October 16, 2015

કહેવતો: (1) છેડો અડકે છોકરું થાય? (2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે

રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ અને વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને હવા નાખનારા બરાબર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે. આપણે ત્યાં એક કૉમિક કહેવત છે કે 'છેડો અડકે છોકરું થાય?'...જવાબ છે કે ન થાય! પણ તણખો ઊડે ભડકો થઈ શકે! લોકો હમેશાં કહેવતો દ્વારા પરમ સત્ય કહી દેતા હોય છે. ગ્યાની ઝૈલસિંઘ અને ગાંધી રાજીવનું ઠંડું યુદ્ધ બીજી એક દેશી કહેવતની યાદ અપાવે છે! લોકો કહે છે કે 'ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે'...પણ રાજીવ ગાંધીને આ ખબર નથી. ગુજરાતીઓની શહેરી અટરલી, બટરલી, અમૂલ પેઢીને આ બધા શબ્દો ન પણ સમજાય. વેલ, સની એન્ડ હની, ડાંગ મીન્સ વાંસની લાઠી અને હાંલ્લા એટલે માટીનું વાસણ જેમાં તમારા ગ્રેન્ડ-પાની મોમ દેશમાં કઢી ઉકાળતી હતી. 

(સમકાલીન: માર્ચ 25, 1987)   (રાજકારણ-2)

[પૂરક માહિતી: રતિલાલ નાયકના કહેવતકોશ પ્રમાણે બંને કહેવતોના અર્થ આ પ્રમાણે છે:

(1) છેડો અડકે છોકરું થાય? : પાલવ પકડવાથી તરત ઘર મંડાય ને સ્ત્રી એમ ઘરમાં આવતાં સંતાનની ભૂખ ભાંગે?
(2) ખોખરી ડાંગ પણ હાંલ્લાને ફોડી નાખે: થોડુંક બળ પણ કેટલીક બાબતોમાં અસરકારક નીવડે.]

પત્રકાર અને ઇતિહાસકાર

પત્રકાર કંઈક એવા ભ્રમમાં જીવતો હોય છે કે એ ઇતિહાસના સર્જનનો સાક્ષી હોય છે. પણ પત્રકાર ઇતિહાસકાર નથી. પત્રકાર વર્તમાનની આગળપાછળ જોઈ શકતો નથી. પત્રકારનું ગજું નથી અને ભારતીય કે ગુજરાતી પત્રકાર ઝાડના થડ પર ફરતા મંકોડાની જેમ જ રેંગતો હતો, નદીમાં રેલ આવી ગઈ એની એને ખબર ન રહી. થડ ડૂબ્યું ત્યારે સમજાયું કે નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે.

ઇતિહાસકારને વર્તમાનમાં રસ નથી, આજના સમાચાર આવતી કાલની ઇતિહાસની જમીન માટે ખાતર છે. ઇતિહાસકારને પૂર્વગ્રહ હોતો નથી એટલે એ પત્રકારની જેમ ગભરાઈ જતો નથી. ઇતિહાસકારને વ્યક્તિઓ કરતાં પ્રજામાં વિશેષ રસ હોય છે. વોટના ટોટલ કરતાં સત્તાની સમતુલામાં વધારે રુચિ હોય છે, નવી દિલ્હીની દિશામાં સૂર્યનમસ્કાર કરવા કરતાં દિલ્હીમાં પસાર થઈ ગયેલા યુગો અને યુગપુરુષો સાથે આજના ઇતિહાસનું તુલનાત્મક અધ્યયન કરવામાં ગહરી દિલચસ્પી હોય છે! પત્રકાર કરતાં ઇતિહાસકાર વધારે પુખ્ત અને પરિપક્વ છે. એનું સત્ય ચોવીસ કલાકનું નહીં, પણ ચોવીસ સદીઓનું સત્ય છે. એને ત્રિકાળમાં રસ નથી, એને દ્વિકાળ અથવા બેકાળમાં રસ છે - અને એ છે ભૂત અને ભવિષ્ય!

(સંદેશ, 1980) (રાજકારણ-2)

રાજા વિ. કાનૂન

ઓગણીસમી સદીમાં અબ્રાહમ લિંકને વ્યાખ્યા આપી હતી કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા, લોકોની રાજ-વ્યવસ્થા! મારી દ્રષ્ટિએ લોકશાહી એક જ શબ્દમાં આવી જાય છે: 'એકાઉન્ટેબિલીટી' અથવા વિશ્વસનીયતા! તમારા સુકર્મો કે કુકર્મોને માટે તમે જવાબદાર છો, તમારું ઉત્તરદાયિત્વ છે, તમને પ્રશ્ન પૂછવાનો જનતાને અધિકાર છે. તમે મનસ્વી નથી, તમે રાજા નથી, તમે માત્ર પ્રજાપતિ છો. જો પ્રેઝીડેન્ટને માટે રાષ્ટ્રપતિ શબ્દ વાપરીએ તો ગવર્નર કે ચીફ મિનિસ્ટરમાંથી એકને માટે પ્રજાપતિ શબ્દ વાપરવો જોઈએ.

સત્તા પર બેઠેલા ગમે તે માણસની મૂર્ખતાનો દુર્જન લાભ ઉઠાવી શકે છે, પણ સત્તા પર બેઠેલા દુર્જનની પ્રજાને મૂર્ખ બનાવવાની બદદાનતને પ્રજાવાદમાં સીમા બાંધેલી છે. ભારતના સંવિધાનમાં ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિની શક્તિઓની પણ મર્યાદા બાંધેલી છે. કાયદો એટલે જ અમર્યાદ સ્વાતંત્ર્ય પર મર્યાદાની લગામ! જે માણસ પ્રામાણિક છે એ કાયદો સ્વીકારીને પોતે જ પોતાના પર પ્રતિબંધ મૂકે છે અને મર્યાદા બાંધે છે. રામાયણના મર્યાદા-પુરુષનો એવો જ કાંઈ અર્થ હશે. અંકુશનું સંતુલન સંવિધાનના પાયામાં છે. એલજીબ્રાના દાખલાની જેમ સત્તા અને શક્તિના સમીકરણો સામસામાં અને સરખાં ગોઠવાય તો જ રાજતંત્ર ચાલી શકે. ચાબુક એક્સીક્યુટીવના હાથમાં છે, પણ લગામ જ્યુડીશીઅરી પાસે છે.

આજે ભારતીય પ્રજાવાદમાં શાસન (એક્સીક્યુટીવ) અને ન્યાય (જ્યુડીશીઅરી) એકબીજાના પૂરક થવાને બદલે વિરોધક થઈ ગયા છે. શાસન અને ન્યાય છૂટા રહેવા જોઈએ એવું સંવિધાનના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખ્યું છે. પણ એ પક્ષ અને વિપક્ષ નથી. આ બે વચ્ચેની સીમારેખા સ્પષ્ટ છે પણ મજબૂત અથવા મૂર્ખ અથવા ગાંડો શાસક આ ભૂંસી નાખે છે. ક્યારેક ન્યાયાલય મજબૂત અને લોકપ્રિય શાસકને પણ અકારણ અકળાવે છે ત્યારે જવાહરલાલ નહેરુ જેવાએ પણ કહ્યું હતું: સુપ્રિમ કૉર્ટ એ સંસદનું ત્રીજું ભવન નથી, એ માત્ર સુપ્રિમ કૉર્ટ છે. એણે સંસદના ત્રીજા ભવન થવાની ગુસ્તાખી કરવી જોઈએ નહીં.

પણ એ દિવસો જુદા હતા. ઘરના કરોડો રૂપિયા અને જવાનીનાં તેર વર્ષોનો જેલનિવાસ દેશને સમર્પણ કરીને આવતા પારસમણિ જેવા સ્વચ્છ જવાહરલાલ નેહરુ જેવા દેશનેતાઓ હતા. 1928 અને 1982 વચ્ચે બધું જ ઊંધુચત્તું થઈ ગયું છે - આંકડાઓની જેમ!

આ દેશના ઇતિહાસે વિવિધ પ્રકારના સેંકડો શાસકો જોયા છે - હુકમ કરનારા અને જોહુકમી સહન કરનારા, ઉમદા અને ઉલ્લુના પઠ્ઠા, કલાકારો અને કમબખ્તો, સૂર્યવંશી અને સુવ્વરની ઔલાદો, સંતો અને શયતાનો! ભારતીય પ્રજાએ સદીઓનો અનુભવ પચાવ્યો છે. જેમના વ્યક્તિત્વમાં વિરાટ વિરોધાભાસ છે એવા ઔરંગઝેબો પણ આલમગીરો બનીને પસાર થઈ ગયા છે! ઔરંગઝેબ ભયાનક ઝુલ્મગાર હતો, સગાઓનું ખૂન વહાવનારાઓમાં એનો મુકાબલો નથી...અને એ એટલો ખાનદાન માણસ હતો કે દુનિયા એને "આલમગીર ઝિન્દા પીર" કહેતી હતી! દક્ષિણમાં ચડાઈ વખતે એની પત્ની રૂબિયા બેગમને પ્લેગ થયો ત્યારે એણે સરકારી ખજાનામાંથી પૈસો વાપર્યો ન હતો! એનું વિધાન હતું કે આ ધન સરકારી છે, મારું નથી! ફળ એ આવ્યું કે રૂબિયા બેગમ પ્લેગમાં મરી ગઈ...! સારા અને ખરાબનું આવું વિચિત્ર મિશ્રણ બહુ ઓછા મનુષ્યોમાં જોવા મળે છે...

ન્યાય સંપૂર્ણ નથી પણ એમાં સદીઓના ડહાપણનું ચયન હોય છે એમ મનાય છે. ન્યાયની ધુરા પર રાષ્ટ્રો ઊભાં રહે છે. ન્યાય ભૂલો કરે છે એ સાચું છે પણ સિદ્ધાંતો ખોટા નથી. ગરમીથી પારો ફેલાઈ જાય છે એ ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે. પણ જો એક થરમોમિટરમાં ગરમી આપવા છતાં પારો ફેલાય નહીં તો એ થરમોમિટર ખોટું છે, પારાની વૃદ્ધિનો સિદ્ધાંત ખોટો નથી! આવું જ કંઈક ન્યાયનું, ન્યાયાલયનું, ન્યાયાધીશનું છે. આ ઇતિહાસબોધ છે.

પ્રામાણિકતાનો હ્રાસ થઈ શકે છે, તદ્દન લોપ થઈ જતો નથી! અને સમાજકારણમાં જ નહીં પણ રાજકારણમાં પણ આ સિદ્ધાંત વજ્રલેપની જેમ ઊભો છે!

(ગુજરાત સમાચાર, 1982)

(રાજકારણ-1)

October 15, 2015

લઘુમતી શબ્દ હવે જૂનો થઈ ગયો છે!

લઘુમતી એટલે? જેમની સંખ્યા ઓછી છે! કેટલી ઓછી? એક ટકો વસતી લઘુમતી કહેવાય પણ દસ ટકા, પંદર ટકા, અઢાર ટકા લઘુમતી કહેવાય? તેત્રીસ ટકા, અડતાલીશ ટકાને લઘુમતી કહેવાય? ભારતના રાજકારણમાં લઘુમતી શબ્દ મહત્ત્વનો છે, કારણ કે લઘુમતીના મત વહેંચાઈ જતા નથી પણ સામાન્ય રીતે એક સાથે જ આવે છે! અને અભ્યાસથી એવું પણ સમજાયું છે કે લઘુમતીના સ્ત્રી-મતો લગભગ સો ટકા એક જ પક્ષ અથવા વિચારધારાને મળે છે. અને એમાં પણ જ્યાં પ્રજા અભણ કે અર્ધશિક્ષિત હોય અને એ પ્રજાનું શિક્ષણધોરણ તદ્દન નીચું હોય ત્યાં 'બ્લૉક વોટિંગ' અથવા એકપક્ષી સમૂહ મતદાન થાય છે!

લઘુમતી શબ્દે ઘણી વિચિત્રતા પેદા કરી છે. ભારતમાં લઘુમતી ગ્રંથિ નામની વસ્તુ પણ હવે પેદા થઈ ગઈ છે જે લઘુતાગ્રંથિથી જરા જુદી છે! લઘુતા અથવા હીનતાની ભાવનાથી વ્યક્તિ ક્યારેક વધારે શાંત થઈ જાય છે પણ લઘુમતીની ગ્રંથિમાં લઘુમતી વધારે અસલામત, આગ્રહી કે આક્રમક બનવાના લક્ષણો દેખાય છે. લઘુમતી પોતાના ધાર્મિક, ભાષાકીય, કે ભૌગોલિક અધિકારો વિષે વધારે સતર્ક અને સભાન બની જાય છે. માનસશાસ્ત્રની ભાષામાં લઘુમતી વધારે ભાવુક અને સંવેદનશીલ બને છે અને એનો આવેશ હિંસારેખાની નીચે જ ઘૂંટાતો હોય છે... 

અમેરિકામાં હવે 'લઘુમતી-બહુમતી' શબ્દો વપરાતા નથી. પહેલાં અમેરિકા 'મેલ્ટીંગ-પોટ કહેવાતું હતું, બધી જાતિઓ અહીં આવીને ઓગળીને એકરસ બનીને અમેરિકન બની જતી હતી. હવે અમેરિકાના વિચારકો એમ માને છે કે આ એકરસ થઈ ગયેલી વસ્તુ અમેરિકા નથી પણ અમેરિકા એક મોઝેઈક છે - જુદા જુદા રંગોવાળા આરસના ટુકડા ફીટ કરવાથી જે ડિઝાઈન બને છે એ ડિઝાઈન છે! એમાં દરેક રંગનું મહત્ત્વ છે. દરેક રંગની જુદાઈ અને એની અલગતા ગર્વ લેવાની વસ્તુ છે, કોઇ પ્રજા બહુમતીમાં નથી, દરેક જાતિનું પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ અને યોગદાન છે! ભારતમાં પણ ભાવનાત્મક ઐક્યની આપણે વર્ષો સુધી વાતો કરી પણ આચરણમાં બહુ પ્રગતિ કરી શક્યા નહીં. એકચક્રી શાસનનો પ્રયોગ એ સમયે ઠીક હતો પણ હવે એમાં તિરાડો દેખાય છે!

કાશ્મીરને નિયમિત પંપાળવું પડે છે, શીખ અકાલીઓ અલગતાવાદના માર્ગ પર છે, આસામ-મીઝોરમ-નાગાલેન્ડ, મણિપુર-ત્રિપુરાના પ્રશ્નો હવે આપણને દઝાડે એવા ભડકી રહ્યા છે, બંગાળના કમ્યુનિસ્ટો સાફ આરોપ મૂકે છે કે કેન્દ્ર બંગાળને એક કોલોની અથવા સંસ્થાન સમજી રહ્યું છે, દક્ષિણમાં તામિલનાડુ પંદર વર્ષોથી 'મદ્રાસી' સ્થાનિક પક્ષોના હાથમાં જ છે, આંધ્રમાં રામરાવની તેલુગુ દેશમની તરવાર ઊભી જ છે, કર્ણાટકમાં કન્નડા-રંગાનું આંદોલન છે, કેરાલા ક્યારેય કેન્દ્રની એડી નીચે સતત રહ્યું નથી! આ ભૌગોલિક 'લઘુમતીઓ'નું ચિત્ર છે. કદાચ અમેરિકાની જેમ ભારતે પણ હવે 'મેલ્ટીંગ પૉટ'ના સ્થાને 'મોઝેઈક'નો વિચાર કરવાનો સમય આવી ગયો છે. 'ભાવનાત્મક ઐક્ય'ને બદલે 'ભાવનાત્મક વૈવિધ્ય'નો વિચાર આજના સમયમાં યોગ્ય લાગી રહ્યો છે.

સ્થાનિક દ્રવિડ પક્ષોના હાથમાં રહેવાથી તામિલનાડે છેલ્લા પંદર વર્ષોમાં પ્રગતિ કરી નથી? હરિયાણા અને ગુજરાત છૂટા પડ્યા પછી આજ વીસ-પચીસ વર્ષોમાં  ભારતનાં પ્રથમ રાજ્યો બની ગયાં છે! દુનિયામાં વસેલા ભારતીયોમાંથી ગુજરાત, કેરાલા અને પંજાબના લોકોને બાદ કરી નાંખો તો શું રહે? ટૂંકા સમયમાં વધારે પ્રગતિશીલ થવું જ પડે છે... અને આંધ્ર પ્રદેશની જેમ ભાવનાત્મક ઐક્યની ગુડ્ઝ ટ્રેનના ડબ્બા થવા કરતાં નાનકડા ગોવાની જેમ ડીલક્ષ બસ થવું શું ખોટું? ગોવાને મહારાષ્ટ્રમાં ડુબાડી દીધું હોત તો ગોવા કદાચ આટલી પ્રગતિ કરી શકત કે નહીં એ પ્રશ્ન છે. જાતિય વૈવિધ્યને બદલે હવે શાંતિથી વિચારવાનો સમય ભારતીય રાજનીતિમાં આવી ગયો છે.

અમેરિકા આ બાબતમાં બહુ તંદુરસ્ત વિચારો કરી શકે છે. ત્યાં બહુમતી નથી. મૂળ અંગ્રેજ આવેલા જે વસતીમાં આજે પંદર ટકા જેટલા છે. જર્મન રક્તવાળા અમેરિકન તેર ટકા છે, હબસી અથવા નીગ્રો અગિયાર ટકા છે. આજે અમેરિકામાં આયરલેન્ડ કરતાં વધારે આયરીશ છે, ઈઝરાયલ કરતાં વધારે યહૂદીઓ રહે છે અને આફ્રિકાના કેટલાય દેશો કરતાં વધારે હબસીઓ રહે છે. ઈટલીના વેનિસ નગર કરતાં વધારે ઈટાલીઅનો ન્યૂયોર્કમાં છે અને પોલેન્ડના કેટલાંય શહેરો કરતાં વધારે પોલ લોકો ડેટ્રોઈટમાં વસે છે! 1965 પછી અમેરિકામાં વિચારો બદલાયા છે અને જાતિવાદની જુદાઈને હવે પ્રોત્સાહન મળતું જાય છે. હવે લઘુમતી કે 'માઈનોરીટી'ને બદલે જાતીય કે 'ઍથ્નિક' શબ્દ વપરાવા માંડ્યો છે.

ભુજ કરતાં વધારે કચ્છીઓ મુંબઈમાં રહે છે અને રાજકોટ કરતાં વધારે કાઠિયાવાડીઓ મુંબઈમાં રહે છે! અને અમદાવાદ કરતાં વધારે ગુજરાતીઓ પણ મુંબઈમાં વસે છે! એક અનુમાન પ્રમાણે છવ્વીસથી અઠ્ઠાવીસ લાખ ગુજરાતીઓ મુંબઈમાં છે. આટલી મોટી સંખ્યાને લઘુમતી કહેવાય! અથવા કહેવાવી જોઈએ? ગોવા કરતાં વધારે કૅથલિક અને કેરાલાનાં મોટાં શહેરો કરતાં વધારે મળયાળી પ્રજા મુંબઈમાં છે. આ બધાના વિવિધ જાતિ મોઝેઈકને લીધે મુંબઈ ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાવનાત્મક ઐક્યનું બુલડોઝર ફરી જાય તો મુંબઈ કલકત્તા બની જાય! અમેરિકા પ્રગતિ કરી શક્યું છે કારણ કે એ દરેક પીડિતની માતૃભૂમિ છે - હંગેરીથી, પૂર્વ યુરોપથી, વિયેતનામથી, ચીનથી દુનિયાને છેડેથી માણસ આવ્યો અને અમેરિકામાં એને સ્વતંત્રતા મળી! પોતાની ઇચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા, પોતાની ઇચ્છા પ્રમાણે ધર્મ પાળવાની અને પરણવાની સ્વતંત્રતા...! અને અમેરિકામાં લઘુમતી નથી, બહુમતી નથી. સાચા અર્થમાં અનેકતામાં એકતા છે!...

(રાજકારણ-1)

October 5, 2015

ભાષણ, સંભાષણ અને અભિભાષણ

ઈન્દિરા ગાંધી પંદર વર્ષથી પ્રધાનમંત્રી છે અને એમણે દસ હજાર પ્રવચનો આપ્યાં હશે (દિવસના સરેરાશ બેને હિસાબે) પણ ભાગ્યે જ એમનું કોઇ વાક્ય મશહૂર થયું હશે! જે માણસો એમને તરત પ્રવચનો લખી આપતા હોય એમને તરત પાણીચું આપી દેવું જોઈએ. હજી વક્તા તરીકે ઈન્દિરા ગાંધી ઇતિહાસમાં સ્થાન પામે એવું એક પણ વાક્ય બોલ્યાં નથી!

આ મતલબની વાત હમણાં એમના પ્રશંસક ખુશવંતસિંહે લખી છે, અને શ્રીમતી ગાંધીના એકકાલીન તરફદાર અંગ્રેજ જેમ્સ કેમેરોને પણ આમ જ લખ્યું છે એવો ખુશવંતસિંહે હવાલો આપ્યો છે જે લોકોએ ભારતના મહાન વક્તા-દેશનેતાઓને સાંભળ્યા છે એમને આ વાત સાચી લાગશે. ઈન્દિરા ગાંધી પાસે વક્તાની તેજસ્વી આભા કે ઝલઝલા પેદા કરે એવી ધારદાર ભાષા કે ઇતિહાસમાં પાનાં પર અંકિત થઈ જાય એવાં વાક્યો નથી! નેહરુની બેટી પાસે નેહરુની ગજબનાક વક્તૃત્વશક્તિની છાયા પણ આવી નથી એ હકીકત છે...

હિન્દુસ્તાનમાં છેલ્લાં ચાળીસ વર્ષોમાં કેટલાક મહાન રાજનેતા વક્તાઓ વ્યાખ્યાતાઓને સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે, આજે રેડીઓ અને ટીવીના સમાચાર વાંચનારાઓ બોલે છે ત્યારે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના ભાષણને માટે 'સંભાષણ' કે 'અભિભાષણ' જેવા શબ્દો વાપરતા સાંભળ્યા છે. એ જમાનામાં જ્યારે મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નેહરુ દેશના નેતાઓ હતા ત્યારે ફક્ત ભાષણો થતાં હતાં. હજી સુધી અભિભાષણનો અર્થ સમજાયો નથી. કદાચ રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ બોલે છે એને અભિભાષણ કહેતા હશે. ઝૈલસિંઘ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને શપથ ગ્રહણ કર્યા ત્યારે એમણે કહ્યું હતું; 'હમ પરગતિ કરેંગે! (એમનું કહેવું હતું: 'હમ પ્રગતિ કરેંગે!) પ્રગતિમાંથી પરગતિ થઈ જાય એને અભિભાષણ કહેવાય એમ લાગે છે.

1947માં ગાંધીજીને કલકત્તા પાસેના સોદપુર આશ્રમમાં સાંભળ્યા હતા. ગાંધીજીને સાંભળવાનો એ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો. પ્રાર્થના સભામાં જ્યુથિકા રેએ ભજન ગાયું હતું. પછી ગાંધીજીએ પ્રવચન આપ્યું હતું. એ 'સ'નો ઉચ્ચાર કરી શકતા ન હતા અને 'શ' સંભળાતું હતું પણ વિચારોની સ્પષ્ટતા અને સંતુલન સમજવાની ઉંમર ન હોવા છતાં એ દ્રશ્ય, એ મુદ્રા, ગાંધીજીનું આગમન અને ગમન બધું જ સ્મૃતિપટ પર અંકિત છે! પછી ગાંધીજીના પ્રવચનો વાંચ્યાં ત્યારે થયું કે વિચારની પારદર્શકતા, ભજનની સાદગી અને મહામાનવની સહજતા એમનાં વાક્યોમાં સનાતન રહેશે. એ સામાન્ય વક્તા હતા પણ એમની અસર અસામાન્ય થતી હતી... સાદાઈ અને ભાષાની સરળતામાં ગાંધીજીની યાદ આપે એવાં પ્રવચનો લાલબહાદુર શાસ્ત્રીના હતાં, જે ગાંધી જયંતિને દિવસે જ જન્મ્યા હતા! 1965ના પાકિસ્તાન યુદ્ધ પછી એમને કલકત્તામાં સાંભળ્યા હતા. રામાયણ વાંચતા હોય એ રીતે એ બોલતા પણ દરેકેદરેક શબ્દ સંભળાતો અને પ્રયત્ન વિના સમજાતો. ગરીબી, અને પોતાની ગરીબીની વાત પણ એમણે રમૂજથી કરી હતી. એમના અવાજમાં સચ્ચાઈ લાગતી હતી. વક્તા તરીકે કમજોર પણ વ્યક્તિ તરીકે વિશ્વાસપાત્ર લાગે એવો એમનો સ્વર હતો.

જવાહરલાલ નેહરુને પ્રથમ 1945 કે 1946માં કલકત્તાના ખેંગરાપટ્ટી મેદાનમાં સાંભળ્યા હતા. આજે એ મેદાન પણ રહ્યું નથી. નેહરુના અવાજની ખરાશ, નેહરુનો ગુલાબી મિજાજ, નેહરુની ઝાગદાર હિન્દુસ્તાની ભાષા, નેહરુનો ગુસ્સો એ પહેલી મિટીંગમાં જ જોઈ લીધો. પછી નેહરુને ઘણીવાર સાંભળ્યા, બે વાર તદ્દન નિકટથી દસેક ફીટના અંતરથી સાંભળવાનો મોકો મળ્યો. દરેક પ્રવચન (અંગ્રેજી) એ શરૂ કરતા: 'ફ્રેન્ડ્ઝ ઍન્ડ કૉમરેડ્ઝ!' એમના ઉચ્ચારણમાં જબરી મીઠાશ હતી: ગવર્મેન્ટનો ઉચ્ચાર 'ગમ્મેન્ટ' જેવો થતો. એ અવાજમાં પાગલ કરી મૂકે એવું ચુંબકીય ખેંચાણ હતું - ખૂબસૂરત, વિદ્વાન, સશક્ત, કરોડપતિનો એકનો એક બેટો જેણે બાર વર્ષો અંગ્રેજોની જેલોમાં ગાળ્યાં હતાં એ જવાહરલાલ આઠ વર્ષના બાળકથી એંશી વર્ષના વૃદ્ધ સુધી દરેકને હચમચાવી શક્યા હતા...ફક્ત અવાજથી! એમની પ્રવચન આપવાની સ્ટાઈલ પર એક આખું પ્રવચન આપી શકાય એટલાં પ્રવચનો નેહરુની ઝબાનથી સાંભળ્યાં છે.

સન 15 ઑગસ્ટ 1947ની રાતે એમણે દિલ્હીની સંસદસભામાં હિન્દુસ્તાન આઝાદ થઈ રહ્યું હતું એ ક્ષણે આપેલું ધબકતું પ્રવચન પાલનપુરમાં રેડિયો પર સાંભળ્યું હતું અને 30 જાન્યુઆરી 1948એ ગાંધીજીની હત્યાની રાત્રે નેહરુ બોલ્યા હતા એ આખું પ્રવચન નેહરુના રડવાના અવાજ સાથે બરાબર સાંભળ્યું છે!

1971ના યુદ્ધની શરૂઆત થઈ એ રાત્રે બારેક વાગે ઈન્દિરા ગાંધીએ જે વાયુ પ્રવચન આપ્યું હતું એ કદાચ એટલું જ યાદગાર હતું - શબ્દોની દ્રષ્ટિએ નહીં પણ ઐતિહાસિકતાની દ્રષ્ટિએ!

ભુવનેશ્વરમાં 1959માં ડૉ. રાધાકૃષ્ણનને નિકટથી સાંભળ્યા હતાં. ભાષાનું પ્રભુત્વ અને અવાજનું માધુર્ય રાધાકૃષ્ણન જેવું ભાગ્યે જ કોઈનું જોયું સાંભળ્યું છે. રાધાકૃષ્ણનની વાણી માટે 'અસ્ખલિત' શબ્દ જ વાપરી શકાય. તે તદ્દન સફેદ વસ્ત્રો પહેરતા અને ગોરા હતા. ભારતે એમની કક્ષાના વક્તાઓ બહુ ઓછા પેદા કર્યા છે.

સરદાર પટેલને એમના અવસાન પૂર્વે 1949માં સાંભળ્યા હતા. એમની તબિયત અસ્વસ્થ હતી. હિંદી પણ ગુજરાતીની છાંટવાળું લાગે પણ ખરેખર સ્પષ્ટ વક્તા! અને લોકો ધ્યાનથી એકેએક શબ્દ સાંભળે. વાતો કરતા હોય એટલી નિકટતાથી એ પ્રવચન આપતા.

1945માં જયપ્રકાશ નારાયણ છૂટીને આવ્યા ત્યારે યુવાપેઢીના હીરો હતા! ખૂબસૂરત, ઊંચા અને નેહરુ પછી બીજા સૌથી લોકપ્રિય નેતા! એમને ઘણીવાર એ અરસામાં સાંભળેલા. ડૉ. રામમનોહર લોહિયા, કલકત્તાના કૉફી હાઉસમાં આવીને બેસતા, ગમે તે માણસ ખુરશી ખેંચીને જોડાઈ શકે! એ લાભ પણ મળ્યો હતો - લોહિયા એકલા જ બોલ્યા કરે બાકી બધાએ સાંભળ્યા કરવાનું - પણ મહાન, મેધાવી, તેજસ્વી માણસ! મોતના સમાચાર સાંભળીને ગળું ભરાઈ આવે એવું વ્યક્તિત્વ! અશોક મહેતા ખૂબ જ સરસ ઉર્દૂ બોલતા.

આર.એસ.એસના ગુરૂજી ગોલવાલકરને સાંભળ્યા છે અને વીર સાવરકરને પણ બે વાર સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. સાવરકર બહુ ઠીંગણા હતા પણ એમના સ્વરમાં જે રોષ અને આક્રોશ હતાં એવાં બહુ ઓછા વક્તાઓમાં સાંભળ્યાં છે! એ નાશિકની મિલિટરી સ્કૂલમાં અમને પ્રવચન આપવા આવેલા.

શેખ મુજીબ છૂટીને ઢાકા ગયા ત્યાં જે ઐતિહાસિક ભાષણ કરેલું એ રેડિયો પર સાંભળ્યું છે. એવું જ એક ભાષણ મુજીબે કલકત્તામાં આપેલું, અને શરૂઆત કરેલી: 'ભાયેરા અમારા!' (ભાઈઓ મારા!) આવાં ભાષણો અને વક્તાઓને સાંભળ્યા અને જોયા પછી ઈન્દિરા ગાંધી જરા કમજોર લાગે છે. 'ઈન્દિરા પ્રિયદર્શિની' નામ જવાહરલાલે એમની બેટી માટે પાડ્યું હતું! દર્શન આપવામાં આજે પણ શ્રેષ્ઠ છે પણ ભાષણ આપવામાં એ હજી 'પ્રિયભાષિણી' થઈ શક્યાં નથી એનો જરાક રંજ છે...!

('રાજકારણ-1'માંથી)

ચૂંટણી અને ફિલ્મ કલાકારો

નિર્વાચન એક એવો સમય હોય છે જ્યારે આંખોમાંથી વિસ્મય અને કાનમાંથી અશ્રદ્ધા ભૂંસી નાખવાનાં છે. બધું જ ઉચિત છે, બધું જ સંબદ્ધ છે. બધું જ બોલી શકાય છે. દુશ્મન દુશ્મન છે - નિર્વાચનમાં પરિણામો જાહેર થઈ જાય ત્યાં સુધી! એની બધી જ ભૂલો, એબો, ખરાબીઓ પર્દાફાશ કરવાનાં છે, અને શેષ કરી નાંખવાનો છે, પરાસ્ત કરવાનો છે, એનું ચારિત્ર્ય તોડી ફોડીને ખતમ કરી નાખવાનું છે. એને જીતવાનો છે. પણ પરિણામો જાહેર થઈ ગયા પછી આ આપણા પક્ષમાં આવી જશે. પાટલી બદલુ કહો કે 'ટોપી બદલ ભાઈ' કહો એ આપણા પક્ષમાં આવી જશે. એટલે શુદ્ધ થઈ જશે! બહુમતી બધાને શુદ્ધ કરી નાંખે છે...

બહુમતી શાસકપક્ષની હોય તો હમેશાં એકવચનમાં જ બોલતી હોય છે. વિરોધીને ચૂંટણીમાં જીતી ન શકાય તો ગભરાવાનું નથી. ચૂંટણી પછી પણ એને જીતી શકાય છે!

ખેર, આ નિર્વાચન મજાનું છે. વધારે રંગીન અને વધારે વૈવિધ્યવાળું છે. ભારતનાં લગભગ બધાં જ સમાચાર પત્રો અને સામયિકો સૌથી મહત્ત્વ આપી રહ્યાં છે: ફિલ્મી સિતારાઓને! એમની કવર-સ્ટોરીઓ આવી ગઈ છે. ધોધ વહી ગયો છે. ફિલ્મી સિતારાઓ રાષ્ટ્રીય ચૂંટણીમાં પહેલીવાર આવી ગયા છે એવું નથી. 1952માં જ્યારે પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી થઈ હતી ત્યારે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા માટે એક મહાન ફિલ્મી સિતારાએ ઝુકાવ્યું હતું અને એ મહાન સિતારાને બે હજાર વોટ પણ મળ્યા હતાં! એ મહાન સિતારાનું નામ: રાજ કપૂર!

આજે બત્રીસ વર્ષ પછી ભારતનું ચિત્ર બદલાયું છે. રાજ કપૂરનો વારસો આજે અમિતાભ બચ્ચન અને સુનીલ દત્ત અને વૈજયંતિમાલા સંભાળે છે. એક મત એવો પ્રવર્તે છે કે આપણા રાષ્ટ્રજીવનનું આ ઘોર અવમૂલ્યન થઈ ગયું છે કે આપણે ફિલ્મી નટનટીઓને પકડી લાવવા પડે છે!

કરોડો રૂપિયા કમાનારા, ટેબલની ઉપરથી અને નીચેથી રૂપિયા લેનારા, શરાબો અને સુંદરીઓ સાથેની કચકડાની જિંદગી પડદા પર ભજવનારા, હજારો રૂપિયા પાણીની જેમ વહાવનારા ગરીબીને હટાવવાની વાત કરી રહ્યાં છે. ઍક્ટિંગ ક્યાં શરૂ થાય છે અને ક્યાં અટકે છે? હસવું કે રડવું એ નક્કી કરવું પણ મુશ્કેલ છે! અમિતાભ માટે જગતના ડૉક્ટરો મુંબઈ આવ્યા હતા, સુનીલ દત્તની પત્નીને ન્યુયોર્કમાં સારવાર અપાઈ હતી. કદાચ આપણે જેને ગરીબી સમજીએ છીએ અને આ કલાકારો જેને ગરીબી કહે છે એ બે જુદી વસ્તુઓ છે. આપણી ગરીબી એક ઘટના છે. એમની ગરીબી એક રચના છે.

(ગુજરાત સમાચાર: 1985) (રાજકારણ-1) 

માણસ વાંદરામાંથી આવ્યો છે?

'તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે. તમે હશો, હું નથી. આ એક જૂઠ છે. તમે લોકોએ બનાવ્યું છે. તમે કહો છો કે માણસ વાંદરામાંથી આવ્યો છે તો મને કહો કે પોપટ કોનો બેટો છે? પોપટ કેવી રીતે આવ્યો? એની ચાંચ અને લીલાં પીછાં હજી એવાં જ કેમ રહ્યાં છે? અને વાંદરા બદલાઈ જાય, એમની પૂંછડીઓ ખરી પડે અને એ માણસ બની જાય તો કહો કે હજુ એ શા માટે જીવતા રહ્યા છે? તમારા પછી કેમ કોઇ ફેરફાર થયો નથી? અજંતા ઈલોરા જુઓ, આપણી જૂની ગુફાઓ જુઓ...બુદ્ધની મૂર્તિ જુઓ. આપણા કરતાં એમનો ચહેરો વધારે સ્વરૂપવાન છે. એ વાંદરાના બેટા છે? તદ્દન બકવાસ-'

- રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ, ચંડીગઢમાં ભરાયેલા નૃવંશશાસ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં.
(રાજકારણ-1માંથી)

રાજાને મીઠું જોઈએ છે! (ઈરાની લોકકથા)

એકવાર આચાર્ય કૃપલાનીએ કેન્દ્રની સંસદમાં એક પ્રસંગ કહ્યો હતો. આ પ્રસંગ એક ઈરાની લોકકથા છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. એણે જંગલી મુર્ગાઓ માર્યા, પકાવ્યા, ખાવા બેઠા ત્યારે રાજાને નિમકની જરૂર પડી! જંગલમાં નિમક કે મીઠું લેવા માણસો દોડાવતાં પહેલાં રાજાએ એ માટે માણસોને પૈસા આપવા માંડ્યા. વઝીરે કહ્યું: શહંશાહને થોડું નિમક જોઈએ એ માટે પૈસા ખર્ચવાના ન હોય! રાજાએ કહ્યું: શહંશાહે કોઇ વસ્તુ મફતમાં લેવી નહીં. નિમકના પણ પૈસા આપી દેવાના! જો હું મીઠાના પૈસા નહીં આપું તો મારી નીચેના માણસો આખો મુર્ગો જ મફત લઈ આવે એવો દિવસ આવશે!...જો ભ્રષ્ટાચાર રોકવો હોય તો રાજાએ નિમક પણ ખરીદીને લેવું, મફતમાં કંઈ જ લેવું નહીં...

કાયદો માનવો અને કાયદાને તાબે થવું રાજાના હિતમાં છે, રાજા નાનો કાયદો પાળશે તો પ્રજા મોટો કાયદો પાળશે! 

('રાજકારણ-1'માંથી)

કમિટી, કમિશન ઈન્કવાયરી: કંઈક બળવાની વાસ આવી રહી છે

કમિટીવાદ ભારતીય રાજકારણનું નવું કલ્ચર છે. લઠ્ઠો પીને માણસો મરી ગયા છે - કમિટી નીમો! ઈન્દિરા ગાંધીએ કટોકટીમાં બદમાશીઓ કરી છે - કમિટી નીમો! એર ઈન્ડિયાનું હવાઈ જહાહ તૂટી ગયું - વન મેન કમિશન નીમો! રેલ્વે અકસ્માત હોય કે હિંદુ મુસ્લિમ હુલ્લ્ડ થઈ જાય, રાજનેતાઓ પાસે ગરમાતા જનમતના ફુગ્ગામાંથી હવા કાઢી લેવા માટેની પીન છે: તપાસ, જાંચ, પડતાલ, ઈન્કવાયરી! ત્રણ, ચાર, છ માસમાં જનતા બધું જ ભૂલી જશે. કમિટી, કમિશન, તપાસ પંચોનું એક વિરાટ જગત છે. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓમાં એમ.એ.ના રાષ્ટ્રવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આ કમિટીવાદ વિષે એક પચાસ માર્કનો પેપર રાખવો જોઈએ!

કમિશન નીમવાના ફાયદા પણ છે. એનાથી સમસ્યા મુલત્વી રાખી શકાય છે. કમિશનનો રિપોર્ટ આવે છે ત્યાં સુધી લોકો વાત ભૂલી ગયા હોય છે, એ સમસ્યાનું મહત્ત્વ ખતમ થઈ ગયું હોય છે અથવા નવી અને વધારે ગંભીર સમસ્યાઓ પ્રકટ થઈ ચૂકી હોય છે. વિરોધી પક્ષો અને જનતાનો તાપ કામચલાઉ દૂર કરવા માટે કમિશન એક આદર્શ પ્રશાસનિક વ્યવસ્થા છે.

કમિશનમાં કોણ નિમાય છે? સામાન્ય રીતે નિવૃત્ત ન્યાયાધીશોને એ કામ સોંપાય છે. એમનું પ્રવાસભથ્થું, નિવાસભથ્થું અને પગાર અથવા કંઈક કામચલાઉ સાલિયાણા પ્રકારનું મળે છે. કેટલાક કમિશનો ખરેખર અભ્યાસ કરીને ગોપનીય માહિતી બહાર લાવે છે અને સ્તુત્ય સેવા કરે છે. પણ પછી કેટલાકને માટે એ નિવૃત્તિ પછીની ઉપકારક પ્રવૃત્તિ બની જાય છે, આવકનું એક સાધન બને છે. એમના કમિશનના કામમાં જેટલો વિલંબ થાય એટલો એમની સગવડો-સુવિધાઓ અને આમદનીમાં વધારો થતો રહે છે. સમય નક્કી હોય છે અથવા નથી હોતો, અને અમર્યાદ શક્યતાઓ છે આ કમિશનનું કામ વધી જવાની!

(સમકાલીન, મે 3, 1987)  ('રાજકારણ-1'માંથી)

April 1, 2015

બક્ષીબાબુની લાઈબ્રેરી વિશે...

6 ડિસેમ્બર 2004નાં રોજ ચિત્રલેખામાં પ્રગટ થયેલા એક લેખના અંશો (આ લેખ ગુજરાતના વરિષ્ઠ ચિંતકો, લેખકોના અંગત પુસ્તકાલય વિશે હતો):

બક્ષીબાબુની લાઈબ્રેરી ઉત્તમ દરજ્જાની છે. એમની મુંબઈની લાઈબ્રેરી કરતાં ચાર ગણી મોટી લાઈબ્રેરી એમના અમદાવાદના ઘેર છે. બક્ષીસાહેબ અમદાવાદમાં હજી મોટી જગ્યા શોધે છે... પુસ્તકો રાખવા માટે!

બક્ષીબાબુના વરલીમાં આવેલા ફ્લૅટમાં જાતજાતના અને ભાતભાતના વિષયો પરનાં સસ્તાં-મોંઘાં ને પુષ્કળ મોંઘાં પુસ્તકો, વિશ્વના સાપ્તાહિક-પખવાડિક સામયિકોના ઢગલા ને દુનિયાભરનાં છાપાંની મસમોટી કતાર અને અફ કોર્સ...બક્ષીસાહેબનાં પોતાનાં 170 પુસ્તકોની વણજાર જોવા મળે.



બક્ષી સાહેબ કહે છે: 'મારી બે વીકનેસ છે: એક પુસ્તક અને બીજી ફ્રૂટ એટલે એના કોઇ દિવસ ભાવ નહીં જોવાના...!'

ખૂબ જ પઝેસિવ એવા બક્ષીસાહેબ ક્યારેય કોઇ દિવસ કોઇને પુસ્તક વાંચવા માટે નથી આપતા. પ્રાણસમાં આ પુસ્તકોની સંપત્તિ સામે એમને કોઇ રોકડા પાંચ લાખ આપે તોય ન આપે! એ કહે છે: 'મને કોઇ એક એવા રૂમમાં પૂરી દો, જેમાં માત્ર પુસ્તકો અને સંગીતો હોય તો હું બસ્સો વર્ષ જીવું.'

એમનો પ્રિય બુક સ્ટોર છે અમદાવાદમાં આવેલો ક્રૉસવર્ડ અને એમને માધવસિંહ સોલંકીની લાઈબ્રેરી ખૂબ પ્રિય છે.

બક્ષીબાબુનો પુસ્તક પ્રત્યેનો લગાવ જબરદસ્ત છે. એમને પોતાનું મૃત્યુ પુસ્તકોની વચ્ચે થતાં જોવું છે. એ કહે છે: 'આઈ વૉઝ બૉર્ન અમોંગ બુક્સ ઍન્ડ શૅલ ડાય વિથ માય બુક્સ!' સાર્ત્રની આત્મકથાનું આ વાક્ય મને મારા માટે ખૂબ રિલેટિવ લાગે છે. હું પુસ્તક વચ્ચે જન્મ્યો નથી, પણ મરવાની અદમ્ય ઇચ્છા છે પુસ્તકો વચ્ચે!'

બક્ષીસાહેબને એમના અવસાન બાદ એમની લાઈબ્રેરી એમની દીકરી રીવાને નામે કરવી છે!

March 22, 2015

ઉર્દૂ : લિપિથી શબ્દ સુધી...

ઉર્દૂ સાથેનો લગાવ શરૂ થયો 1947-48માં, પાલનપુર હાઈસ્કૂલમાં, અને ઉર્દૂના પહેલા સબક શીખવનાર મારો દોસ્ત અલી મુર્તુઝા શમીમ હતો, જેને બધા શમીમ પાલનપુરી તરીકે ઓળખતા હતા. આઝાદીના દિવસો હતા, હવામાં ઈલેક્ટ્રિક ચમક હતી અને મારી ઉંમર પંદર-સોળની હતી, એ ઉંમર જ્યારે બધું જ નવું જ્ઞાન બ્લોટિંગ પેપરની જેમ ચૂસાતું જતું હતું. એક પુસ્તિકા હાથમાં આવી: 'ઉર્દૂ-હિજ્જે વ માની!' પછી હું ઉર્દૂ શીખતો ગયો, ઉર્દૂમાં નિબંધ લખવા સુધી પહોંચી ગયો. ક્યારેક કોઈકનો ઈન્ટરવ્યૂ લેતી વખતે મસ્તી કરવા હું ઉર્દૂમાં લખતો રહું છું! અને એ એવી રીતે લખતો રહું છું કે એ વ્યક્તિની નજર મારા લખવા પર પડતી રહે! મારા હાથ નીચેના માણસો કે સાથે કામ કરતા સાથીઓ જો મુસ્લિમ હોય તો ઈદ વખતે હું એમને 'ઈદ મુબારક'નું કાર્ડ લખું છું, સાથે ઉર્દૂમાં એક ખત લખું છું, 'અઝીઝ'થી શરૂ કરીને 'અઝ' સુધી એમાં આવી જાય છે! અને ઘણી વાર એ મુસ્લિમ પ્રોફેશનલને જબરું આશ્ચર્ય થાય છે, એ કહી દે છે: સર, તમે ઉર્દૂ જાણો છો? હું કહું છું: થોડું! અને એ મુસ્લિમ સાથી સસ્મિત કહે છે: અમારા ઘરમાં કોઇને ઉર્દૂ વાંચતાં આવડતું નથી...! ઈદના દિવસોમાં મુસ્લિમ હોટેલમાંથી મગાવવું હોય તો કોલકાતામાં હું મારા માણસને મોકલતો, એક પત્ર સાથે, ઉપર 'ઈદ મુબારક' લખીને, અને અંદર ઈદ વખતે બનતી સ્પેશિયલ ચીજોનો ઑર્ડર! આજે પણ રમઝાનમાં બે-ત્રણ વખત મુંબઈની મિનારા મસ્જિદની ગલીમાં જઈને ખાવાનો ક્રમ હજી રાખ્યો છે.

ઉર્દૂ જાણું છું, પણ ફારસી શીખ્યો નથી એનો રંજ જીવનભર રહ્યો છે. ફારસી જગતની સૌથી શીરીં ઝબાનોમાંથી એક છે. શમીમ અને હું એ 1947ના વર્ષમાં પાલનપુરના માનસરોવર ફરવા જતા, ધૂળમાં મીણબત્તી સળગાવતા, મારો દોસ્ત મને ઉર્દૂની નવી ચીજો સંભળાવતો. સાહિર લુધિયાનવીની 'તલ્ખિયાં', અને મખ્દુમ મોહિયુદ્દીનની 'લો સુર્ખ સવેરા આતા હૈ, આઝાદી કા, આઝાદી કા...' અને જોશ મલીહાબાદીની (શમીમનો ઉચ્ચાર હતો: જોશ મલયાબાદી) 'મુઠ્ઠીઓં મેં ભર કે અફશાં ચલ ચૂકા હૈ ઈન્કલાબ!' હિંદુ સ્ત્રીઓ સૌભાગ્ય માટે વાળમાં જેમ સિંદૂર ભરે છે, એમ મુસ્લિમ પરિણીતાઓ માંગમાં અફશાં અથવા ચાંદીના રંગની ભૂકીની ચપટી ભરે છે. શમીમે મને ઉર્દૂ અદબની પૂરી દુનિયા ખોલી આપી અને એ માટે હું મારા એ દિલદાર દોસ્તનો આજીવન ઋણી રહ્યો છું. ઉર્દૂ મને બહુ કામ આવી ગયું છે. કરાચીમાં 1981માં હું ઉર્દૂ જાણતો હતો માટે બહુ સહુલિયત રહી હતી. અને મટન ખાતો હતો એટલે પાકિસ્તાનમાં મને કોઇ તકલીફ પડી ન હતી. દુનિયાના શ્રેષ્ઠ કબાબ મેં પાકિસ્તાનમાં ખાધા છે. બન્ડુ ખાનના કબાબ અને યુસુફ માંડવિયાને ત્યાં યારી કબાબ અને ચપ્પલી કબાબ અને અરબ કા કબાબ અને જવા દો, યારો! વોહ કહાની ફિર કભી...

...હા, આપણે ઉર્દૂની વાત કરતા હતા. ઉર્દૂ ન હોત, શરાબ ન હોત, રેશમી કબાબ ન હોત, શામ ન હોત, 'શમ્મા હર રંગ મેં જલતી હૈ સહર હોને તક' ન હોત, શરારતી આંખો ન હોત તો આ જિંદગી 72 વર્ષ સુધી કેમ ગુજરી હોત? મારી આત્મકથા 'બક્ષીનામા'માં મેં ઉર્દૂ વિષે લખ્યું છે. ઉર્દૂએ બહુ સુખ આપ્યું છે, બહુ દુ:ખ આપ્યું છે. ઉર્દૂ સાંજની ભાષા છે. કીક મારે છે. પ્લેટમાં તળેલી પોમ્ફ્રેટ માછલી પર લીંબું છાંટ્યું હોય, વ્હિસ્કીના ગ્લાસની બહાર ધુમ્મસી શિકરો બાઝી ગઈ હોય, દોસ્તોની આંખોના સિરાઓ પર જામતી રાતનો ખુમાર ઘેરાતો હોય ત્યારે સમયને અટકી જતાં જોયો છે, ફિરાક ગોરખપુરીની લાઈનો અનુભવી છે: શામ ભી થી કુછ ધૂઆંધૂઆં, દિલ ભી થા કુછ ઉદાસ-ઉદાસ, ઐસે મેં કુછ કહાનિયાં, યાદ સી આ કે રહ ગઈ! હા, કુછ કહાનિયાં. હા, કુછ...

ઉર્દૂમાં તરબોળ સાંજો ગુજરી છે. નાના હતા ત્યારે રાતો નાની હતી, મોટા થયા અને રાતો લાંબી થતી ગઈ. જિંદગી 'ઑન ધ રૉક્સ' જીવવાના દિવસો હતા. પછી સાંજની વ્યાખ્યા બદલાતી ગઈ. તબિયત બે-કૈફ થતી ગઈ. જેમની સાથે 'ચિયર્સ' કહીને ગ્લાસો ટકરાવ્યા હતા, એમના ફોટાઓ પર સુખડના હાર ચડી ગયા. હવે રૂમાની ઉર્દૂ પાછળ રહી ગઈ હતી, હવે ફલાસ ફરાના કલામમાં દિલચસ્પી વધી રહી હતી. મૌત કા એક દિન મુઅય્યિન હૈ, નીંદ ક્યો રાત ભર નહીં આતી...?

ગુજરાતી સાહિત્યમાં ઉર્દૂ શબ્દો વાપરવા માટે વિવેચકોની ત્રણ પેઢીઓની ગાળો ખાતો રહ્યો છું, પણ ખુદ્દારી છોડવાનું દિલ થતું નથી. એક સલ્તનત, એક નવાબિયત, એક શહંશાહિયત અનુભવી છે મેં મારી ભાષામાં, હવે નપુંસકોની નઝરે-ઈનાયત હાસિલ કરવાની કોઇ ઇચ્છા રહી નથી. દુશ્મનોનો અવાજ સાંભળ્યો છે, દોસ્તોની ખામોશી સાંભળી છે. હવે વાહવાહીથી ઉપર ચાલ્યો ગયો છું. ઢૂંઢતા ફિરતા હૂં અય ઈકબાલ, અપને આપકો, આપ હી ગોયા મુસાફિર, આપ હી મંઝિલ હૂં મૈં!

ઉર્દૂ શીખવા મળ્યું એને હું મારી ખુશકિસ્મતી સમજું છું. સાહિત્ય બહુ ઊંચી ચીજ છે, આવતા ભવમાં પણ સાહિત્યકાર થવા જ માગું છું. દકિયાનુસી અને દરિન્દગીની સામે સંઘર્ષ કરવા માટે શબ્દ એક જ શસ્ત્ર છે મારી પાસે. લોગ આગાઝે-સફર કી લઝ્ઝતોં મેં ચૂર થે, મૈં ફર્સુદા થા, મુઝે અંજામ ભી પતા થા! ભાષાના બંદા પાસે બીજું શું હોય છે? ઔર એક દિન નિગલ ગયા આખિર, હાલ (વર્તમાન) માઝી મેં (ભૂતકાળ) ઢલ ગયા આખિર, એક ચુલ્લુ મિલા થા આબે હયાત, ઉંગલિયોં સે ફિસલ ગયા આખિર! પ્રિયદર્શી ઠાકુર 'ખયાલ'ની લીટીઓ સરસ છે.

ઉર્દૂ એક એવી ભાષા છે જે જનતાની ઝુબાન પર ઊછળતી ઊછળતી જન્મી છે. ગલીચ રાજકારણીઓએ એને મુસ્લિમોની ભાષા બનાવી દીધી અને ઝેરનાં ઈન્જેક્શનો આપી આપીને કોમવાદી બનાવી દીધી. આજે ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે એ સત્ય સ્વીકારવું જ પડશે. મુશાયરાઓ થાય છે, મહેફિલો થાય છે, તમાશબીનો આવે છે, વાહવાહીમાં ઉર્દૂ ઘૂંટાઈ જાય છે. હિંદુસ્તાનમાં ઉર્દૂ માત્ર જલસાઓ અને જશ્નોની ભાષા જ બની રહેશે? કદાચ, કારણ કે ઉર્દૂના પાલકો, પેટ્રનો, પોષકો એ પૈસાદાર મેહરબાનો છે, જેમની દયા પર એણે જીવવાનું છે. ઉર્દૂના રિસાલા કે પર્ચા વેચાતા નથી, એમને જાહેરખબરો મળતી નથી. નવી પેઢીઓને ઉર્દૂમાં દિલચસ્પી નથી. જૉબ-માર્કેટમાં ઉર્દૂનું સ્થાન કોંકણી કે તુલુ કે કચ્છી બોલીઓ કરતાં પણ નીચું છે. ઉર્દૂ માટે, હિંદુસ્તાનના નોકરી બજારમાં કોઇ ભવિષ્ય દેખાતું નથી. કદાચ 21મી સદીના ઝડપી કમ્પ્યુટરયુગમાં આવી મટકતી, ઝટકતી અંગડાતી 18મી સદીના હેંગ-ઓવરમાં ઝૂમતી ભાષા જેટ-એજમાં દોડતી બૂઢી ઘોડાગાડી જેવી લાગે છે. કટ્ટર મુસ્લિમ રાજકારણીઓ આ દેશમાં જ્યાં સુધી ઝેર પાયેલી ભાષા વાપરતા રહેશે ત્યાં સુધી ઉર્દૂને દુશ્મનોની જરૂર નહીં પડે, પણ રૂમાની ભાષા તરીકે ઉર્દૂ જરૂર જીવશે.



મિત્ર અજિત પોપટના પુસ્તક 'ઉર્દૂ શીખો'ને આવકાર આપતાં મને સવિશેષ આનંદ થાય છે, કારણ કે ગુજરાતીઓમાં ઉર્દૂ લિપિ જાણનારા લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. ગુજરાતી મુસ્લિમોમાં પણ ખાલિસ ઉર્દૂ બોલી શકે (લખવાની વાત જવા દઈએ!) એવા લોકો બહુ ઓછા જોવા મળે છે. ઉચ્ચારણશુદ્ધિ ઉર્દૂમાં અહમિયત રાખે છે અને આપણા ગુજરાતી ગઝલકારો પણ આ બાબતમાં નિર્દોષ નથી! ગુજરાતી ગઝલિયાઓમાંથી 95 ટકાને ઉર્દૂ આવડતું નથી. ગઝલના નો ઉચ્ચાર પણ દોષયુક્ત હોય છે. હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલને અંગ્રેજી ન આવડતું હોય એવી આ વાત છે. જેણે ગઝલ કે નઝમ લખવી છે એણે ઉર્દૂના જ્ઞાતા થવું જ જોઈએ એવો આગ્રહ નથી, પણ જો ઉર્દૂનું જ્ઞાન હોય તો સર્જનમાં જરૂર સહાયક થાય છે એવું હું માનું છું. 'અલીફ' અને 'અએન'નો ફર્ક સમજાય તો જરૂર સમજાશે કે 'ઈદ'નું અંગ્રેજી 'ઈ-આઈ-ડી' શા માટે થાય છે અને 'અલવિદાઅ' શા માટે લખાય છે. અજિત પોપટે તદ્દન સરળ રીતે આ ભાષા સમજાવી છે, અને નવી ભાષા શીખનારે આ પુસ્તક પર જરૂર નજર ફેરવી જવી જોઈએ.

ગુજરાતી અને ઉર્દૂ બે લિપિઓમાં એક પુસ્તક પ્રકટ કરવું કેટલું કઠિન છે એ હું સમજું છું. એક ભાષા ડાબેથી જમણે લખાય છે, બીજી જમણેથી ડાબે લખાય છે. આ બધા અક્ષરોને, શબ્દોને, વાક્યોને વ્યવસ્થિત સામસામે અથવા ઉપર-નીચે ગોઠવવા, ઝેર-ઝબરનો અને નુક્તાનો ખ્યાલ રાખવો, કમ્પ્યૂટરના જમાનામાં પણ સહેલું નથી! અને ભૂલો કાઢવા માટે નુક્તચીની કરતા રહેવા માટે, નુક્તચીં બેઠા જ છે. એ એમનું કામ કરતા રહેશે, આપણે આપણું કામ કરતા રહેવાનું. આ પ્રકારનાં જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ આદિ ભાષાઓ શીખવા માટેનાં પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં આવવાં જોઈએ. સામાન્ય મુશાયરાઓ-મહેફિલોનો લુત્ફ ઉડાવવા માટે આટલી ઉર્દૂ કાફી છે. ઈન્સાન અને બશર શબ્દોનો અર્થ એક જ છે (માણસ), પણ એનો તાત્ત્વિક ભેદ સમજવા માટે ભાષામાં આગળ વધવું પડે છે અને બીજું પગથિયું ચડવા માટે પહેલું પગથિયું ચડવું જરૂરી છે.

અજિત પોપટે ગુજરાતી ભાષાના એક ખાલી સ્લોટને ભરી દીધો છે, જેમને ઉર્દૂ શીખવું છે એમને આ પુસ્તક ખરેખર કામ આવી શકે છે એવું મારું માનવું છે. અભિનંદન.

(ઉર્દૂ શીખો, સરળ ગુજરાતીમાં ઉર્દૂ શિક્ષણ: લેખક : અજિત પોપટ)

March 20, 2015

હું, ચંદ્રકાંત બક્ષી નાટક વિશે મધુ રાય

દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં 11 ફેબ્રુઆરી 2015નાં રોજ પ્રગટ થયેલો શ્રી મધુ રાયનો લેખ:

કવિવર અને ગઝલપ્રવર રા.રા. શ્રી અનિલ જોષી સરની આગેવાનીમાં બરસોં પહેલે બમ્બઈમાં એક પર્વ ગોઠવાયેલું–– અમેરિકાથી આવેલા એક લલ્લુ નાટકકારને અભિનંદવા. એમાં અલબત્ત રા.રા. ચંદ્રકાંત બક્ષીને પણ નિમંત્રેલા જ્યાં ભરી સભામાં બક્ષી સાહેબે ઘોષેલું કે જેણે માંડ ચાર ચોપડી લખી છે એવા આ માઇનોર રાઇટરને આવાં સન્માન આપો છો? સન્માન મને આપો, મને જુઓ મેં ૧૧૬ ચોપડીઓ લખી છે ને મને સાત ભાષા આવડે છે, ને હું મેરેથોન દોડવીર છું ને મારા ઘરે કલર ટીવી છે.

ઓક્કે કલર ટીવીની વાત અમે ઉમેરેલી છે, પણ બાકીની વાત સાચી છે. તે પછી બક્ષીએ એક છાપામાં છપાવેલું કે પોતે મરશે ત્યારે સ્વર્ગમાં જઈને ઇન્દ્રની આંખમાં ભાલો મારી દેશે. બક્ષીની આવી અગણિત વાતો છે, અને છેલ્લે છેલ્લે બક્ષીનો એ હુંકાર, એ અહંકાર ગામની ઠિઠૌલીનો વિષય બનવા માંડેલો જેથી બક્ષી સ્વયં ‘સેલ્ફ પેરોડી’નું પાત્ર બની ગયેલા. પોપ સાઇકોલોજિસ્ટો કહેતા કે ચંદ્રકાંત વચેટ ભાઈ હતા તેથી ‘સેકન્ડ ચાઇલ્ડ સિન્ડ્રોમ’ના કારણે આવા જાતપ્રશસ્તિના બરાડા પાડે છે; અથવા હાઇટ નાની ને મોંએ ચેચકના દાગની જાતભોંઠપથી બક્ષી દુગુના જોસથી પોતે સતત સવાયા હોવાની નોબત વગાડ્યા કરે છે.

પોપ સાઇકોલોજિસ્ટો બેઠા તેમના ઘરે. બક્ષી એમ એક વાક્યમાં ઉકેલી શકાય એવી ‘પહેલી’ નહોતા. બક્ષી અઠંગ વાચક હતા, જે વિશ્વસાહિત્યના ભ્રમર હતા. ફક્ત અમેરિકન કે યુરોપીયન નહીં, સામ્યવાદી બ્લોકનું, ચીન, જાપાન, મલાયા, ફિલિપીન્સ, આફ્રિકા વગેરે દેશદેશાવરના લેખકોથી તેમનો માનસિક અસબાબ રચાયો હતો. જે સમયે ગુજરાતી સાહિત્ય ‘બળદનાં પૂંછડાં આમળતું હતું અને નવલકથાઓમાં “જેમાં કાકે પિસાબ કર્યો” જેવાં શીર્ષક આવતાં હતાં ત્યારે’ બક્ષી મરઘીની ટાંગ પકડીને બીડી પીતા ડોક મજદૂરો ને સ્મગલરોની વાર્તાઓ સાથે પેશ થયા. બક્ષીની વાર્તાઓમાં ઔરતો લૂંગી પહેરતી અને દિલ ફાડીને પ્યાર કરતી વખતે ‘માછલીની જેમ તરફડતી.’ વાચકને સુરુચિભંગના આંચકા આપવાનો બક્ષીને ઇશક હતો. ફક્ત ફિક્શનની જ નહીં, બક્ષીનાં માહિતી પુસ્તકો ફક્ત સંખ્યા જ નહીં સત્ત્વથી પણ છલોછલ છે. લખતાં પહેલાં બક્ષી શિસ્તબદ્ધ રિસર્ચ કરતા. તે સમયે ‘ગૂગલ’ નહોતું, ઘરલેસન માટે ચંપલનાં ચામડાં ઘસવા પડતાં. જોનારની ટોપી પડી જાય એવી ગદ્યની ઊંચી ઇમારતો રચી શકનાર બક્ષી ભલભલા તિસમારખાંની ચામડી ચચરી જાય એવું લખતા. તેમના વાચકો કહેતા કે એકલા હાથે બહારવટે નીકળ્યો છે આ જણ!

ગુજરાતી સાહિત્યના આ એક સર્વોચ્ચ ગદ્યલેખકે સૌથી વધુ હાનિ સ્વયં પોતાની કરી છે એ આપણા સાહિત્યની એક વ્યાજોક્તિ છે, મીન્સ કે ‘આયરની’ છે. આ લખનાર નિર્વિવાદપણે માને છે કે ચંદ્રકાંત બક્ષી ગુજરાતી સાહિત્યના અનન્ય ગદ્યલેખક હતા, તીખા કર્મશીલ કટારલેખક હતા, અને ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર ને સંભવત: પાકશાસ્ત્ર આણિ કોકશાસ્ત્રના હૌ પ્રકાંડ વિદ્વાન હતા. એમની મહાનતા એમની પોતાની બડાશખોરીથી ઢંકાઈ ગઈ છે, ને તોયે ગુજરાતમાં બક્ષીના વાચકો ને પ્રશંસકો લાખો કે કદાચ કરોડો છે. એનો જાત અનુભવ ગગનવાલાને કાયમ થતો આવ્યો છે કેમકે બક્ષી ગણપતિ હોય ને ગગનવાલા તેનું વાહન હોય તેમ બક્ષીભક્તો ગગનવાલાના ખમીસના બટણ સાથે રમત કરતાં કરતાં કહેતા હોય છે, ગગનવાલા, તમારું લખાણ બી ઓક્કે છે, પણ બક્ષી એટલે બક્ષી!

એવી બીજી આયરની છે, તે એ કે એવા અહંકારથી ઇઠલાતા ને બલ ખાતા બક્ષીની જીવનીનું નાટક લખે એક તદ્દન ‘અપોઝિટ’ પ્રકૃતિના, શરમાળ, ધીમાબોલા રા. રા. શ્રી રામાવત! ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલના ધ્વજ હેઠળ જોવા મળેલ મનોજ શાહ દિગ્દર્શિત એકોક્તિ નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી’માં એવું ચબરાક લખાણ છે કે પહેલી ત્રણ મિનિટમાં જ બક્ષી તરીકે અભિનેતા પ્રતીક ગાંધી દર્શકોની નબ્ઝ પકડી લે છે. સેટ ઉપર સીડી છે, અમસ્તી, જેના છેલ્લા પગથિયે બેસીને બક્ષી ઉચ્ચારે છે કે મને અહીં જ વધુ ફાવે છે. સાહિત્ય જગતમાં કે આખા જગતમાં મારા જેવો શ્રેષ્ઠ લેખક કોઈ નથી. વગેરે. સીડીના આવા સ્થૂળ પ્રતીકથી દર્શક કદાચ અકળાય પરંતુ બક્ષી પોતાની ઉંચાઈની બાબતમાં કદી ‘સટલ’ યાને સૂક્ષ્મ નહોતા. બક્ષીની અસ્ખલિત આત્મરતિ કદાચ અમુક મિનિટો પછી ખલવા માંડે; જાણકારોને થાય કે ‘લેખક’ સિવાયની બક્ષીની બીજી બાજુઓની ઝાંકી ક્યાં? એક યાર તરીકે બક્ષી છ છ કલાક સુધી તમને ભાંગના પિયાલા પાતા હોય તેમ ઝુમાવી શકતા તેનું શું? પોતાનાં લખાણોમાં શી ખબર શાથી હ્યુમરથી દૂર રહેતા, પણ બક્ષીબાબુ પૈની જુબાનથી તમને ખિલખિલ હસાવી શકતા તેની કોઈ મિસાલ નહીં? રાજદ્વારી ચળવળકારી તરીકે બક્ષીનું પ્રદાન અને રાજપુરુષો સાથે તેમની ઉઠકબેઠકનો એકાદ સીન ભી નહીં? નાટકમાં જે છે તે બક્ષીની જાંઘ ઉપર થાપા સાથે જાતવડાઈની એકોક્તિઓની વચ્ચે વચ્ચે પરોવેલા બક્ષીનામા–માંના પ્રસંગો. ફિર ભી બહોત ખૂબ, પ્રતીક મિયાં, શિશિર મિયાં, મનોજ મિયાં!

કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે જે માણસ પોતાના પ્રેમમાં હોય તેને કોઈ હરીફ નથી હોતો. બક્ષીબાબુ ઇન્દ્રની આંખ ફોડે કે ન ફોડે પણ એમણે આ ડાહ્યોક્તિ ખોટી પાડી છે. બક્ષીબાબુની ફેન ક્લબો ડૂંગરે ડૂંગરે છે, બક્ષીની વિરુદ્ધ કાંઈ પણ બયાન આપનારના મસ્તકે માછલાં ધોવાય છે. બક્ષીના સ્વર્ગવાસ પછી વર્ષો વીત્યા છતાં જાણે હજી એક ધાક વરતાય છે બક્ષી મિયાંની. દરઅસલ બક્ષીની જટિલતા એ વાતમાં છે કે તેમને ચાહનારા પણ તેમને દિલ ફાડીને ધિક્કારે છે અને ધિક્કારનારા તેમને દિલ ફાડીને ચાહે છે. ગગનવાલાએ એ વાત સ્વીકારી લીધી છે કે આજીવન તે બક્ષીના જૂનિયર દોસ્ત તરીકે ઓળખાશે. એક રીતે જુઓ તો એ બેડ થિંગ કહેવાય; પણ બીજી રીતે તે ગુડ થિંગ પણ છે કેમ કે બક્ષીની પાસે ઊભો એટલે ગગનવાલા હો કે મગનલાલા કે એક્સવાયઝાલા હો, માણસ તરીકે તમે બક્ષીથી બેટર જ લાગો! જય સોનાગાછિ!

February 1, 2015

नेतिहास : गुजराती कहानी (चंद्रकांत बक्षी)

सरकारी कंट्राक्टर जैसे लग रहे एक दुर्जन ने पूछा- ‘क्या करते हैं आप?’ मीटर गेज ट्रेन की खड़खड़ाहट में उसने कुछ मोटी आवाज़ में जवाब दिया- ‘प्रोफेसर हूं!’

‘किस विषय के?’

वह मुस्कराया. बोला- ‘इतिहास का.’

‘अहमदाबाद में?’ दुर्जन को व्यंग्यात्मक आनंद आने लगा- जैसा सफल आदमी को असफल आदमी के साथ बात करते समय आता है, अथवा किसी स्कूली-मास्टर के साथ बात करते समय…

‘ना!’ उसने दुर्जन को आंखों से नाप लिया. फिर कुछ मुंह बनाया, जैसे झूठ बोलने की तैयारी में हो, बोला- ‘आक्सफोर्ड में था…’

दुर्जन दुनियादारी में माहिर था. तुरंत हार मान लेने वाला बिजनेसमैन वह नहीं था. पूछने लगा- ‘कहां… विलायत में?’ आंखों के कोनों में जरा-सी इज्जत की चमक.

‘विलायत में लंदन नाम का शहर है. वहां से करीब चालीस-पचास मील की दूरी पर है आक्सफोर्ड. वहां की यूनिवर्सिटी में मैं प्राचीन भारत का इतिहास…’

‘अच्छा इन्कम है वहां?’

‘पाउंड मिलत हैं वहां. एक पाउंड यानी… तीस रुपये?’ (छीना-झपटी. चक्रव्यूह.)

‘हमारे गांव का एक दर्जी भी वहीं है. अफ्रीका गया था. बाद में विलायत चला गया. कहते हैं, अपना मकान बना लिया है पट्ठे ने.’ (वन-अपमैनशिप!)

‘मैं भी यहां आया हूं.. मकान खरीदने के सिलसिले में. एक पालनपुर में खरीदना है. एक माउंट आबू में खरीद लेंगे.’ (हुकुम का इक्का!)

दुर्जन की आंखों में धंधेदारी की चमक आ गयी- ‘वाह भई, आपने तो विलायत का अच्छा फायदा उटाया. चलो, पहचान हो गयी. किसी रोज हवा खाने आबू आयेंगे और जगह नहीं मिलेगी तो… दुर्जन हंसने लगा- ‘आप ही के यहां आ धमकेंगे!’ ह…ह…ह…’

‘जरूर. माउंट आबू में सर्वेन्ट्स क्वार्टर्स वाला एक बंगला खरीदना है! फिर जगह की सुविधा हो जायेगी.’ इतिहास का प्रोफेसर खिड़की के बाहर ताकने लगा. (ब्लाइंड!)

‘इस समय आप आबू जा रहे हैं?’

‘नहीं. पहले पालनपुर. वहां मकान-वकान का फैसला कर लें, फिर आबू.’ (शह और मात!)

उंझा का स्टेशन! रेस्तरां कार वाला बैरा- ‘साब, थाली पालनपुर स्टेशन पर आयेगी. ले आऊं?’

‘नहीं. हम पालनपुर उतर जायेंगे.’

इतिहास के प्रोफेसर ने बटुए में से कड़कड़ाते नोट निकालकर बांये हाथ से, लापरवाही से बैरे के हाथ में थमा दिये. बैरे ने बाकी पैसे लौटा दिये! दुर्जन मानपूर्वक देखता रह गया. ट्रेन चली. दुर्जन ने नाश्ते की पोटली खोली और बोला- ‘लीजिये साहब…’

उसने चेहरे पर कृत्रिम घृणा लाते हुए देखा- ‘नहीं. आप खाइये. मुझे यह सब सूट नहीं करेगा…’ फिर जरा रुककर- ‘मैं रेस्तरां कार में ही खाता हूं.’ दुर्जन ने मक्खियां उड़ाते हुए डिब्बियां, शीशियां खोलनी शुरू की. एक कौर चबाते-चबाते वह पूछने लगा- ‘प्रोफेसर साहब, विलायत में मक्खियां होती हैं क्या?’

इतिहास का प्रोफेसर जरा रुककर हंस दिया- ‘मक्खियां तो सभी जगह होती हैं. मगर वहां की मक्खियां कानों में इतना सारा गुनगुन नहीं करतीं. एक बार आप उन्हें भगा दीजिये, बस, फिर गुनगुनाहट बंद.’

दुर्जन विलायती मक्खियों के बारे में सोचने लगा. इतिहास का प्रोफेसर भूगोल के विषय में सोचने लगा. वह गुजरात और राजस्थान की सीमा के पास आ गया था. तब तो इस ओर बाम्बे प्रेसिडेन्सी थी और उस पार था राजपूताना और उसके ‘देश’ के लोग, सीमावर्ती लोग कुछ विचित्र-सी मिली-जुली गुजराती-राजस्थानी बोलते थे.

पालनपुर का स्टेशन! गुजरात का अंत. राजस्थान का आरम्भ… करीब-करीब. तांगे वाले ने पूछा- ‘कहां जाना है?’

‘टूटे नीम.’

कितने वर्षों बाद! यहां बचपन गुजरा था, अतीत गुजरा था, इतिहास गुजरा था. जब छत के छप्पर पर सोते-सोते दस के फास्ट की सीटियां सुनी थीं, वह बचपन, जब अहमद भिश्ती अपने बूढ़ें बैल पर मोटे चमड़े की मशक डालर आता था और वह दौड़कर दोनों तरफ दो बाल्टियां रख आता था, वह अतीत, जब मिडिल स्कूल से लौटते समय रास्ते में कुंए में झांककर वह अपना नाम बोलता था और नाम की प्रतिध्वनि फैल जाती थी, पुरे शरीर में खुशी की कंपन के करेंट की तरह, वह इतिहास…

जरा खांसी-सी आ गयी.

दिल्ली दरवाजे के बाहर एक ग्राम्य स्त्राr सूखी घास बेच रही थी. तांगे वाले ने इतिहास के प्रोफेसर से कहकर तांगा रोक लिया और देहाती लहजे में घास का मोल-भाव करने लगा-

‘दस आना!’

‘चल-चल.’

‘नहीं काका…’

‘अच्छा जा, डाल आ. भीतर जाकर पूछ लेना. कहना, हालभाई ने भेजी है.’

इतिहास का प्रोफ्रेसर देखता रह गया. शहरों का अविश्वास अभी तक यहां नहीं आया था…

तांगा चला. सिगरेट पियोगे, हालाभाई? दीजिये, साहब! दो सिगरेट. हाला भाई की खुलती बातें. घोड़ा बहुत अच्छा है, हालाभाई. हां साहब, यह घोड़ा…

फिर वही देहाती लहजा- ‘दो बरस पहले मैंने दो सौ में मांगा था. चार बरस का है. जसराज मारवाड़ी का है. भूखों मार डाला है बेचारे को. सत्रह रोज पहले मैंने खरीदा इसे. साहब, गाड़ी में लगाये तीन रोज ही हुए हैं. दो घोड़े हैं मेरे पास. असबाब भी मंगाना था घोड़े का, मगर बरसात हो गयी… छापी के पास पानी भर आया, इसलिए अब दो दिन बाद…’

वर्षों के बाद वह भाषा टकरा रही थी कानों से. उसके इतिहास की भाषा. अतीत की भाषा. बचपन की भाषा. सुसंस्कृत होने के बाद आयास करके भूली गयी उसकी अपनी भाषा. पितृभाषा.

सामने नीम का बूढ़ा पेड़ खड़ा था, जिसे वह ‘टूटे नीम’ के नाम से पहचानता था. इतिहास का प्रोफेसर तांगे वाले को पैसे देकर उतर पड़ा.

पितृभूमि.

पूर्व-पश्चिम-उत्तर-दक्षिण यह पूरब यह पश्चिम, चकोरों की दुनिया. मेरा नीलगूं आसमां बे किनारा. पितरों की भूमि को चूम लेने की इच्छा हुई. एक वृद्धा उसे घूरती हुई गुजर गयी. पहचाना नहीं. मेना काकी. जी रही है अब तक? इतिहास का प्रोफेसर घर की गली में मुड़ गया.

घर में जाकर, खिड़की खोलकर उसने टूटे नीम की ओर देखा.

उसके दादा नीचे हमीद खां को घोड़े की रास पकड़ाकर, ऊपर आकर, साफे को मेज पर रखकर, इसी तरह खिड़की खोलकर नीम की ओर देखते होंगे. उसके पिता ने मद्रास से आकर इसी तरह खिड़की खोली होगी और इसी तरह नीम को देखा होगा. और वह आक्सफोर्ड से आकर ठीक उसी तरह खिड़की खोलकर नीम को देख रहा था. बूढ़ा दरख्त पीढ़ियों पुराना था. पचासों वर्ष पुराना. कहते हैं, जब दादा छोटे थे, एक रोज बिजली गिरी थी और नीम आधा टूट गया था और तले बैठे हुए दो ऊंट मर गये थे. तभी से शायद उसे टूटा नीम कहते थे.

उसकी दृष्टि गैसलाइट के लोहे के खम्भे की ओर गयी. लड़ाई के दिन थे और बिजली बचाने के लिए बत्तियां बंद रहती थीं. गांव-भर में चार-पांच ही मोटरकारें थीं और किसी एक मोटर के पीछे अन्य लड़कों के साथ वह भी दौड़ा था और लोहे के खम्भे से टकरा गया था. अनायास उसने उंगलियां कपाल पर उभरे घाव पर फेरी. घाव बालों में था, पर… अब तो बाल झड़ चुके थे. घाव का निशान बाहर आ गया था.

याद्दाश्त की आंधियां. धुंधली-सी स्मृतियां.

घर से घंटाघर दिखायी पड़ता था, एक जमाने में. अब तो बीच में एक पीपल का पेड़ उग आया था. घंटाघर के घंटे शायद अब भी सुनाई पड़ते होंगे. शायद. या… घड़ी में तपे हुए छप्परों पर से सूखे कपड़े उतार लेते थे हम. नीम के नीचे एक नकटी औरत चिल्ला-चिल्लाकर शहतूत बेचती थी. शहतूत में से इल्लियां निकलती हैं. मां हमेशा शहतूत लेने से मना करती थी. पैरों में बेड़ियां डालकर पुरानी जेल की ओर ले जाये जाते हुए कैदी. दोपहर को बारह बजे किले की दीवार पर से छूटती तोप. रवारी लकड़ियां बेचकर ऊंट को खड़ा करता और ऊंट पिछली टांगों के बल गले की घंटियां हिलाते हुए खड़ा होता. बेढंगा दृश्य… ट्यूबलाइटों से पहले की दुनिया.

शाम को गर्म राख से लालटेन के कांच के गोले साफ होते थे. रात दीवारों की छायाओं में थिरकती. अंधेरे-अंधेरे मुर्गे की बांगें और सब्जियां सजाती सब्जी वालियों की कर्कश गालियां. सोते समय आंखों के ऊपर तुले हुए सितारे सुबह के झुटपुटे में निस्तेज होकर ऊंचे मकानों के पीछे लुढ़क जाते. जब आंखों पर चश्मे नहीं थे. जब बुद्धि की पर्त्तें जमी नहीं थीं. जब आत्मा पारदर्शक थी, जब बिना दांव-पेंच हंस डालना स्वाभाविक था, जब साथ पढ़ती लड़की की खुली कमर पर फैली अम्हौरियां देखकर सिर्फ अम्हौरियों के ही विचार आ सकते थे, जब…

इतिहास का प्रोफेसर बाल्कनी की रेलिंग पर झुक गया और इतिहास में से नेतिहास की बादबाकी करने लगा.

शाम को आंधी आ जाती थी, कच्छ के छोटे रन की तरफ से. अब कच्छ का छोटा रन ही आ गया था. बरसात कम हो गयी. छुटपन में बहुत होती थी. स्कूल में छुट्टी हो जाती थी. टूटे नीम के पास पानी बहता हुआ मिडिल-स्कूल तक जाता था. और वह भी बहते पानी में दौड़ता-कूदता दोस्तों के साथ मिडिल-स्कूल तक चला जाता था. तब स्कूल में टेलिफोन नहीं था. और वापसी. मार्ग में खेतों के किनारे से चुराई हुई हरी सौंफ चबाते-चबाते. जार्ज फिफ्थ क्लब पर होती बारिश क्लास-रूम की खिड़की से दिखाई पड़ती.

टाइफाइड होता था, तो इक्कीस या अट्ठाईस या पैंतीस दिन बिछौने में लेटे रहना पड़ता था. तब मायसेटीन औषधियां नहीं थी और तांगे में बैठकर आया हुआ डाक्टर सिर गंजा करवा देता था. चिरायते का काढ़ा पेनिसिलीन और सल्फा औषधियों से ज्यादा काम देता था. और हड्डी टूट जाती या बिजली के सामान की जरूरत पड़ती, तब आबू वाली दोपहर ढाई की लोकल में बैठकर अहमदाबाद जाते थे. अहमदाबाद ‘बड़ा शहर’ था, जहां बिजली का सामान अच्छा और सस्ता मिलता था. पुरानी जेल के पास वाले उबड़-खाबड़ मैदान में छुट्टी की हर दोपहर को स्टम्पें गाड़कर एक इनिंग्स वाले क्रिकेट के मैच खेले जाते थे और जीतने के बाद तीन बार ‘हिप…हिप… हुर्रे’ चिल्लाते थें. जेल में पंडित जवाहरलाल नेहरू को खून की उल्टी होने की अफवाह पर हफ्ते भर सभाएं होती थीं.

नवाब साहब-खुदाबंद खुदा-ए-खान, फैजबख्श, फैजरसान, श्रीदिवान महाखान जुब्द-तुल-मुल्क… और नाम के बाद में जी.सी.आई.ई., के.सी.सी.वी.ओs., ए.डी.सी. वाले नवाब साहब की सालगिरह के दिन स्कूल में बंटने वाले बताशे लेने के लिए छोटे भाई को लेकर, दो बड़े रूमाल लेकर, नयी कमीजें पहनकर जाया करते थे. चुराई हुई बर्फ चूसते समय या कटी पतंग लूटते समय चंगेज खां जैसा दिग्विजय का उन्माद हो जाता था…

और बचपन की इतिहास-यात्रा के कुछ सहयात्री… नीम के नीचे मुनीर मिल गया था, लाल लुंगी पहने हुए. दो रोज से स्कूल नहीं आ रहा था. उसी रोज पता चला कि उसने सुन्नत करवाई थी… मीरा के दरवाजे के बाहर उसके काका की बीड़ी की दुकान थी. दुकान के ऊपरी हिस्से में ही बैठकर वह तीन कर्मचारियों के साथ बीड़ियां बनाता था. दाने चुगते कबूतरों की तरह उनके सिर हिलते थे. एक सिर शंकर का था. तीसरा कक्षा तक वह साथ था. फिर उसे टाइफाइड हुआ और…छठी में ही प्राणलाल ने स्कूल छोड़ दिया. लड़के कहते थे, बहुत गरीब थे उसके पिता. रियासत के किसी देहात में एक्साइज के क्लर्क थे. एक दिन प्राणलाल पोस्टमैन की वर्दी पहनकर चिट्ठी देने शर्माता-शर्माता आया था… कचहरी में भीगे कौवे जैसे एक जज के सामने उसके एक अफीमी आत्मीय ‘मच आब्लाइज्ड’ रटते थे, रटा करते थे और बार-बार उसे स्वभाव के बारे में सलाह दिया करते थे…

इतिहास का प्रोफेसर बाहर आ गया.

‘कहो, मास्टर?’

मास्टर अगर रास्ते में मिल गया होता तो वह पहचान नहीं पाता, लेकिन दुकान, वही थी. जर्जरित अर्गला पर दो-चार अधसिले कपड़े लटक रहे थे. अभी कालर और आस्तिन बाकी थे. दुकान खाली-खाली लग रही थी.

मास्टर उसे घूरने लगा- ‘अरे, सूर्यकांत? तू?’

मास्टर हंस दिया. दो रोज की बढ़ी हुई दाढ़ी में शिकने पड़ गयीं. चेहरे पर झुर्रियां, मटमैली हंसी, झड़े हुए केश, बुझी हुई आंखें, गाल की हड्डियों पर तनकर स्याह हो चुकी चमड़ी, कान के दोनों ओर फूटे हुए लम्बे बाल… मास्टर लक्ष्मणराव… जो स्कूली दिनों में हाफ-शर्टें सीता था, जब स्कूली यूनिफार्मों का जमाना नहीं आया था और जब हाईस्कूल में प्रवेश के बाद ही फुल-शर्टें पहनने का ‘अधिकार’ प्राप्त होता था.

लक्ष्मणराव एक ही महराष्ट्रीय था पूरे गांव में. तब महाराष्ट्रीय महाराष्ट्रीय नहीं, बल्कि दक्षिणी कहे जाते थे.

‘कब आया?’

‘आज ही.’

‘अकेला आया है?’

‘हां, अकेला ही हूं!’ वह प्रसन्न-गम्भीर हंस दिया- ‘कैसा हैं मास्टर, तुम्हारे बाल-बच्चे?’ उसे पता था कि मास्टर की दो लड़कियां थीं.

मास्टर का चेहरा लटक गया. उसे लगा, जैसे कुछ अपराध-सा कर डाला है. मास्टर ने धीरे से सिलाई-मशीन की दराज से एक तस्वीर निकाली- मास्टर की जवानी का ग्रुप-फोटो. मास्टर, एक स्त्राr, दो लड़कियां, एक लड़का. सभी चेहरों पर तसवीर खिंचवाने से पहले का आतंक. लड़के के चेहरे पर कुतूहल. वह सबसे छोटा था.

‘तूने तो यह दुकान देखी है, सूर्यकांत, कैसी चलती थी? रात बारह-बारह बजे तक मैं छह आदमियों से काम कराया करता था…’ थकान का निश्वास- ‘अब जमाना खराब हो गया है, भाई. मुश्किल से पेट भरता है. पुराने बूढ़े-बूढ़े ग्राहक ही आते हैं. काम भी होता नहीं है अब. दुनिया बदल गयी. मैं कहता हूं, सूर्यकांत, पाप किये होंगे मैंने, मेरी स्त्राr ने, पर इन बच्चों ने दुनिया का क्या बिगाड़ा है? बच्चों के ये दिन…’ मास्टर और कुछ कहने जा रहा था कि आंखें छलछला आयीं.

‘लड़कियां तो बड़ी हो गयी होंगी?’

मास्टर कुछ संयत-सा हुआ- ‘क्या कह रहा है? तीन ही साल पुराना है यह फोटो. शारदा बारह साल की हुई और संध्या दस की. लड़का पिछले साल गुजर गया. स्कूल से आया, तब तो अच्छा-भला था. हैजा हो गया. दो दिन में भगवान ने उठा लिया. लुट गया सब, सूर्यकांत, सब लुट गया. घरवाली की तबीयत भी अब ठीक नहीं रहती. लड़कियों के बढ़ने में समय नहीं लगता. शादी-ब्याह… भाई, सब इकट्ठा होगा कैसे?’ मास्टर का गला रुंध गया. आगे बोल नहीं पाया वह. रो पड़ा. पुरुष के आंसू…

उसने महसूस किया, बहुत गलत हो गया सब कुछ. उसके अविचारी शहरी सौजन्य ने पुराने घाव छील डाले थे. यह आदमी दुख की परम्पराओं में से जी रहा था, टिक रहा था. कितने समय से?

उससे आश्वासन के स्वर में कहा- ‘मास्टर, तुम तो मर्द हो. भगवान है ऊपर सभी का देखता है वह. सच्चे आदमी को वह निश्चय ही पार उतारता है.’

‘ना, वह सब झूठ है. अब भगवान में श्रद्धा नहीं रही है मेरी. मैंने किसी का कुछ भी नहीं बिगाड़ा है और मुझे ही इतने सारे दुख, सूर्यकांत? अच्छा मान ले, मैंने कुछ बिगाड़ा भी होगा, पर इन बच्चों ने क्या अपराध किया है तेरे भगवान की दुनिया में?’ बोल, तू तो पढ़ा-लिखा आदमी है- बोल.’

उसे एकाएक कंपकंपी आ गयी. मास्टर पागल हो गया है क्या?

धीरे से सांत्वना की औपचारिक बातें करके वह भाग निकला. वापस, घर की ओर. विचारों में उलझा हुआ. नवाबी गयी, प्रजा का शासन आ गया, प्रजातंत्र आ गया. क्या कर डाला है प्रजातंत्र ने? अहर्निश भगवान की पूजा-भक्ति करने वाले, डरने वाले, अटल श्रद्धा रखने वाले, सीधे-सादे गरीब, प्रामाणिक रोटी कमाकर खाने वाले श्रमजीवियों के हृदय में से भगवान के प्रति श्रद्धा हिला डाली. और वह भी बुढ़ापे में, जीवन किनारे लगने अया तब!

बाइबल के ओल्ड टेस्टामेंट में एक पात्र है. उसका नाम है जॉब. जॉब अच्छा आदमी था, सच्चा आदमी था, सज्जन था, कुलीन था. भगवान ने उसी के ऊपर सब दुख ढा दिये. उसके बच्चे मार डाले, उसकी सम्पत्ति का नाश कर डाला, उसके शरीर को तोड़ दिया. जॉब ने प्रश्न किया- प्रभु, मुझ निर्दोष को तूने इतने सारे दुखों में क्यों फेंक दिया. शायद मैं सम्पूर्ण नहीं हूं, मगर मैंने ऐसा क्या किया है कि मुझे ही इतने सारे दुख सहने पड़े?

जॉब के प्रश्न का उत्तर भगवान ने अभी तक नहीं दिया है.

अन्याय सृष्टि का सबसे बड़ा रहस्य है. जॉब एक सर्वमनुष्य का नाम है, जो दो हजार वर्षों से यह प्रश्न कर रहा है. जॉब क्रांतिकारी नहीं है, जॉब सीधा चारित्र्यवान मनुष्य है. जैसा मास्टर…

तीन वर्ष में मास्टर कितना वृद्ध हो गया है. शोषित का वृद्धत्व और शोषित का नेतिहास…

वह घर में घुस गया. अब मिलना नहीं था किसी से.

पुराने घर में घुस गया. अब मिलना नहीं था किसी से.

पुराने लोगों के पास एक ही रसिक बात है- मृत आत्मीयों की. नये उसे पहचानते नहीं हैं. पीढ़ियां बहुत जल्दी बड़ी हो जाती हैं. गांव ने शायद… कायाकल्प ही कर लिया है. किले की रांग तथा मुख्य द्वार गिरा दिय गये हैं. स्टेशन पर ओवर ब्रिज बन गया है, सामने गुड्ज-साइडिंग. बरसात के पहले बिना प्लेटफार्म-टिकिट स्टेशन पर घूमने जाते थे, तो आसपास के पेड़ों में कभी-कभार नीलपंखी दिखाई पड़ते थे… आज, वैगनों की शंटिंग लगातार चल रही है. स्कूल में टेलिफोन आ गया है. स्टेशन रोड पर सिंधी शरणार्थियों (उन दिनों रेडियों वाले ‘विस्थापित’ शब्द नहीं जानते थे) की कच्ची दुकानें अब गायब हो गयी हैं.

लोग बूढ़े हो गये हैं. मर गये हैं. पक्की दुकानों के मालिक हो गये हैं… या उसी की तरह गांव छोड़कर दूर-दूर चले गये हैं. रेलवे कालोनी काफी फैल गयी है और राजस्थानी कर्मचारियों से खचाखच भरी हुई है. कीर्ति-स्तम्भ के उजाड़ बगीचे के गिर्द पास के मिलिटरी कैम्प के जवान घूमते दिखाई पड़ते हैं. आइसक्रीम के होटलों पर भीड़ है. बैंकें और वेश्याएं भी आ गयी हैं. गांव शहर बन गया है…

शाम का मेल… साढ़े पांच बजे का मेल, अब रात आठ बजे आता है. अंतर वही है, सिर्फ समय बढ़ा दिया गया है.

एक ही चीज कायम है. पूर्ववत. ट्रेनों का लेट होना…

ट्रेन चली. दूर झाड़ियों के झुंड के ऊपर कीर्ति स्तम्भ का शिखर दिखाई दिया, पहली गुमटी, एक्साइज की नयी कलैक्टोरेट, नवाब के महल का जर्जरित द्वार, सिग्नल,दूसरी गुमटी, फुटबाल का शांत मैदान, मेहसाना जाता हुआ बस-मार्ग, अरहर के खेतों पर फैली हुई रात, पितृभूमि के आकाश में मुरझाये फूलों के तोरण जैसी झुकी हुई धुंधली आकाश-गंगा, अंधकार की पर्तों में विलीन होता जा रहा नेतिहास…