March 30, 2013

સાહિત્ય

આજનો જમાનો લેબલો લગાવવાનો છે. દ્રષ્ટાંત. દલિત સાહિત્ય. સાહિત્ય સાહિત્ય હોય છે, સારું હોય છે અથવા ખરાબ હોય છે, એ દલિત કે લલિત હોતું નથી. ભાટિયા પ્રેમ કે વાઘરી દોસ્તી કે આદિવાસી આંસુ કે જૈન હાસ્ય કે પાટીદાર દુશ્મની જેવું કંઈ હોય તો મને ખબર નથી. માતૃપ્રેમ કે વફાદારી કે ઉલ્લાસ કે નિર્દોષતા કે વીરત્વને જાતિવાચક કે સમૂહવાચક વિશેષણો લગાવવાની જરૂર નથી. મારે માટે સાહિત્ય એક બુનિયાદી પ્રાકૃતિક શબ્દ છે, વેદના કે વિલાસ કે વિરક્તિ જેવો. ગાંધીવાદી વેદના કે દલિત વેદના કે રૂપવાદી, કલાવાદી, સૌંદર્યવાદી વેદના કે સર્વેક્ષણાત્મક-આલોચનાત્મક વેદના કે ગ્રામીણ આંચલિક નાગરિક વેદના કે કાળી ઘઉંવર્ણી-ગોરી વેદના... જુદી જુદી વેદનાઓ હોય એવું હું માનતો નથી. હું કલાકારની એક જ વેદના સમજ્યો છું જેમાંથી સાહિત્ય પ્રકટે છે. જો એ વેદના સાચી હોય તો એ સાહિત્ય મને ગમે છે. એ વેદનામાં મિલાવટ હશે તો એ સાહિત્ય માત્ર લેબલો બદલવાથી મને ગમાડી શકાતું નથી.

(સમકાલીન: જાન્યુઆરી 25, 1989માં સયાજીરાવ ગાયકવાડ વિશેના લેખમાંથી)

(પુસ્તક: વિવિધા-1)

No comments:

Post a Comment