પડદો ચિરાઈ ગયો છે. રાજાની પ્રતિષ્ઠા શિયાળ જેવી વસ્તુ છે, એ નિષ્કલુષ હોય છે અથવા કલુષ હોય છે - એમાં વચ્ચેની સ્થિતિ નથી. જૂના જમાનામાં ચીનમાં એક અભિશાપ અપાતો હતો: તમે બહુ રસ પડે એવા દિવસોમાં જીવો! (May you live in interesting times!) આજે તો એ પણ સમજાતું નથી કે આ અભિશાપ છે કે આશીર્વાદ? પણ આપણે જરૂર ઈન્ટરેસ્ટિંગ ટાઈમ્સમાં જીવવાના છીએ!'</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણે ત્યાં એક કહેવત છે કે બહુ જ જોઈ સંભાળીને કદમ મૂકનારો માણસ ઠોકર ખાતો નથી, પણ સીધો ભીંત સાથે જ અથડાય છે! હરિયાણાની બાબતમાં કોંગ્રેસ ભીંત સાથે અથડાઈ ગઈ છે. રાજીવ ગાંધીએ બંને હાથથી બક્ષિસો લૂંટાવી પણ લોકોએ વોટ ન આપ્યા! આ બધું કરવા પછી રાજીવ ગાંધીને જે મળ્યું છે એ પરાજય નથી, નામોશી છે. 'ડીફીટ' એક વસ્તુ છે, 'ડીસ્ગ્રેસ' બીજી વસ્તુ છે. જીતવું એક વસ્તુ છે અને ન હારવા માટે લડવું એ બીજી વસ્તુ છે. હરિયાણામાં કુરુક્ષેત્ર પણ છે અને પાણીપત પણ છે. પાણીપત એ જગ્યાનું નામ છે જ્યાં પાણી અને પ્રતિષ્ઠા (પત) બંને મપાઈ જતાં હતાં - માટે એ રણભૂમિનું નામ પાણીપત પડ્યું હતું. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સેફોલોજીમાં બધું વૈજ્ઞાનિક છે. એક બહુ જ એડવાન્સ્ડ કમ્પ્યૂટર હોય છે. એમાં ભૂતકાળનાં નિર્વાચનોનો ડેટા (વિગતો) પૂરવામાં આવે છે. કમ્પ્યૂટર ભવિષ્ય ઉચ્ચારે છે. આમાં ભૂલ થવાનો સંભવ નથી. કહેવાય છે કે નિર્વાચનવાણી કહેવા માટે આ સૌથી સંબંધ્ય અને સુવ્યવસ્થિત કાર્યપ્રણાલી છે. આમાં નિર્વાચન પ્રક્રિયાનું ક્રમબદ્ધ પૃથક્કરણ અને સંયોજન (મોનિટરિંગ) થતું રહે છે. આમા પરિણામની સચોટ આગાહી કરી શકાય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અને ત્યાં જ વિજ્ઞાન ક્યાંક ભૂલ કરે છે. જીવતા મનુષ્યનો પ્રતિક્રિયાત્મક વર્તાવ જીવંત હોય છે અને બદલાતો રહે છે. એ પત્થર કે વનસ્પતિ નથી અને એના ગુણદોષમાં જડત્વ નથી. વિશેષમાં, હિન્દુસ્તાનની પ્રજાએ પાંચ હજાર વર્ષથી ઠંડી અને ગરમી અને વરસાદો અને દુ:શાસકો અને આક્રમકો અને વિનાશ અનુભવ્યાં છે. હિન્દુસ્તાની માણસ કદાચ ભણેલો નથી, પણ ગણેલો છે. વેદનાની પરંપરાએ એને એક ડહાપણ આપ્યું છે. હરિયાણાની ભૂમિએ મહાભારતથી આજ સુધીનો ઇતિહાસ જોયો છે. નિર્વાચનમાં એવાં કેટલાંય તત્ત્વો છે જે સેફોલોજીને ફેઈલ કરી નાખે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ઈંગ્લેન્ડમાં નિર્વાચન દિવસ પાસે આવે છે ત્યારે 'સ્વિંગ' શાસક પક્ષ તરફ્ હોય છે. હિન્દુસ્તાનમાં કદાચ વિપરીત હોય છે. હિન્દુસ્તાનનાં નિર્વાચનોમાં મૂર્ખ માણસ જ ભવિષ્યવાણી ઉચ્ચારવાનું દુસ્સાહસ કરે છે. અહીં રાજનીતિ પંડિતોને જનતામાં "વેવ" આવી ગયાં છે અને ખબર પડી નથી. 1971ના યુદ્ધ પછી, 1975ની કટોકટી પછી, 1980માં શ્રીમતી ગાંધીના પુનરાગમન સમયે, 1984માં શ્રીમતી ગાંધીની હત્યા બાદ...વેવ કે મોજું નહીં પણ ઘોડાપૂર આવ્યાં અને સેફોલોજિસ્ટોનાં કમ્પ્યૂટરોને ખબર પડી નહીં! દૂબળા દાઢીધારીઓ ચાંપલું ઈંગ્લિશ બોલીને આપણને નિર્વાચન સમજાવે છે પણ એ સ્વયં આ ધરતીની પ્રજાને સમજ્યા નથી.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ગ્રામ અને નાગરિક સમીકરણો જુદાં છે. કેટલાય માણસો વોટ આપવા જતા જ નથી, વૃદ્ધો અને જવાનો અને ખાસ કરીને જીવનમાં છેલ્લી અથવા પહેલી વાર વોટ આપનારા જરૂર વોટ આપવા જાય છે. ગરીબો વોટ આપવા જાય છે, પૈસાદારોને ઘેર વોટ લેવા આવે તો એ આપે પણ ખરા....જો એ બીઝી ન હોય તો! ગરમી, વરસાદ, વાવણી, ફસલની કટાઈની મૌસમ જેવાં કારણો પર મતદાનની ટકાવારી ઘણી વાર આધાર રાખે છે. અને રિગિંગ, મારામારી, મતકેન્દ્રો પર કબજો...આવાં પણ ઘણાં કારણો છે. આપણે ત્યાં ડેટા બૅન્ક કેટલી કામ આવી શકે છે એ પણ એક પ્રશ્ન છે! જવાહરલાલ નેહરુ છેલ્લી સાંજે કલકત્તામાં પ્રવચન આપી ગયા હતા અને લોકોનું માથું ફેરવી ગયા હતાં...એ જોયું-સાંભળ્યું છે. એ વખતે કમ્પ્યૂટર ન હતાં.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(રાજકારણ-1)</div>
Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-8697349627080620495.post-80407091152380216892014-10-22T21:41:00.001+05:302014-10-22T21:41:04.783+05:30પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (6)<div style="text-align: justify;">
પશ્ચિમ વિશે, પશ્ચિમના જીવન વિશે, પશ્ચિમની લાઈફસ્ટાઈલ વિશે લખનારા આપણે ત્યાં ગ્રોસને હિસાબે બજારમાં મળે છે. પશ્ચિમના સાહિત્ય અને નાટક વિશે લખનારા ડઝનોને હિસાબે મળે છે. પણ ખરેખર ગોરા લોકો સાથે જીવ્યા હોય એવા લોકો પ્રમાણમાં ઓછા મળે છે. પૂર્વ સારું છે અને પશ્ચિમ ખરાબ છે, એવું નથી. દરેક પ્રજાની જીવનરીત એની ભૂગોળ, એના ઇતિહાસ, અને આબોહવા, એના રક્ત મિશ્રણ પર આધારિત છે - આપણે જ શુદ્ધ, પવિત્ર, સંસ્કારી છીએ અને બીજા બધા મ્લેચ્છ કે યવન કે અનાસ (નાક વગરના. આર્યો અનાર્યોને "અનાસ" કહેતા હતા) છે એ તર્ક આપણી ક્ષતિઓ ઢાંકવા માટે અને થોડો આત્મવિશ્વાસ પ્રકટાવવા માટે ઠીક છે. બીજા ભિન્ન છે, નિમ્ન હોવા જરૂરી નથી. અને બીજા દેવતા છે અને આપણે દાનવો છીએ એવું પણ નથી. ગરીબી અને નિરક્ષરતા પણ જનચારિત્ર્યને ઘડવામાં બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પૃથ્વી પર માણસ અને માણસ વચ્ચેનું રંગવૈવિધ્ય, વિચારવૈવિધ્ય, જીવનવૈવિધ્ય બહુ રસનો વિષય છે. આપણે એકબીજા વિશે શીખીએ છીએ. અને ચોપડાં વાંચીને કોઈનું જીવન જોવું અને સાથે જીવીને એ જીવનને અનુભવવું, એ બેમાં ફર્ક છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષોની મહેમાનગીરી અનુભવવાનો મોકો મળ્યો છે અને ગોરી ચામડીવાળાં સ્ત્રીપુરુષો મહેમાન થઈને મારે ત્યાં રહી પણ ગયાં છે. આપણી જૂની ગુજરાતી કહેવત, સોનું જોઈએ કસીને અને માણસ જોઈએ વસીને, તદ્દન સાચી છે. સાથે વસીને માણસની જે કસોટી થાય છે એ ખરેખર તલસ્પર્શી હોય છે. પૂર્વ અને પશ્ચિમના માણસોનાં જીવન કેટલાં જુદાં છે એ મને સમજાયું છે. એ માટે મેહમાની અને મેઝબાની બંને અનુભવો જરૂરી છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
દિવસના આરંભથી આપણું જીવન અને પશ્ચિમી જીવન જુદું પડે છે. આપણી સવાર દાતણથી શરૂ થાય છે. બ્રશ અથવા મંજન અને પછી ઊલ ઉતારવી. પશ્ચિમી જીવનમાં ઊલ ઉતારવાનું નથી. ફક્ત બ્રશ કરવામાં આવે છે. અને બ્રશ કરવું પણ જરૂરી નથી. સવારે ઊઠીને મોઢું ધોવું પણ જરૂરી નથી! આપણે આને ગંદકી ગણીએ તો ગંદકી સમજવી પણ સવારે ઊઠીને મોઢું ધોવું, બ્રશ કરવું, ઊલ ઉતારવી અને એ વખતે ગળામાંથી જાતજાતના દર્દનાક અવાજો કરવા એ વિધિ પશ્ચિમમાં નથી. બ્રશ કરવું એ એક અત્યંત શાંત વિધિ છે. બધા દાતણ કરતા નથી એવું કહેવાનો આશય નથી પણ બ્રશ કરવું એ વ્યક્તિગત ઇચ્છા પર નિર્ભર છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણી ચા ખૂબ મીઠી અને ખૂબ દૂધવાળી એમને લાગે છે. ચાનું પાણી, ખાંડ અને દૂધ જુદાં હોય અને એ ચા જ્યારે બનાવીને પિવાય છે ત્યારે આપણે માટે એ ચા લાગતી જ નથી! આપણે ટી-ઈન પૉટની ચા પણ "સ્પેશ્યલ" ચા જેવી ઘટ્ટ બનાવીએ છીએ. એમની ચામાં ચાની ફ્લેવર-ખુશ્બૂ પર વધારે આગ્રહ છે. ચીનાઓની મિન્ટ-ટીમાં પણ આ ખુશ્બૂનું જ મહત્ત્વ છે. ચીનાની ચા ગોલ્ડન રંગની હોય છે, "માઉથ-વોશ" માટે બરાબર છે એમ ચીના કહે છે. હિન્દુસ્તાનમાં બેડ-ટી, મિલ્ક-ટી, લાઈટ-ટી, પ્લેઈન-ટી, ટી-ઈન પૉટ, ટ્રે-ટી અને એટલા બધા પ્રકારની ચા મળે છે કે વિદેશી મહેમાન આશ્ચર્ય પામે છે. એ જ રીતે ઈંડાની વસ્તુઓનું વૈવિધ્ય અહીં ઘણું છે. પણ આપણા કોર્ન-ફ્લેક્સ એમને બહુ જ નીચી કક્ષાના લાગે છે. પશ્ચિમમાં કોર્ન-ફ્લેક્સ એક પોષક ખોરાક તરીકે નિયમિત લેવાનો રિવાજ છે. આપણા જીવનમાં દરેક જાતિ પાસે સવારે ખાવાનું એક વિભિન્ન નાસ્તાશાસ્ત્ર છે. પશ્ચિમમાં લગભગ સર્વત્ર નાશ્તો એક જ પ્રકારનો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
નાહવાનું હિન્દુઓમાં ધાર્મિક છે. આપણે માટે સવારે પાંચ વાગ્યાની ટ્રેન પકડવાની હોય તો પણ વહેલા ઊઠીને નાહીને જ સ્ટેશને જવું સ્વાભાવિક છે. બાળમંદિર કે કે.જી.માં જે બાળકો સવારે પહોંચાડવામાં આવ્યાં હોય એ લગભગ બધાંને નવડાવીને જ મોકલવામાં આવે છે. આ વાત કરી ત્યારે પશ્ચિમની સ્ત્રીને ખરેખર આશ્ચર્ય થયું હતું. એમને ત્યાં નાહવાનું બહુ જ ઓછું છે. જો કંઈ હોય તો પણ "વૉશ" છે, બાથ નથી. આખું શરીર પલાળી નાખવાવાળું નાહવું વિદેશીને ગમતું નથી, જરૂરી પણ લાગતું નથી. એ જરા વૉશ કરી લે છે, જો કરવું હોય તો. પછી કપડાં પહેરી લે છે. વાળની ટાપટીપ કરવી, મેક-અપ ચીતરવો અને ચીતર્યા કરવો, વાળ ઓળઓળ કર્યા જ કરવા, કપડાંના મૅચિંગ માટે કબાટની સામે ઊભા ઊભા વિચાર કર્યા કરવો, આ વાત એમનામાં નથી અને એ એમના શ્રેષ્ઠ ગુણો છે એવું મને લાગ્યું છે. મેં 21 વર્ષની છોકરી અને 55 વર્ષની સ્ત્રી બંનેમાં આ એક સામાન્ય લક્ષણ જોયું છે. વાળમાં તેલ નહીં નાખવાનું, વાળ ઓળવાના નહીં, કપડાં ઈસ્ત્રી-ટાઈટ અને ચમચમાટ હોય કે ન હોય એની ચિંતા નહીં કરવાની, ફિટિંગ ગમે તે હોય એ ચાલે. કપડાં કે વસ્ત્રો તન ઢાંકવા (કે ન ઢાંકવા કે અર્ધપ્રદર્શન કરવા) માટે છે! મેક-અપ આપણે લોકો આપણી કાળી-બદામી ચામડી પર વાપરી વાપરીને ચામડી રુક્ષ કરી મૂકીએ છીએ. પશ્ચિમની સ્ત્રી મેક-અપનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. એક વાર જ્યારે મેં પૂછ્યું કે લિપસ્ટિક શા માટે છે? ત્યારે ઉત્તર મળ્યો કે આજે ટ્રેનમાં પ્રવાસ કરવો છે અને હોઠ ફાટી ન જાય એ માટે લિપસ્ટિક લગાવી છે ત્યારે મને લિપસ્ટિકની મેડિકલ ઉપયોગિતા વિશે સમજ મળી! આપણી ગુજરાતી મનોવૃત્તિ ફિટિંગ, પ્રસાધનો, કેશવિન્યાસ પાછળ બહુ જ વધારે સભાન હોય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
રસ્તામાં કે બસમાં વાળ ઓળવાનું પશ્ચિમમાં નથી. હોટેલમાં જો તમે તમારા બાળકના પણ વાળ ઓળો તો કોઈ કહી શકે છે: મેડમ રેસ્ટરૂમમાં જાઓ. અહીં વાળ ઓળવાનો નિયમ નથી. ખાવામાં વાળ ન પડે એ માટે એ લોકો સખ્ત આગ્રહી હોય છે. લિફ્ટમાં ચડતી વખતે એ લોકો આયનામાં પણ જોતા નથી એ મેં સ્વયં જોયું છે. આપણા ગુજરાતી-ભારતીય જીવનમાં આયનાને આપણે જીવનનો એક અવિભિન્ન ભાગ બનાવી દીધો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ટ્રેન કે બસમાં ભીડ હોય તો પણ માણસ માણસને અડીને ઊભો રહેતો નથી, અડીને બેસતો નથી. જરા અડી જવાય તો "સૉરી" કે "એક્સક્યુઝ મી" કહેવું જ પડે છે. ક્યારેય માણસ માણસને અડેલો મેં જોયો નથી. એ બધી બાબતોમાં એ લોકો બહુ જ વ્યવસ્થિત છે. દરવાજો ખોલીને પ્રવેશવા વિશે એક વાત ધ્યાન રાખવા જેવી છે. આપણે ત્યાં બંધ દરવાજો હોય તો એક માણસ એ ખોલે ત્યારે બીજો અપરિચિત તરત ઉંદરની જેમ પેસી જાય છે, અને દરવાજો ખોલનારો ઊભો રહી જાય છે. આપણે ત્યાં આ તદ્દન સ્વાભાવિક છે અને આપણે રોજ જોતા હોઈએ છીએ. પશ્ચિમમાં આ વસ્તુને બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. એક વ્યક્તિ જો દરવાજો ખોલે અને બીજો પેસી જાય તો એ વ્યક્તિ ખરેખર ભડકી ઊઠે છે કારણ કે આ વસ્તુ બહુ ખરાબ મેનર્સ ગણાય છે. જે દરવાજો ખોલે એ જ પ્રવેશે, બીજો નહીં. બસની સીટમાં પાછળથી ત્રિભંગ કરીને ઝડપથી બેસી જવાની ચતુરાઈ ત્યાં જોવા મળતી નથી. દરેક વ્યક્તિ પોતાના નાનામાં નાના હક વિશે સતર્ક છે, અને જો એના પર કોઈ તરાપ મારે તો એ વાતનો ઝૂકીને સ્વીકાર કરવાનું પશ્ચિમી ખૂનમાં નથી.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણે ત્યાં મહેમાન જો ચાર દિવસ રહે તો પૂરું ઘર થાકી જાય છે. સવારના ગરમ નાસ્તાથી રાત્રે પથારીઓ કરવા સુધી ગૃહિણી અથવા ઘરની સ્ત્રીઓ સતત વ્યસ્ત રહે છે. આપણો મહેમાન ખરેખર મહેમાન છે. પશ્ચિમી મહેમાનને કપડાં ધોવાની ખટપટ હોતી નથી. પોતાનાં નાનાં કપડાં પોતે સ્વયં ધોઈ લે છે, અને એ એમની તાલીમ છે. પોતાનો સામાન પોતે સ્વયં ઉપાડી લે છે. સૌ પોતપોતાની વસ્તુઓ પોતાની સાથે જ રાખે છે, એકબીજા પર નિર્ભર રહેવાનું ઓછું હોય છે. સૌ પોતાનું પૅકિંગ કરે છે. આપણને આશ્ચર્ય થાય એ રીતે મા અને દીકરી પણ પોતપોતાના પૈસા ખર્ચે છે. આત્મનિર્ભરતા અને સ્વાતંત્ર્ય એ હદ સુધી હોય છે કે દરેક પોતાના પૈસાની સિગારેટ ખરીદીને પીતો રહે છે, કોઈ બીજાને એની વ્યક્તિગત આદતો માટે ડાંટતો નથી. આપણા સંસ્કારોથી આ તદ્દન વિપરીત છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પણ વિદેશી મહેમાનનો ભાર લાગતો નથી. એને ગરમ ગરમ ખાવાનો શોખ નથી કારણ કે એમના જીવનમાં તવા પરથી ઊતરતી રોટલી નથી અને એ ઉતારી આપનારી ફુલ ટાઈમ "ભોજનેષુ માતા" બ્રાન્ડ પત્ની કે નવરી મોટી બહેન નથી. આપણા ગુજરાતી મહેમાનની અપેક્ષા ગરમ ગરમ ખોરાકની છે અને ગુજરાતી ભાણામાં જ્યાં સુધી પોણો ડઝન વ્યંજનો મૂક્યાં ન હોય ત્યાં સુધી આતિથ્ય અપૂર્ણ રહે છે. વિદેશીઓનો ખોરાક પ્રમાણમાં વધારે છે અને વૈવિધ્ય ઓછું છે. એમનું ધ્યાન રાખવાનો ભાર લાગતો નથી.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
રાત્રે સૂતી વખતે આપણે માટે આપણા ઘરમાં પણ પૂરું શરીર ઢાંકીને સૂવું એ સંસ્કાર છે. અહીં પશ્ચિમી અને આપણી સંસ્કૃતિમાં એક બહુ મોટો ફર્ક જોવા મળ્યો છે. પશ્ચિમમાં રાત્રે સૂવું એટલે શરીર પર શક્ય એટલાં ઓછાં કપડાં પહેરીને સૂવું. પ્રવાસમાં પણ બહુ જ ઓછાં કપડાં સાથે લઈને સફર કરવાનો રિવાજ છે. એક વાર ટ્રેનમાં માત્ર ડ્રોઅર્સ (જાંઘિયા) પહેરીને બ્લેન્કેટો ઓઢીને સખ્ત ઠંડીમાં સૂતા પ્રવાસીઓ જોયા ત્યારે થોડી સમજ પડી. ભારતમાં જાહેરની વાત તો દૂરની છે પણ ઘરમાં પણ સૂતી વખતનો એક "ડ્રેસ" હોય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બહુ પૈસાદારોનું જીવન જુદું હશે પણ સામાન્ય વિદેશી માણસો મહેમાનો તરીકે ભારે પડતા નથી. આ બાબતમાં આપણો આપણા મહેમાનોનો અનુભવ લગભગ સરખો છે. પ્રવાસમાં પણ આપણે ઘણાંબધાં કપડાં ધોતા રહીએ છીએ, કોઈ જ તકલીફ ન પડે એ માટે બધી જ નાનીમોટી વસ્તુઓ સાથે ઊંચકી ઊંચકીને ફર્યા કરીએ છીએ. ખાવાપીવામાં પણ આપણને બધી જ સગવડો જોઈએ છે. દિવસભર નાહવાની ઇચ્છા ન થતી હોય એ માટે પશ્ચિમનો ઠંડી અને હવા બરફનો અનુભવ જવાબદાર હશે. જમ્યા પછી હાથ ન ધોવા કે પાણી ન પીવું કે કુલ્લા ન કરવા કે શૌચાલયમાં ટૉઈલેટ-પેપર વાપરવો, આ લક્ષણો દરેક પશ્ચિમી વ્યક્તિમાં સામાન્ય છે. આપણે પાણીનો ઘણો વધારે ઉપયોગ કરીએ છીએ. પશ્ચિમમાં પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બે જુદી દુનિયાઓ છે. પરંપરાઓનો ફર્ક છે, દહીં ઘરમાં જમાવી શકાય એનું પશ્ચિમીને આશ્ચર્ય છે, ત્યાંની હવામાં એ જામતું નથી. એ ચોંટાડેલો વરખ (સિલ્વર પેપર) હાથથી ઉખાડવાની કોશિશ કરે છે! ખાવાનું જમણા હાથથી જ હોય છે એ એને માટે ગમ્મતનો વિષય છે. હોટેલમાં જમતી વખતે પ્યાજની પ્લેટ મફત મળે એ એને સમજાતું નથી. અને એક વાર હિંદુસ્તાની ખોરાકના છ સ્વાદો જીભ પર ચડી ગયા પછી એને એનો પશ્ચિમી ખોરાક પણ "બ્લૅન્ડ" અથવા તદ્દન ફિક્કો લાગવા માંડે છે...!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન: એપ્રિલ 1988)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(વિદેશ)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-1752590919925114072014-10-22T19:02:00.000+05:302014-10-22T19:02:00.851+05:30પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (5)<div style="text-align: justify;">
ગુજરાતી સાહિત્ય પરિષદ 1920ના એપ્રિલમાં ભરાવાની હતી અને ગાંધીજીએ 27 માર્ચ 1920ના "નવજીવન"માં એની નોંધ લીધી હતી: "સર રવીન્દ્રનાથ ટાગોર પોતાની હાજરીથી પરિષદને દીપાવશે એવા ખબર મળી ગયા છે...ભાઈ એંડ્રુસ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી." ગાંધીજીનું ગુજરાતી આજે જરા કૉમિક લાગે એવું છે: પણ સ્પષ્ટ છે. આ નોંધમાં ગાંધીજી આગળ લખે છે. "...આપણે રસ્તા શણગારીએ તો તેમાંય પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ." ગુજરાતી વિદ્વજ્જનોનાં વિશ્લેષણોમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય જેવા શબ્દો આવે છે પણ આવા સરળ અને અર્થસ્પર્શી શબ્દો શા માટે વપરાયા નથી? ગાંધીજીએ વાપરેલા શબ્દો પશ્ચિમતા અને પૂર્વતા લેખકોને પણ કેમ સૂઝતા નથી?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પશ્ચિમની વાતો કરવી જરૂરી છે કારણ કે ઘણાં ક્ષેત્રોમાં એમની પ્રગતિ ચકાચૌંધ કરી મૂકે એવી છે. પણ પશ્ચિમતા અને પૂર્વતાનો ભેદ સમજ્યા વિના માત્ર પશ્ચિમતાના પક્ષધર થવાથી આપણા પ્રશ્નોના હલ મળતા નથી પણ ક્યારેક પ્રશ્નો વધારે જટિલ થઈ જાય છે. પ્રજામાનસ અને દેશકાળને સમજ્યા વિના કરાયેલો પ્રયાસ ક્યારેક માત્ર પ્રયોગિતા બનીને રહી જાય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મુંબઈ શહેરમાં એક બેડરૂમ, કિચન હૉલ કેટલી સાઈઝના મળે છે? એક રૂમ, કિચનની એક જ સ્ટાન્ડર્ડ સાઈઝ શા માટે નથી? ટુ બેડરૂમ, કિચન હૉલની કોઈ નિયત ચોરસ ફીટ મર્યાદા છે? એક બેડરૂમ, કિચન હૉલવાળો ફ્લૅટ સાડા ચારસોથી સાડા સાતસો ચોરસ ફીટ સુધી સેંકડો સાઈઝોમાં મુંબઈમાં બિલ્ડરો બનાવે છે અને મન ફાવે તેમ કાર્પેટ એરીઆ, બિલ્ટઅપ એરિઆ અને સુપર બિલ્ટઅપ એરીઆ ગણીને વેચે છે! રશિયામાં દરેક ફ્લેટ એક સ્ટાન્ડર્ડ સાઈઝની મર્યાદા પ્રમાણે જ બની શકે છે. અન્યત્ર પણ આવું છે. મુંબઈમાં કેમ નથી? એક બેડરૂમ, કિચન, હૉલવાળા ફ્લેટોની એક જ સાઈઝ હોવી જોઈએ એવું પ્રશાસન ન કરી શકે? કરવું નથી, દ્રષ્ટિ નથી, દાનત નથી, કદાચ બિલ્ડરો સાથે એક અપવિત્ર સાઝેદારી છે. શાસકોની ભ્રષ્ટતા એ આપણી પૂર્વતા છે. મધ્યવર્ગને સતત લૂંટતા રહેવાની ઠગવૃત્તિનો ઘરની તલાશમાં નીકળેલા દરેક મુંબઈગરા પરિવારને અનુભવ થતો રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમનો આ ફર્ક બહુ જ ધ્યાનાકર્ષક છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ઘરની જેમ કપડાં અને રોટીની બાબતમાં પણ જુદાઈઓ છે. હિંદુસ્તાનમાં પૈસાદારો અને ગરીબોના વસ્ત્ર-પરિધાનમાં ભેદ છે. અહીં ગરીબો સુતરાઉ કપડાં પહેરે છે. વિદેશોમાં એ અમીરોનો ડ્રેસ છે. કોટનનાં કપડાં ત્યાં બહુ મોંઘા હોય છે. અહીં ઈમ્પોર્ટેડ સિન્થેટિક માટે પડાપડી છે. વિદેશમાં પૈસાદારો સફેદ પોશાક પહેરી શકે છે. ભારતમાં તો મિસ્ત્રી-મજદૂર-કારીગર પણ સફેદ અને પાતળાં કપડાં પહેરીને કામ પર આવે છે! પશ્ચિમમાં મહેનતકશનાં કપડાં જાડાં અને રંગીન હોય છે. અમેરિકામાં સફેદ મોટરકાર પ્રમાણમાં સસ્તી હોય છે કારણ કે એ મેલી થઈ જાય છે. કાર વૉશમાં વધારે મોકલવી પડે છે. અહીં સફેદ કારવાળો શેઠિયો ગણાય છે. સફેદ કાર પદનો અહસાસ (સ્ટેટસ સિમ્બલ) કરાવે છે. આપણે ત્યાં શોકમાં સફેદ વસ્ત્રો પહેરવાનો ધારો છે જ્યારે વિદેશમાં શોક માટેનો રંગ કાળો છે. મૃત્યુ પછી ચર્ચ કે કબ્રસ્તાન તરફ જતી ગાડીઓના જૂલૂસમાં પણ અમેરિકામાં કાળી ગાડીઓ જ વધારે જોવા મળે છે. પશ્ચિમતા અને પૂર્વતા એ બે જુદી વસ્તુઓ થઈ જાય છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ગાંધીજીએ પશ્ચિમતાના વિરોધમાં પૂર્વતાનો પક્ષ લીધો હતો અને પૂર્વતાના પૂર્વની એક બીજી પણ સ્થિતિ છે: પૂર્વગ્રહતા!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન: મે 1987)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(વિદેશ)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-59786143881847598422014-10-22T18:41:00.000+05:302014-10-30T13:52:28.285+05:30પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (4)<div style="text-align: justify;">
રાજ્યપાલોની બે ક્વોલિટી છે - એક પ્રશાસક છે, જેમણે જીવનભર શાસન કર્યું છે અને બહુ હોશિયાર છે. બીજી ક્વોલિટી છે - અશાસક, જે બહુ હોશિયાર નથી! પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી બી.ડી. પાંડે લોકમાન્ય પ્રશાસક છે, બુદ્ધિજીવી પણ છે. એમણે કલકત્તામાં એક પ્રવચન આપતાં એક પ્રસંગ કહ્યો: અમેરિકામાં બાળકોની "આઈ ક્યુ" (બૌદ્ધિક સ્તર) માપવા માટે ઘરમાં વપરાતી કેટલીક વસ્તુઓનાં ચિત્રો બતાવવામાં આવે છે. બાળકોએ આ ચિત્રો ઓળખવાનાં! હવે ભારતમાં આદિવાસી બાળકોની બુદ્ધિનું માપ કાઢવા આ જ ચિત્રો વપરાતાં હતાં! ગવર્નર પાંડેની વાત સાચી હતી. આ પ્રકારનો અભ્યાસ કે સંશોધન અર્થ વગરનાં છે કારણ કે ભારતના આદિવાસી બાળકને વેક્યુમ-ક્લીનર કે વેનીશીઅન બ્લાઈન્ડ્ઝ બતાવીને બુદ્ધિ માપવા બેસનાર, આપણા દેશી ગુજરાતી ભાષામાં, ભણેલો હશે પણ ગણેલો નહીં હોય...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકન પદ્ધત્તિઓનું આંધળું અને એકેન્દ્રિય અનુકરણ ભારતીય દેશકાળ અને મિજાજને હંમેશાં અનુરૂપ હોય એવું બનતું નથી. આપણે ઉચ્ચ શિક્ષણમાં "સિમેસ્ટર સિસ્ટમ" ઉપાડી લાવ્યા. "ઓબ્જેક્ટીવ-ટેસ્ટ" લઈ આવ્યા, "હાયર મેથેમેટીક્સ" લઈ આવ્યા અને બધું ગોટાળે ચડી ગયું! અમેરિકાથી સાસુઓ વિષેની જોક્સ પણ ચોરી લાવ્યા અને છાપવા માંડ્યા, જે અમેરિકામાં મધર-ઈન-લૉ જોક્સ કહેવાય છે. પણ બહુ હસવું આવ્યું નહીં. કારણ સામાજિક છે. ભારતમાં મા-બાપ પુત્ર તથા પુત્રવધૂની સાથે રહે છે, અને પતિ માટે સાસુ એટલી ખરાબ હોતી નથી! અમેરિકામાં છોકરો બાપને રાખે, છોકરી સામાન્ય રીતે માતાને રાખતી હોય છે માટે જમાઈને માટે સાસુ ઉપર પડતી છે! જ્યાં કંઈક પણ પરિવાર રહ્યો છે ત્યાં આ સ્થિતિ છે. બાકી જૂની પેઢી આપણે ત્યાં તો દીકરીના ઘરનું પાણી પણ પીતી ન હતી! આપણે ત્યાં મધ્યવર્ગીય સંસ્કારી પરિવારોમાં સાસુ અને જમાઈને બનતું હોય છે, અને પુત્રવધૂ તથા સાસરાના ઝગડા ભાગ્યે જ હોય છે. કહેવત પણ છે ને: વાંકો ચૂકો, પણ વહુનો રોટલો?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકામાં શિયાળો બહુ સખ્ત અને બર્ફીલો હોય છે જ્યારે ઉનાળામાં ધરતી પ્રફુલ્લિત થઈ ઊઠે છે. લોકો બહાર ફરતા થાય છે, સૂર્ય પ્રકાશનો આનંદ લુંટે છે. શિયાળો મનહુસ સફેદ મોસમ છે જ્યારે ઉનાળો રંગબેરંગી અને સહન કરી શકાય એવો હોય છે. "વિન્ટર ઑફ ડીસ્કોન્ટેન્ટ" નામનો શબ્દપ્રયોગ પણ વપરાય છે. હવે આપણા પત્રકારો અને લેખકો, જે શહેરોમાં રહીને ઋતુઓના ફેરફારો ભુલી ગયા છે અને અમેરિકન સાપ્તાહિકોમાંથી તરજુમા કરી એમની ફાઉન્ટન પેનોની ટાંક ઘસાઈ ગઈ છે, અમેરિકન શબ્દો ભારતીય સંદર્ભમાં વાપરે છે ત્યારે હાસ્યાસ્પદ લાગે છે! ઉનાળો ભારતમાં અસહ્ય છે, લૂ ફુંકાય છે. અમેરિકામાં લૂ નથી, શિયાળાનો ભયંકર બરફ છે, આપણે ત્યાં શિયાળો બહુ મજાનો છે - કસરત કરવાની, સરસ તાજાં શાકભાજી ખાવાની, સરસ પીણાની, ભૂખ લાગવાની, મજા કરવાની સિઝન છે! અમેરિકામાં શિયાળો ખરાબ છે, આપણે ત્યાં સરસ છે. અમેરિકામાં ઉનાળો સરસ છે, આપણો ઉનાળો અસહ્ય છે. અને ત્યાં "ફૉલ"ની મૌસમનું મહત્ત્વ છે, (જેમ રશિયામાં "થો" એટલે બરફ ઓગાળવાની મૌસમનું મહત્ત્વ છે), આપણે ત્યાં ચોમાસું કે વર્ષા છે જે બીજે નથી! અમેરિકન વાતો કે વર્ણનો કે શબ્દપ્રયોગો વાપરતા પહેલાં આ વિચારવું જરૂરી છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ક્યારેક હાસ્યાસ્પદ જાહેરખબરો જોવા મળે છે જે અમેરિકામાં પેદા થઈ છે. એવાં મકાનો અમે બાંધીએ છીએ જ્યાં કપડાં સૂકવવા તમારે "ડ્રાયર"ની જરૂર નહીં પડે, સૂર્યના તડકાથી જ કપડાં સૂકાશે! આ જાહેર ખબર અમેરિકા માટે બરાબર હશે. ત્યાં એ નવીનતા પણ હશે. ભારતમાં કપડાં તડકામાં જ સૂકવાય છે - પચીસ માળના મકાનમાં પણ! એક જાહેર ખબર જોઈ હતી: અમે "પેપર શ્રેડર" (કાગળને તદ્દન ઝીણી ઝીણી કરચોમાં કાપી નાંખતું મશીન, જે અમેરિકાની બધી જ મોટી ઑફિસો વાપરતી હોય છે) બનાવીએ છીએ. જરૂરી કાગળો ભારતમાં બાળી નાખવામાં આવે છે, શ્રેડર કોઈ વસાવતું નથી. અને બિનજરૂરી કાગળ માટે આપણે ત્યાં મહાન રદ્દી ઉદ્યોગ છે જ! અહીં જૂના કાગળો, છાપાં વગેરે વેચાય છે અને બહુ જ ઓછાં છાપાં "વેસ્ટ" થાય છે એ જોતાં એક અમેરિકન પાગલ થઈ ગયેલો! એણે કહેલું કે અમે તો આ "રીસાયક્લીંગ" (વાપરી લીધેલી વસ્તુને ફરી ઉપયોગી બનાવવી) માટે હમણાં હમણાં સતર્ક થયા છે જ્યારે તમે તો વર્ષોથી રીસાયક્લીંગ કરો છો! અમેરિકામાં રીસાયક્લીંગ એ લેટેસ્ટ વસ્તુ છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ભારતમાં હવે વેક્યુમ ક્લીનર બજારમાં આવ્યાં છે. અહીં એવું વેક્યુમ-ક્લીનર (કચરો ખેંચાઈને સાફ થાય એવું મશીન) જોયું જે હેર-ડ્રાયર કે વાળ સૂકવવાનું કામ પણ કરે છે. એક વાર એક ગુજરાતી શેઠનું ઢીલું ધોતિયું વેક્યુમ ક્લીનરમાં ખેંચાઈ ગયું હતું એવું પણ સાંભળ્યું છે - આ હકીકત છે કે જોક છે એ ખબર નથી, પણ વિજ્ઞાનની પ્રગતિ સાથે સાથે ભયસ્થાનો જ પેદા કરે જ છે...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકન વિચારધારાને ભારતમાં ફીટ કરતાં જરા વિચારવું પડે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિક કલકત્તા આવેલો અને થોડો સમય રહીને બ્રહ્મદેશના મોરચા પર લડવા ચાલ્યો ગયો હતો. એ અમેરિકા ગયો ત્યારે એને પૂછવામાં આવ્યું: તને હિન્દુસ્તાન કેવું લાગ્યું? લોકો કેવા છે?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
લોકો બહુ પૈસાદાર છે, અમેરિકન સૈનિકે કહ્યું. તમને કલ્પના નહીં આવે કે હિન્દુસ્તાનમાં સામાન્ય માણસ કેટલો પૈસાદાર છે! ત્યાં ગરીબમાં ગરીબ માણસ એકવાર ટુથબ્રશ વાપરીને ફેંકી દે છે! રોજ નવું ટુથબ્રશ.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકન સૈનિક ભારતીયોને બાવળના દાતણથી રોજ સવારે દાંત સાફ કરતા જોઈ ગયો હતો!...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(વિદેશ)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-61544061857925300812014-10-22T11:02:00.000+05:302014-10-22T11:02:56.151+05:30પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (3)<div style="text-align: justify;">
</div>
<div style="text-align: justify;">
દ્રષ્ટિકોણ નામની એક વસ્તુ છે. ચોગમ પછી એક સંવાદદાતા-પરિષદમાં શ્રીમતી ગાંધીએ એક વિદેશી પત્રકારને કહ્યું એમ લેબેનોન તમારે માટે "મિડલ-ઈસ્ટ" છે, પણ અમારે માટે "વેસ્ટ એશિયા" છે! પશ્ચિમ માટે જે મધ્ય-પૂર્વ છે એ આપણે માટે પશ્ચિમ એશિયા છે. પણ જગ્યા એક જ છે. જે જાપાનને માટે પશ્ચિમ "ફાર-ઈસ્ટ" અથવા દૂર-પૂર્વ વાપરે છે એ આપણે માટે માત્ર પૂર્વ છે. ભારત-બાંગ્લાદેશ વિસ્તારો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં "સાઉથ એશિયા"ના શીર્ષક નીચે ભણાવાય છે. ભારતનો મુસ્લિમ, પાકિસ્તાનનો મુસ્લિમ, ઈરાનનો મુસ્લિમ પશ્ચિમ તરફ મક્કાની દિશામાં મોઢું કરીને નમાઝ પઢે છે...પણ ટ્યુનીસીઆનો મુસ્લિમ, લિબિયાનો મુસ્લિમ, ઈજિપ્તનો મુસ્લિમ પૂર્વ તરફ મોઢું કરીને નમાઝ પઢે છે કારણ કે એને માટે મક્કા પૂર્વમાં છે! અને ઉત્તરમાં રહે તો મુસ્લિમ કઈ દિશામાં મોઢું કરતો હશે?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
દ્રષ્ટિકોણ નામની એક વસ્તુ છે. ફક્ત અંતરિક્ષમાં ફરતા કે ચંદ્રતલ પર કદમ ભરીને ચાલતા મનુષ્યે અવકાશમાં ફરતી, ચકરાતી પૃથ્વી જોઈ ત્યારે એને ખબર પડી નહીં કે પૂર્વ કયું અને પશ્ચિમ કયું? ચંદ્ર પરથી દેખાતી પૃથ્વીને પૂર્વ કે પશ્ચિમ નથી ત્યાંથી જોનારો માણસ માત્ર પૃથ્વી જ જોઈ રહ્યો છે...એક જ પૃથ્વી!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
રાજ કપુરની ફિલ્મ "જિસ દેશ મેં ગંગા બહતી હૈ!"માં એક સંવાદ હતો. ભિખારી ભીખ માંગવા આવે છે અને આપણા દેશમાં "માફ કરો" કહેવાનો રિવાજ છે. રાજ કપૂર કહે છે કે આ એક જ દેશ એવો છે જ્યાં ભીખ માંગવા આવનારને આપણે કહીએ છીએ, ભાઈ, મારી પાસે તને આપવાના પૈસા નથી, મને માફ કર! આ પણ કદાચ એક દ્રષ્ટિકોણ છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(વિદેશ: પૃ. 47થી 50)</div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-2537846610278031452014-10-22T11:00:00.001+05:302014-10-22T11:00:29.367+05:30ભારતીય ભાષાઓમાં લખેલાં નાટકોનાં અંગ્રેજીકરણ વિષે<div style="text-align: justify;">
ભારતની ભાષાઓમાં લખેલાં નાટકોનું અંગ્રેજીકરણ શા માટે હંમેશાં જૂઠ્ઠું અને ફિક્કું લાગે છે? હિન્દુસ્તાનમાં બધાં જ મહાનગરોમાં અંગ્રેજી નાટકો ચાલતાં નથી! અને દોઢસો વર્ષો સુધી મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીમાં લગભગ દર વર્ષે શેક્સપિયર ભણાવાયા પછી આ હાલત છે! અંગ્રેજી નાટક આપણને ગળથૂથીમાં જ પાવામાં આવ્યું છે, આપણે ગુજરાતી, મરાઠી, બંગાળી, મળયાળમ, હિન્દી, કન્નડ નાટકો ભજવીએ છીએ અને જોઈએ છીએ. પૈસા ન હોય તો ટી.વી. પર જોઈએ છીએ. પણ અંગ્રેજી નાટક કેમ જોતા નથી? ભારતીય ભાષામાંથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલાં નાટકો પણ કેમ જોતા નથી?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કારણ છે: દ્રષ્ટિકોણ! ભારતીય જીવન અને અંગ્રેજી દ્રષ્ટિકોણ સાથે ચાલી શકતા નથી કારણ કે નાટકને જીવાતા જીવન સાથે સંબંધ છે (આ જ કારણસર અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકારો બનાવટી અને જૂઠ્ઠા લાગે છે.) અંગ્રેજીમાં ભારતીય જીવન વિશે શબ્દો નથી. ક્યારેક બળજબરી કરીને શબ્દો વપરાય છે જે અનર્થ અથવા અર્થહીનતા પેદા કરે છે!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણે જ્યારે "કેમ છો?" પૂછીએ છીએ ત્યારે એનું અંગ્રેજી "હાઉ આર યૂ?"નથી! આપણે જ્યારે "કેમ છો" પૂછીએત્યારે એમાં એ વ્યક્તિ, એની પત્ની, બાળકો, બહેન, માતા-પિતા, ઘરગૃહસ્થી બધાની તબિયતના સમાચાર પૂછાય છે! એમાં માત્ર તબિયત જ નથી, દૈહિક સ્વસ્થતા જ નથી, એમાં સર્વના સુખ વિષે "ખબર-અંતર" પૂછાય છે. એક જ વ્યક્તિને ભોંકાયેલો એક તીક્ષ્ણ પ્રશ્ન નથી, સમગ્ર પરિવારને આવરી લેતી ઈન્ક્વાયરી છે. અંગ્રેજી નાટકમાં આ "કેમ છો" મૂકી શકાતું નથી...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણે મમ્મીના ભાઈને મામા અને પપ્પાના ભાઈને કાકા કહીએ છીએ! અને સાથે સાથે એક કહેવત પણ કહી શકીએ છીએ: મામા કોઈકના ખરાબ, કાકા કોઈકના સારા! કાકા કુટુમ્બ સંપત્તિના ભાગીદાર છે, મામા મુઠ્ઠીઓ ખોલીને આપે છે. આ બે પાત્રો જુદાં છે. મામાનો છોકરો મિત્ર છે, કાકાનો છોકરો થોડો અમિત્ર છે - કાલે ભાગ માંગવાનો છે! અરબીમાં તો ફોઈના છોકરા માટે "રકીબ" શબ્દ છે, એટલે કે એક જ પ્રિયા માટેનો આપણો હરીફ, દુશ્મન, જે 'રફીક' નથી! આવા આવા શબ્દોની મોટી સૂચિ બની શકે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મામા અને કાકા માટે અંગ્રેજીમાં કેવો ફ્લેટ શબ્દ છે: અંકલ! અને રકીબ માટે છે કઝિન! ભારતીય જીવનમાં, પરિવારમાં કુટુમ્બમાં અંકલો અને આન્ટીઓ નથી...અહીં તો કૌરવો છે, પાંડવો છે, ઘરઘરમાં મીની-મહાભારત ખેલાતું હોય છે...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અંગ્રેજી ભાષાની નવલકથા કે નાટકમાં આપણું જીવન ન મૂકી શકાય.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ગુજરાત સમાચાર: 1983)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(વિદેશ: પૃ. 50થી 52) </div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-21672622863747808302014-10-22T10:35:00.000+05:302014-10-22T10:35:05.790+05:30સાસુ-સસરા : સુખમાં સૌથી દૂર અને દુ:ખમાં સૌથી પાસે !<div style="text-align: justify;">
થોડાં વર્ષો પહેલાં એક વિદ્યાર્થી મળી ગયો. એ પરણવાનો હતો. કૉલેજમાં હતો
ત્યારે પણ એ સ્માર્ટ હતો, હવે બીઝનેસમાં હોંશિયાર થઈ ગયો હોય એવું લાગતું
હતું. એણે વાતો કરી - એની વાગ્દત્તાની, એની ફીઆંસીની...બધું, સરસ હતું પણ
છોકરીનાં મમ્મી-પપ્પા સાથે બનતું ન હતું. વિદ્યાર્થી, જે સિંધી હતો, એણે
કહ્યું: સર, તમે મધર-ઈન-લૉ વિષેની જોક્સ તો વાંચી જ હશે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પશ્ચિમમાં,
એટલે કે ખાસ કરીને અમેરિકામાં, મધર-ઈન-લૉ અથવા સાસુ બહુ, પ્રિય પાત્ર નથી,
એ જમાઈને ઘરે આવે એટલે જમાઈને ગમે નહીં. આપણે ત્યાં પણ કોન્વેન્ટમાં ભણેલા
અને સાસુ વિષેની જોક્સ વાંચીને "સ્નાતક" થયેલા (સ્નાતકનો મૂળ સંસ્કૃત અર્થ
થાય સ્નાન કરેલા) એટલે કે "નાહી નાખેલા" ગ્રેજ્યુએટો અમેરિકન દ્રષ્ટિકોણથી
જોતા હશે! સિંધી વિદ્યાર્થીને એના સાસુ-સસરા વિશે મજબૂત થઈ ચૂકેલો
પૂર્વગ્રહ હતો.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
કોઈપણ પ્રકારના અભિગ્રહ કે આગ્રહ વિના મેં
કહ્યું કે તમારાં સાસુ-સસરાને હું ઓળખતો નથી, પણ એમને એમની પુત્રી માટે
પ્યાર તો જરૂર હશે જ. સાસુની સંસ્થાને આપણે પશ્ચિમની રમૂજી દ્રષ્ટિએ જોઈએ એ
પણ સારું છે પણ ભારતીય દ્રષ્ટિકોણ અને સામાજિક પરિવેશ જુદાં છે. સાસુને
માટે ઉર્દૂમાં કયો શબ્દ છે? સાસુ એટલે "ખુશદામન"! જેની ખુશી જમાઈ પર
હંમેશાં વરસતી રહે છે...! કદાચ ભારતની કોઈ ભાષામાં સાસુ માટે આવો મધુર શબ્દ
નહીં હોય (અને બંગાળી જેવી મધુર ભાષામાં સાસુ માટેનો શબ્દ છે: સાસુડી!)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સાસુ
સસરા પારાયણ કદાચ લાંબું ચાલતું પણ એનું સ્ટૉપ આવી ગયું. પણ એ દરમ્યાન
મારી વાત હું કહી શક્યો. સાસુ-સસરા એટલે એવી વ્યક્તિઓ જે પોતાની પુત્રીને
ચાહે છે અને એનું સુખ ઇચ્છે છે. એ સુખી થાય એ માટે મદદગાર થાય છે.સાસુ-સસરા
તમારા સુખમાં સૌથી દૂર હોય છે. અને તમારા દુ:ખમાં સૌથી પાસે હોય છે.
જ્યારે તમે હૉસ્પિટલમાં બેહોશ પડ્યા હો છો ત્યારે ઈમર્જન્સી વૉર્ડમાં સૌથી
પહેલાં એ પહોંચી ગયા હોય છે અને તમે આંખો ખોલો છો ત્યારે માથા પર જે હાથ
હોય છે એ કદાચ તમારી ખુશદામનનો હોય છે! મધર-ઈન-લૉ ત્યાં અમેરિકામાં કદાચ
ઘેરે આવી ચડતી હશે અને જમાઈના મોઢાનો સ્વાદ ખરાબ થઈ જતો હશે, પણ આપણું તો એ
ભારતવર્ષ છે જ્યાં ગઈ પેઢી સુધી સાસુ-સસરા એમની બેટીના ઘરનું પાણી પણ પીતા
ન હતા...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(ગુજરાત સમાચાર, 1983)</div>
<div style="text-align: justify;">
</div>
<div style="text-align: justify;">
(વિદેશ, પૃ. 47-48) </div>
Unknownnoreply@blogger.com0tag:blogger.com,1999:blog-8697349627080620495.post-35918155796121008412014-10-22T09:57:00.002+05:302014-10-22T09:57:51.377+05:30પૂર્વ અને પશ્ચિમ: ફૅશનભેદ, વિચારભેદ, સંસ્કારભેદ (2)<div style="text-align: justify;">
અંગ્રેજ કવિ રડયાર્ડ કિપલિંગે લખ્યું હતું કે પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે, અને બંને ક્યારેય ભેગાં નહીં થઈ શકે. વર્ષોથી આ વાક્ય પર ચર્ચા થતી રહી છે. વિશ્વમનુષ્ય એક જ છે, આપણે એક જ વિશ્વમાં રહેવું છે. હવે તો જાપાન પણ પશ્ચિમના દેશો સાથે ગણાય છે. સોવિયત રશિયા યુરોપિયન છે. આપણાં મહાનગરોમાં પ્રજા પૅન્ટ પહેરતી થઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક જ છે એવું નેતાઓ કહે છે... અને આપણે પણ કહીએ છીએ. ચામડીને નીચે માણસનું હૃદય એક છે. અને લીલી નસોમાં એક જ લાલ રક્ત વહે છે. ભગવાનનાં નામ જુદાં છે. પણ ભગવાન એક જ છે... અને એવું બધું!...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પણ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ અને સંસ્કાર અને ઇતિહાસ અને જીવનયાપન અને મૂલ્યો અને વ્યવહાર અને માપદંડ જુદાં છે. નાની નાની વાતોમાં એ ફર્ક સ્પષ્ટ દેખાય છે. પશ્ચિમ પાસે પોતાનાં ધોરણો છે. જે કદાચ આપણે માટે અર્થહીન કે નકામાં છે. પશ્ચિમમાં જઈ આવેલો માણસ એક જમાનામાં આપણો માર્ગદર્શક હતો. જ્યારે આપણી ગુલામી ગ્રંથિ છલોછલ હતી. હવે તો જગત ખૂલી ગયું છે અને આપણે આપણી રીતે તટસ્થ વિચાર કરી શકીએ છીએ. રડયાર્ડ કિપલિંગના વિધાનનો પહેલો ભાગ- પૂર્વ પૂર્વ છે, અને પશ્ચિમ પશ્ચિમ છે - સ્વીકારવો પડશે...અને બીજો ભાગ - એ ક્યારેય ભેગાં નહીં થઈ શકે - વિષે જ મતાંતર હોઈ શકે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
માઉન્ટ એવરેસ્ટ પર ચડી આવેલા હિલેરીએ કહ્યું કે મેં એવરેસ્ટને જીતી લીધો! તેન્ઝીંગે શિખર પર ચડીને ઘૂંટણિયે પડીને ફૂલો મૂક્યાં અને પૂજા કરી. હિમાલય જિતાતો નથી, હિમાલયની પૂજા કરવાની હોય છે. બે સંસ્કૃતિનો ભેદ છે. ઈંગ્લૅન્ડમાં લેટરમાં યુનિવર્સિટીમાં ભણતી સાધના મટાણીએ કહ્યું કે અમારા વર્ગમાં એશ-ટ્રે મૂકી હોય છે પણ "ફૂડ ઍન્ડ ડ્રિન્ક્સ" એલાઉડ નથી ત્યારે એમના પિતા ચંદુભાઈને પણ આશ્ચર્ય થયું હતું. ક્લાસમાં એશ-ટ્રે પડી હોય અને વિદ્યાર્થિની સિગારેટ પીતી રહેતી હોય એ આપણા સંસ્કાર નથી. ખરાબ કે સારાની વાત નથી, પાંચ હજાર વર્ષની પરંપરાની વાત છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ઈંગ્લૅંડના ભીખુભાઈ શાહના પુત્રની વેલિંગ બોરો ક્રોયલેન્ડ કાઉન્ટી ઈન્ફન્ટ સ્કૂલની હેડમિસ્ટ્રેસે "ડિયર પેરન્ટ્સ" સંબોધન કરીને પત્ર લખ્યો હતો: "આવતું સત્ર મંગળવાર 2 સપ્ટેમ્બરથી આરંભ થાય છે. તમારું બાળક હવે જુનિયર કૉલેજમાં જશે અને મને વિશ્વાસ છે કે એને તરત જ ફાવવા માંડશે.... તમે કૃપયા નોંધ લેશો કે આગામી રજાઓમાં હું ફરીથી પરણી રહી છું અને મારું નવું નામ થશે - કપુર! બેસ્ટ વીશીઝ, યૉર્સ સિન્સિઅરલી, મેરીએન ઈ. પીઅર્સ, હેડમિસ્ટ્રેસ."</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણા બાળકની સ્કૂલની હેડમિસ્ટ્રેસ આ વૅકેશનમાં ફરીથી પરણવાની હોય અને પોતાનું નવું નામ આપણને લખે એવું આપણે ત્યાં ન જ બને એવું નથી...પણ નથી બનતું! એવું બને તો એ સ્કૂલના ચારિત્ર્યને ધક્કો લાગી જાય...અને મેનેજમેન્ટના બધા જ સેફારી-સુટ શેઠિયા માટે ગૃહક્લેશની નોબત આવી જાય!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ધોરણોનો ફર્ક બહુ મોટો છે. અમેરિકામાં સ્ત્રીઓ હાથમાં સુંવાળું ગલૂડિયું-કૂતરું હોય અને છોકરું પાછળ પાછળ ઘસડાતું હોય. આપણે આપણાં બાળકોને પ્રેમ કરીએ જ છીએ એવું કહી ન શકાય પણ આપણાં સંતાન અને આપણા શ્વાન વચ્ચે આપણા સંતાનને વધારે પ્રેમ આપીએ છીએ એવું જરૂર કહી શકાય.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મુંબઈમાં કેળાં ફ્રીજમાં રાખીએ તો બગડી જાય. લંડનમાં પશ્ચિમ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝથી કેળાં આવે છે અને ફ્રીજની બહાર રાખે તો બગડી જાય. આપણે ત્યાં વરસાદ અન્યાય થયેલા જવાન માણસના રોષની જેમ વીંઝાય છે. ઈંગ્લેન્ડમાં વરસાદ કૂતરાના પેશાબની જેમ થોડો, વારંવાર દૂષિત પડી જાય છે. આપણો તડકો તાકાત આપે છે, ઈંગ્લિશ તડકો ચામડી પર કરડે છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકામાં ફોન આવે - ન્યુયૉર્ક ટાઈમ્સમાંથી - અને પૂછે કે તમારે અમારું છાપું બંધાવવું છે? પેન્સિલવેનિયાના ફિનિક્સવીલ વિસ્તારમાં મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપાવાળો એક એક બંગલાના એક એક પોસ્ટ બૉક્સમાં છાપુ નાખતો જતો હતો એ જોઈને આશ્ચર્ય થયું હતું. મર્સીડીઝ ગાડીમાં બેસીને છાપું નાખનારા અમેરિકન માણસને "ફેરિયાભાઈ" કહીશું? આપણો પૈસાદાર આપણે ત્યાં પીંછાં લગાવીને બે ઇંચ અદ્ધર ઉડતો હોય છે પણ એ બિચારો-બાપડો "ફોરેઈન" જાય છે ત્યારે નાક ઉપર ઘી ચોંટાડી દીધેલા બિલાડીના બચ્ચાની જેમ ખૂણામાં બેઠો બેઠો પોતાનું પૂંછડું અમળાવ્યા કરે છે, અને ઘીની ખુશ્બૂ ક્યાંથી આવે છે એ શોધવા મૂછો ફફડાવ્યા કરે છે. ન્યુયૉર્કની પાસે એવો એક અતિધનિક વિસ્તાર છે કે ત્યાં પોતાની પુલિસ છે, કોઈ ચાલતો દેખાય તો સિક્યુરિટી ગાર્ડ પૂછે છે કે કેમ ચાલો છો? કદાચ કોઈને ચાલવું પડે તો ઝડપથી જ ચાલવું પડે, અને તમે ધીરે ચાલવાના અધિકારી ત્યારે જ બનો જ્યારે તમે તમારા કૂતરાને ફેરવવા નીકળ્યા હો! પૂર્વ અને પશ્ચિમમાં ફર્ક છે. જે માણસ આપણે ત્યાં પોતાની જાતને પૈસાદાર સમજે છે એ અમેરિકામાં કડકો (આપણી ભાષામાં) ગણાતો હોય છે. આ એવી વાત છે કે મુંબઈમાં ફોર્ટમાં જવું હોય તો ફૅશનમાં આપણે કહીએ છીએ કે હું "ડાઉનટાઉન" જઉં છું! પણ ન્યુયૉર્કમાં, જ્યાંથી ડાઉનટાઉન શબ્દ આવ્યો છે, ત્યાં એ સૌથી ગંદો અને ઘટિયા વિસ્તાર છે...!</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સોવિયેત રશિયામાં સ્ત્રીઓના પોશાકની વાત ચાલતી હતી. સ્વાભાવિક રીતે જ, વાત સાડી વિષે નીકળી. આપણે સાડીને સૌમ્ય અને ઈજ્જતદાર પોશાક કે પહેરવેશ સમજીએ છીએ. એક રશિયન સ્ત્રીમિત્રે કહ્યું: "સાડી સૌથી ખુલ્લો ડ્રેસ છે...એ સેક્સી કે બીભત્સ શબ્દ વાપર્યા વિના એ જ અર્થમાં કહેવા માગતી હતી) એમાં પેટ અને કમર ખુલ્લાં હોય છે. જગતમાં કેટલી સ્ત્રીઓ પેટ અને કમર ખુલ્લાં રાખીને કપડાં પહેરે છે?" રશિયન મિત્રે કોઈ દુરાશયથી કહ્યું ન હતું પણ એક તર્કશુદ્ધ વાત કરી હતી! આપણે તો સેંકડો વર્ષોથી માનતા આવ્યા છીએ કે સાડી એ મર્યાદાની ચરમસીમા છે! પણ પેટ અને કમર ખુલ્લાં રહે એવા જગતના કેટલા ડ્રેસ છે? પછી એક લગ્નમાં સારી જગ્યાએ બેસીને મેં સેંકડો સ્ત્રીઓનાં પેટ અને કમરનું વાઈડ એન્ગલ નિરીક્ષણ કર્યું, મિત્રની વાત કડવી લાગે એવી પણ સાચી હતી. વિરાટ પેટો અને વિપુલ કમરો બાદ કરી દઈએ તો પણ દર્શનીય, કમનીય, મનનીય અને અલબત્ત, પ્રદર્શનીય પણ ઘણું હતું...! સાડી જેવી નિર્દોષ પરિધાન વસ્તુમાં પણ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કેટલો દ્રષ્ટિભેદ હોઈ શકે છે?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આવી જ એક ઘટના ફ્રાન્સમાં બની. આપણી ઝોંપડપટ્ટીઓ ભયંકર ગંદી છે એ આખું જગત જાણે છે અને આપણે પણ કબૂલ કરીએ છીએ. એક ફ્રેન્ચ સ્ત્રી મુંબઈના બાંદરાની ઝોંપડપટ્ટીમાં સેવા કરવા આવી હતી. એણે કહ્યું: તમારે ત્યાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે? મેં બાંદરાની ઝોંપડપટ્ટીમાં જોયું છે. રોજ સવારે માતા પાણી લઈ આવે છે, બાળકને પોતે નવડાવે છે, પાઉડર લગાવીને, સ્કૂલનો યુનિફૉર્મ પહેરાવીને સ્વચ્છ કરીને સ્કૂલે મોકલે છે. યુનિફૉર્મ પણ પોતે ધૂએ છે, બાળકના વાળમાં તેલ નાખીને વાળ ઓળે છે! ફ્રાન્સમાં કોઈ માતા આટલું બધું કરે નહીં - પાણી ઊંચકીને લાવવું, નવડાવવું...અને સ્કૂલોમાં અમારે ત્યાં યુનિફૉર્મ પણ નથી...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આપણા હિન્દુસ્તાની દિમાગ માટે આ એક નવો આયામ છે. ફ્રેન્ચ સ્ત્રી કહે છે કે આપણા ઝૂંપડામાં કેટલી બધી સ્વચ્છતાની ભાવના છે! આપણી આંખોએ ઝૂંપડાની માતાની આ સ્વચ્છતાની ભાવના તો જોઈ જ ન હતી! એક વાર મુંબઈ ટીવી માટે સાન્ટાક્રુઝની ગોલીબાર ઝોંપડપટ્ટીની એક ટીવી ફિલ્મ ઉતારવાનો મોકો મળ્યો હતો ત્યારે મેં એક વસ્તુ જોઈ હતી. દરેક ઝુંપડામાં એક ખૂણામાં ભગવાન કે ખુદા કે જિઝસ હતા, એ ખૂણામાં ધાર્મિક કેલેન્ડરો હતાં, એ ખૂણામાં ધૂપ-બત્તી હતાં, એ ખૂણો અત્યંત સ્વચ્છ હતો. અને આ સત્ય દરેક ઝૂંપડાને લાગુ પડતું હતું. દરેક ઝૂંપડાનો એક ખૂણો પવિત્ર હતો...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અમેરિકન પરિવારમાં કમાતી છોકરી પોતાના હિસ્સાનો કુટુંબખર્ચ આપી દે, જે "કીપિંગ-મની" કહેવાય છે. એ પછી એની જવાબદારી નહીં. ઘરમાં બોલાતી ભાષામાં બાપ અને બેટી "માય મની" અને "યોર મની" શબ્દો છૂટથી અને બેરોકટોક વાપરે. જરા આગળ વધે તો માતાને "ઓલ્ડ કાઉ" (બૂઢ્ઢી ગાય) અને પિતાને "ઓલ્ડ મૅન" કહે! પૂર્વ અને પશ્ચિમનો ફર્ક "માતૃદેવો ભવ" અને "ઓલ્ડ કાઉ"નો ફર્ક છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પૂર્વ પૂર્વ છે અને પશ્ચિમ પશ્ચિમ છે. આપણે છોકરાં ઉપાડીએ છીએ, પશ્ચિમમાં "પ્રેમ" અથવા પેરામ્બ્યુલેટર અથવા બાબાગાડીનો વપરાશ છે. આપણે શાકભાજી ઉપાડી લાવીએ છીએ, થેલા ઊંચકીએ છીએ, પશ્ચિમમાં કાર્ટ કે ટ્રૉલીમાં ભરીને ખેંચી લાવવાની પ્રથા છે. પશ્ચિમ જ્યાં પણ જરૂર હોય ત્યાં પૈડાંનો ઉપયોગ કરે છે. પાણી ઓળંગવા માટે હોવરક્રાફ્ટ વપરાય છે, ઊતરવા-ચડવા માટે એસ્કેલેટર છે. મશીનને માણસની સગવડ માટે વાપરવામાં આવે છે. ભારતવર્ષ બદલાવામાં માનતું નથી. આટલો મોટો દરિયો છે પણ આપણે સમુદ્રમાર્ગ નામની વસ્તુમાં સમજ્યા નથી. ઈંગ્લિશ ચેનલ પણ હોવરક્રાફ્ટમાં ઓળંગાય છે અને હવે તો ચેનલની નીચેથી ભૂગર્ભ માર્ગ બનાવ્યા છે. લેનિનગ્રાદથી પેત્રોદ્વરિત્ઝ (પીટરનો મહેલ) હાઈડ્રોફ્રોઈલમાં ગયો ત્યારે મને સમજ પડી કે આ કેવું જરૂરી સમુદ્રી વાહન છે. પણ અહીં સરકાર કરી શકવાની નથી અને બીજાને કરવા દેવાની નથી. અને આપણાં હોડકાં શું ખોટાં છે?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ન્યુયૉર્કમાં હેમાંગ પટેલને પૂછ્યું: 'તમારી પાસે નેઈલકટર છે?'</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
એમણે પૂછ્યું: કયું આપું? હાથનું કે પગનું?</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
એટલે પગના નખ માટે જુદું હોય છે...હેવી હોય છે! આંગળીઓનું લાઈટ હોય છે - હેમાંગ પટેલે કહ્યું.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
પશ્ચિમ દરેક નવી સ્થિતિ માટે નવી વસ્તુ પેદા કરતું રહે છે. વૉશિંગ મશીનમાં સ્નીકર્સ (કૅનવાસના બૂટ) પણ નાખીને ધોઈ નાખે છે અને પગના નખ માટે જુદું નેઈલ કટર પણ બજારમાં મૂકી દે છે. આપણી વાત જુદી છે...આપણે બ્લેડ કે કાતરથી પણ નખ કાપી શકીએ છીએ...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(સમકાલીન: ઓગસ્ટ 1986)</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
(વિદેશ)</div>
Unknownnoreply@blogger.com0