October 5, 2015

રાજાને મીઠું જોઈએ છે! (ઈરાની લોકકથા)

એકવાર આચાર્ય કૃપલાનીએ કેન્દ્રની સંસદમાં એક પ્રસંગ કહ્યો હતો. આ પ્રસંગ એક ઈરાની લોકકથા છે. એક રાજા જંગલમાં શિકાર કરવા ગયો. એણે જંગલી મુર્ગાઓ માર્યા, પકાવ્યા, ખાવા બેઠા ત્યારે રાજાને નિમકની જરૂર પડી! જંગલમાં નિમક કે મીઠું લેવા માણસો દોડાવતાં પહેલાં રાજાએ એ માટે માણસોને પૈસા આપવા માંડ્યા. વઝીરે કહ્યું: શહંશાહને થોડું નિમક જોઈએ એ માટે પૈસા ખર્ચવાના ન હોય! રાજાએ કહ્યું: શહંશાહે કોઇ વસ્તુ મફતમાં લેવી નહીં. નિમકના પણ પૈસા આપી દેવાના! જો હું મીઠાના પૈસા નહીં આપું તો મારી નીચેના માણસો આખો મુર્ગો જ મફત લઈ આવે એવો દિવસ આવશે!...જો ભ્રષ્ટાચાર રોકવો હોય તો રાજાએ નિમક પણ ખરીદીને લેવું, મફતમાં કંઈ જ લેવું નહીં...

કાયદો માનવો અને કાયદાને તાબે થવું રાજાના હિતમાં છે, રાજા નાનો કાયદો પાળશે તો પ્રજા મોટો કાયદો પાળશે! 

('રાજકારણ-1'માંથી)

No comments:

Post a Comment