May 18, 2013

ગુજરાતી સાહિત્યમાં માફિયા રાજ

ગુજરાતી સાહિત્યમાં અહિંસક અમદાવાદી માફિયા રાજ ચલાવે છે, જે નક્કી કરે છે કોને ઈનામ આપવું, કોનાં 60 વરસ ઊજવવાં, કોની ચોપડી સ્કૂલ કૉલેજના પાઠ્યપુસ્તક તરીકે નક્કી કરવી વગેરે વગેરે. આ માફિયોસીમાં ગૉડફાધર નથી, સિન્ડિકેટ છે, ક્લાન છે, મોબ છે, બ્રધરહુડ છે, ગેંગ છે પણ અંદર અંદર કોઈ શૂટ-આઉટ કરતું નથી, કોઈને કોઈથી ખરાબ સંબંધ નથી, દરેક લેખક બીજા લેખકનો વેવાઈ હોય, એટલી મીઠાશ સાહિત્યકારોમાં પ્રવર્તે છે. રેડિયોના સમૂહગાનમાં પાછલી લાઈનવાળા ગવૈયા લાઈનમાં ઊભા હોય એમ અથવા શુક્રવારે બડી નમાઝ પછી બહાર ટીનનાં વળેલાં ડબલાં લઈને યતીમો લાઈનમાં બેઠા હોય એમ ગુજરાતી લેખકો ઈનામો, સર્ટિફિકેટો, પત્રમાન, ચાંદ અકરામ માટે ધૈર્યથી જીવનભર લાઈનમાં ઊભા રહી શકે એટલા શાણા છે.

(રમૂજકાંડ, પૃ. 7)

No comments:

Post a Comment